શોધખોળ કરો
Advertisement
કોરોના સામે લડવા યુવરાજે પીએમ કેયર્સમાં આટલા રૂપિયા આપ્યા દાન, જાણો વિગતે
યુવરાજે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યુ- આ એકતા બતાવવાના દિવસે વડાપ્રધાન કેયર્સ ફંડમાં 50 લાખ રૂપિયા દાન આપવાનો વાયદો કરુ છુ
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહે પણ કોરોના સામેની લડાઇમાં પીએમ મોદીના સપોર્ટમાં આવ્યો છે. યુવરાજે આ મહામારી સામે લડવા માટે વડાપ્રધાન કેયર્સ ફંડમાં 50 લાખ રૂપિયાની રકમ દાન કરી છે. આ ઓલરાઉન્ડરે કૉવિડ-19 મહામારી સામે લોકોને એકસાથે ઉભા રહીને લડવાની અપીલ કરી છે.
યુવરાજે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યુ- આ એકતા બતાવવાના દિવસે વડાપ્રધાન કેયર્સ ફંડમાં 50 લાખ રૂપિયા દાન આપવાનો વાયદો કરુ છુ, કૃપા તમે પણ તમારા તરફથી યોગદાન કરો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા વિરાટ કોહલી, ગાંગુલી, સચીન સહિતના સ્ટાર ક્રિકેટર કોરોના સામેની લડાઇમાં પોતાનુ યોગદાન આપી ચૂક્યા છે.
હાલ દેશની હાલત કોરોના સામે કથળી રહી છે, કોરોના સંક્રમિતોની સંખ્યા દેશમા વધીને 4 હજારને પાર પહોંચી ગઇ છે. હાલ દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ ચાલુ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion