![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
આ વાતચીત દરમિયાન તેમણે કેપ્ટન રોહિત શર્માને તે વાત પણ પૂછી જે તમામ દેશવાસીઓના મનમાં છે
![પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા Team India Interaction With PM Modi PM Modi Interaction With Champions પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/f0c9a974c26a894f43e1db3f13fa9810172018528999174_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi Interaction With Champions: ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા પછી ટીમ ઈન્ડિયાએ ગુરુવારે (04 જુલાઈ) પ્રથમ વખત તેની ધરતી પર પગ મૂક્યો હતો. આ ઐતિહાસિક જીતે દેશવાસીઓને પણ ઉજવણી કરવાનો મોકો આપ્યો. ચેમ્પિયનના સ્વાગત માટે લાખો ચાહકો એકઠા થયા હતા અને દિલ્હીથી મુંબઈ સુધી એક અદ્ભુત, અનુપમ અને અવિશ્વસનીય નજારો જોવા મળ્યો હતો. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચેમ્પિયન્સ સાથે વાતચીત પણ કરી હતી.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi interacted with the Indian Cricket team at 7, Lok Kalyan Marg yesterday
— ANI (@ANI) July 5, 2024
(Source: PMO) pic.twitter.com/JcWs4U1qn1
આ વાતચીત દરમિયાન તેમણે કેપ્ટન રોહિત શર્માને તે વાત પણ પૂછી જે તમામ દેશવાસીઓના મનમાં છે. તે ક્ષણ જ્યારે આ ઐતિહાસિક જીત પછી તેણે પીચની માટી ખાધી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા પહોંચ્યો હતો. પીએમ મોદીએ રોહિત શર્માને પૂછ્યું કે જમીન કે માટી ગમે તે હોય પરંતુ ક્રિકેટની જિંદગી પિચ પર જ હોય છે. તમે ક્રિકેટની પિચની માટી ખાધી, ફક્ત ભારતીય જ આ કરી શકે છે. હું આ ક્ષણો પાછળના તમારા મનને જાણવા માંગુ છું.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi interacted with the Indian Cricket team at 7, Lok Kalyan Marg yesterday
— ANI (@ANI) July 5, 2024
(Source: PMO) pic.twitter.com/WdQN7rIqZl
રોહિત શર્માએ આપ્યો આ જવાબ?
હિટમેને કહ્યું હતું કે , “જ્યાં પણ આપણને તે વિજય મળ્યો તેની એક ક્ષણને યાદ રાખવાની હતી અને તેનો સ્વાદ માણવો હતો. કારણ કે અમે તે પિચ પર રમીને જીતી ગયા હતા. અમે બધા આટલી લાંબી રાહ જોઇ હતી. વર્લ્ડ કપ 2023 અમારી ખૂબ નજીક આવી ગયો હતો પરંતુ અમે તે મેળવી શક્યા નહીં. હવે જ્યારે અમે તે વસ્તુ હાંસલ કરી ત્યારે તે ક્ષણમાં મારાથી થઇ ગયું હતું.
તમે સ્લો મોશનમાં ટ્રોફી લેવા કેમ ગયા?
આ પછી પીએમ મોદીએ રોહિત શર્માને પૂછ્યું કે દરેક દેશવાસીએ માર્ક કર્યું છે અને મને તેમાં ઇમોશન્સ જોવા મળે છે, જ્યારે તમે ટ્રોફી લેવા જઈ રહ્યા હતા ત્યારે જે ડાન્સ થાય છે. તેની પાછળ શું હતું? આના જવાબમાં હિટમેને કહ્યું, “આ અમારા બધા માટે આટલી મોટી ક્ષણ હતી અને અમે બધા આટલા વર્ષોથી આ વસ્તુની રાહ જોઈ રહ્યા હતા. આ છોકરાઓએ મને કહ્યું કે ટ્રોફી મેળવવા માટે એમ જ ચાલીને જવું જોઇએ નહીં.”
રોહિત શર્માએ આગળ કહ્યું હતું કે " કંઇક અલગ કરવાનું હતું, તો યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે આમ કરવા માટે કહ્યું હતું. પીએમ મોદીએ એ પણ પૂછ્યું કે આ કોનો આઈડિયા છે, ચહલનો. તો રોહિતે કહ્યું કે આ બંને ચહલ અને કુલદીપનો આઇડિયા હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)