શોધખોળ કરો

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બોક્સર લવલીના બોરગોહેનની પ્રશંસા કરી હતી. જેણે 2026 કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં ભારતનો ખોટો નકશા બતાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બોક્સર લવલીનાએ ગ્લાસગો રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નકશા સામે વાંધો ઉઠાવ્યો.
  • નકશામાં પૂર્વોત્તર હિસ્સો ગાયબ હોવા અંગે તેણીએ મેનેજમેન્ટને જાણ કરી હતી.
  • વડાપ્રધાન મોદીએ લવલીનાના સમજદારીભર્યા અને સંવેદનશીલ કાર્યની પ્રશંસા કરી.
  • સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રેસ્ટોરન્ટે માફી માંગી, નકશો બદલવાની ખાતરી આપી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બોક્સર લવલીના બોરગોહેનની પ્રશંસા કરી હતી. જેણે 2026 કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં ભારતનો ખોટો નકશા બતાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. મોદીએ સ્કોટલેન્ડથી પરત ફરતા કોમનવેલ્થ ચેમ્પિયન સાથેની મુલાકાત દરમિયાન લવલીનાના આ પગલાની પ્રશંસા કરી હતી. 

ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં લવલીનાએ ભારતનો ખોટો નકશો જોયો

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે લવલીના બોરગોહેને કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સિંગ ટીમ સાથે તેના પ્રભાવશાળી પ્રદર્શનની ઉજવણી કરવા માટે ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગઈ હતી. કાર્યક્રમ દરમિયાન તેણીએ મેનુ પર ભારતનો નકશો જોયો જેમાં ઉત્તરપૂર્વ ભારતના ભાગોને બતાવવામાં આવ્યા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lovlina Borgohain (@lovlina_borgohain)

લવલીનાએ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સામે આને લઈને વાંધો ઉઠાવતા કહ્યું કે ભારતના નકશામાં ઉત્તરપૂર્વનો ભાગ દર્શાવવામાં આવ્યો નથી અને પૂર્વોત્તરમાંથી આવનારી વ્યક્તિ તરીકે આ જોઈને મને ખૂબ દુઃખ થયું હતું. તેણીએ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટને કહ્યું હતું કે, "આને ખોટું ના સમજો, પરંતુ આનાથી મને થોડું દુઃખ થાય છે. આપણો પૂર્વોત્તર હિસ્સો ભારતીય નકશામાંથી ગાયબ છે." બહાર પ્રદર્શિત નકશામાં પણ ઉત્તરપૂર્વનો ભાગ શામેલ નથી. ઉત્તરપૂર્વના હોવાથી આ આપણને ખૂબ જ દુઃખ પહોંચાડે છે.

આસામી બોક્સરે કહ્યું હતું કે, "તે એક ખુશીનો પ્રસંગ હતો. અમે ઉજવણી કરી રહ્યા હતા અને મને દેશનો ખોટો નકશો જોવો ગમ્યો નહીં. મેં તેમને નમ્રતાથી કહ્યું હતું અને તેમણે તે બદલી નાખ્યો." 

વડાપ્રધાન મોદીએ તેમની પ્રશંસા કરતા કહ્યું કે તે સમજદારીભર્યું કામ હતું, ખાસ કરીને એવા સમયે જ્યારે તેઓ પોતાની જીતની ઉજવણી કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "રમતોના સમાપન સમયે અને ઉજવણીઓ વચ્ચે તે નકશાના મહત્વને ઓળખવું. હું તમને સત્ય કહી શકું છું, તે વીડિયો સામાન્ય નહોતો. લોકો તેને લાંબા સમય સુધી યાદ રાખશે."

સોશિયલ મીડિયા પર આ મુદ્દો વાયરલ થયા બાદ રેસ્ટોરન્ટે માફી માંગી

લવલીનાના વાંધા બાદ આ મુદ્દો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. ત્યારબાદ રેસ્ટોરન્ટે ભારતના ખોટા નકશા અંગે એક નિવેદન બહાર પાડ્યું અને સ્પષ્ટપણે માફી માંગી હતી. રેસ્ટોરન્ટે જણાવ્યું હતું કે ખોટા નકશાવાળા લોગોને બદલવામાં આવશે અને ભારતનો સાચો નકશો ઉપયોગમાં લેવામાં આવશે. રેસ્ટોરન્ટે એમ પણ કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરનારી ભારતીય ટીમની યજમાની કરવી તેમના માટે સન્માનની વાત હતી. 

આ મુદ્દો પ્રકાશમાં આવ્યા પછી ગ્લાસગોમાં ભારતીય દૂતાવાસે પણ આ બાબતની નોંધ લીધી. દૂતાવાસે સંબંધિત રેસ્ટોરન્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. 

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સરોનું પ્રભાવશાળી પ્રદર્શન

ભારતીય બોક્સિંગ ટીમે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું, કુલ 10 મેડલ જીત્યા હતા. આ ઐતિહાસિક પ્રદર્શન પછી ગ્લાસગોમાં ભારતીય બોક્સિંગ ટુકડી માટે આયોજિત ઉજવણી દરમિયાન જ લવલીનાએ ખોટો નકશો જોયો હતો. ખોટા નકશા પર લવલીનાનો તાત્કાલિક વાંધો ઉઠાવતા મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના કાર્યની પ્રશંસા કરી, તેને દેશ અને ખાસ કરીને ઉત્તરપૂર્વ પ્રત્યેની તેમની સંવેદનશીલતા સાથે જોડી હતી. 

Frequently Asked Questions

લવલીના બોરગોહેને ગ્લાસગોના રેસ્ટોરન્ટમાં શા માટે વાંધો ઉઠાવ્યો?

લવલીનાએ રેસ્ટોરન્ટના મેનુ અને પ્રદર્શિત નકશામાં ભારતનો ખોટો નકશો જોયો, જેમાં ઉત્તરપૂર્વનો ભાગ દર્શાવવામાં આવ્યો નહોતો. પૂર્વોત્તરમાંથી આવતી હોવાથી તેને દુઃખ થયું, તેથી તેણે નમ્રતાથી મેનેજમેન્ટને જાણ કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લવલીનાના પગલાની શા માટે પ્રશંસા કરી?

વડાપ્રધાન મોદીએ લવલીનાના પગલાને સમજદારીભર્યું ગણાવ્યું. તેમણે કહ્યું કે ઉજવણીઓ વચ્ચે પણ નકશાના મહત્વને ઓળખીને તેણે દેશ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવી, જે લાંબા સમય સુધી યાદ રહેશે.

રેસ્ટોરન્ટે ખોટા નકશા અંગે શું પ્રતિક્રિયા આપી?

આ મુદ્દો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રેસ્ટોરન્ટે સત્તાવાર માફી માંગી. તેમણે જણાવ્યું કે ખોટા નકશાવાળા લોગોને બદલીને ભારતનો સાચો નકશો ઉપયોગમાં લેવામાં આવશે.

આ ઘટના ક્યારે અને ક્યાં બની હતી?

આ ઘટના 2026 કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં બની હતી. લવલીના ભારતીય બોક્સિંગ ટીમના પ્રભાવશાળી પ્રદર્શનની ઉજવણી કરવા માટે ત્યાં ડિનર માટે ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
Embed widget