T20 World Cup: ભારતને ભોંય ભેગું કરનારા પાકિસ્તાનનું સેમી ફાઈનલમાં પહોંચવાનું નક્કી, જાણો ભારતે શું કરવું પડશે
T20 WC: ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને પાકિસ્તાને બીજી જીત મેળવી અને 4 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. હવે બાકીની મેચ તેણે અફઘાનિસ્તાન, નામીબીયા અને સ્કોટલેંડ સામે રમવાની છે.

T20 World Cup: ગઈકાલે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 મુકાબલો રમાયો હતો. જેમાં ટુર્નામેન્ટમાં પાકિસ્તાને સતત બીજી જીત મેળવી હતી. આ સાથે પાકિસ્તાનનું સેમિ ફાઈનલમાં પહોચવાનું નક્કી થઈ ગયું છે. ઓપનર રિઝવાનના ૩૩ રન બાદ શોએબ મલિક અને આસિફ અલીએ ૨૩ બોલમાં અણનમ ૪૮ રનની ભાગીદારી કરતાં પાકિસ્તાન સામે ન્યૂઝિલેન્ડનો પાંચ વિકેટથી પરાજય થયો હતો. જીતવા માટેના ૧૩૫ રનના ટાર્ગેટને પાકિસ્તાને ૧૮.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાયેલી મેચને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. ઇન્ઝમામ-ઉલ-હકે વિરાટ કોહલીના ટીમ સિલેક્શન પર સવાલો ઉઠાવ્યા છે, અને ભારતના હારવા પાછળ કયા ખેલાડીને રમાડવો વિરાટની મોટી થઇ તે જણાવી છે. ઇન્ઝમામ-ઉલ-હકે કહ્યું ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવો વિરાટની મોટી ભૂલ સાબિત થઇ. ઇન્ઝમામ-ઉલ-હક કહ્યું કે, ભારતે પાકિસ્તાન સામે યોગ્ય પ્રકારનુ ટીમ કૉમ્બિનેશન ના બનાવ્યુ અને આ કારણે તેમને છઠ્ઠા બૉલરની કમી અનુભવાઇ અને મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ઇન્ઝમામ-ઉલ-હકે આગળ કહ્યું કે, છઠ્ઠા બૉલર પાંચ મેઇન બૉલર માટે બેકઅપનુ કામ કરે છે, ભારતને પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડકપમાં ભારતની પહેલી હાર હતી. આ પહેલા રમાયેલી વર્લ્ડકપની 12 મેચોમાં ભારતને જીત જ મળી હતી.
પાકિસ્તાનનું સેમી ફાઈનલમાં પહોંચવાનું નક્કી
ભારતને પ્રથમ મુકાબલામાં હરાવ્યા બાદ ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સામે સૌપ્રથમ જીત મેળવી હતી. ગઈકાલે ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને પાકિસ્તાને બીજી જીત મેળવી અને 4 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. હવે બાકીની મેચ તેણે અફઘાનિસ્તાન, નામીબીયા અને સ્કોટલેંડ સામે રમવાની છે. પાકિસ્તાન ટીમનું વર્તમાન ફોર્મ જોતાં તમામ મેચ જીતીને સેમી ફાઈનલમાં પહોંચી શકે છે.
ભારત કેવી રીતે પહોંચી શકે છે સેમી ફાઈનલમાં
ભારતનો આગામી મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે છે. આ મેચ ભારતે ગમે તે ભોગે જીતવી જ પડશે. જે બાદના મુકાબલા અફઘાનિસ્તાન, નામીબીયા અને સ્કોટલેંડ સામે છે. ભારત જો ન્યૂઝીલેન્ડ સામે જીતી જાય તો તેને અફઘાનિસ્તાન જ પડકાર આપી શકે છે. નામીબીયા અને સ્કોટલેંડ સામે ભારત સરળતાથી જીતી શકે તેમ છે. આમ ભારત હવે પછીની ચારેય મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે સેમી ફાઈનલમાં પ્રવેશી શકે છે.
Pakistan and Afghanistan occupy the 🔝 2 spots 👀
— ICC (@ICC) October 26, 2021
Will any team chase them down in Group 2❓#T20WorldCup pic.twitter.com/sODUFsgxBD



















