શોધખોળ કરો

World Cup 2023: જો 2023 વર્લ્ડ કપ ફાઈનલ 2019 વર્લ્ડ કપ ફાઈનલની જેમ ટાઈ થાય તો વિજેતા કેવી રીતે નક્કી થશે?

World Cup Final: 2019માં રમાયેલ વર્લ્ડ કપની ફાઈનલ મેચ ટાઈ રહી હતી અને ત્યારબાદ સુપર ઓવર પણ ટાઈમાં સમાપ્ત થઈ હતી, જે બાદ ઈંગ્લેન્ડને વધુ બાઉન્ડ્રી ફટકારવાના આધારે વિજેતા બનાવવામાં આવ્યું હતું.

World Cup 2023 Final Rule: ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રવિવાર, 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટની પાછલી આવૃત્તિ એટલે કે વર્લ્ડ કપ 2019માં ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બની હતી. ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી જે ટાઈ રહી હતી. પછી મેચ નક્કી કરવા માટે સુપર ઓવર પણ ટાઈમાં સમાપ્ત થઈ અને વધુ બાઉન્ડ્રી ફટકારવાના આધારે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું. શું આ વખતે પણ એવું જ થશે? ચાલો જાણીએ આ વખતે શું હશે નિયમ.

વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ માન્ય રહેશે નહીં. એટલે કે, જો ફાઈનલ મેચ ટાઈ થાય છે અને તે પછીની સુપર પણ ટાઈ થાય છે, તો વધુ બાઉન્ડ્રી ફટકારનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે નહીં. આ વખતે ફાઈનલમાં જો એવી સ્થિતિ સર્જાય કે મેચ ટાઈ થઈ જાય અને સુપર ઓવર પણ ટાઈ થઈ જાય તો સુપર ઓવર પછી ફરીથી સુપર થશે એટલે કે બીજી સુપર ઓવર થશે અને આ જ્યાં સુધી મેચનું પરિણામ ન આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.

2019ની ફાઈનલ કંઈક આવી હતી

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં કેન વિલિયમસનની કેપ્ટનશીપમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 241 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે મેચ ટાઈ થઈ હતી અને પરિણામ નક્કી કરવા માટે સુપર ઓવર કરવામાં આવી હતી.

સુપર ઓવરમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 15 રન બનાવ્યા હતા. જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ સુપર ઓવરમાં માત્ર 15 રન બનાવી શકી હતી. આ રીતે, 50 ઓવરની મેચ પછી, સુપર ઓવર પણ ટાઈમાં સમાપ્ત થઈ અને વધુ બાઉન્ડ્રીના કારણે, ઈંગ્લેન્ડને વિશ્વ ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું.

ODI વર્લ્ડ કપ 2023ની લીગ મેચો પૂરી થઈ ગઈ છે. હવે ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બર, બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ માટે ICC દ્વારા અમ્પાયરોની જાહેરાત કરવામાં આવી છે. રિચર્ડ ઇલિંગવર્થ અને રોડ ટકર આ મેચ માટે ફિલ્ડ અમ્પાયર હશે. થર્ડ અમ્પાયરિંગની જવાબદારી જોએલ વિલ્સનને સોંપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget