શોધખોળ કરો

IPL 2022: 'CSK ને સતત 6 મેચ જીતાડી શકે છે ધોની, સહવાગે જણાવ્યું કઈ રીતે પ્લેઓફમાં પહોંચશે ચેન્નઈ 

IPL 15માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ટીમ સતત સંઘર્ષ કરી રહી છે. જે બાદ જાડેજાએ મધ્ય સિઝનથી કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો.

Sehwag's prediction about Dhoni: IPL 15માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ટીમ સતત સંઘર્ષ કરી રહી છે. જે બાદ જાડેજાએ મધ્ય સિઝનથી કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ધોની ફરી એકવાર ટીમનો કેપ્ટન બન્યો છે. તેના કેપ્ટન બન્યા બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન સેહવાગનું માનવું છે કે હવે ચેન્નાઈ ફરી એકવાર પ્લેઓફની રેસમાં સામેલ થઈ ગઈ છે.

સેહવાગે કરી ભવિષ્યવાણી

ધોનીની કેપ્ટનશિપ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, હું 2005થી ધોનીની સાથે છું. મેં તેમના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટમાં પરિવર્તન જોયું છે. તેમની કપ્તાનીમાં કેટલીકવાર અમે અમારા નિયંત્રણ હેઠળની રમતો હારી જતા હતા અને જે મેચમાં અમે હારતા હતા તે મેચ જીતી લેતા હતા. અમે ક્યારેય વિચાર્યું નહોતું કે ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ અમે ઓસ્ટ્રેલિયા કોમનવેલ્થ બેંક શ્રેણી જીતીશું, પરંતુ અમે જીતી ગયા.

તેણે વધુમાં કહ્યું કે તેની કેપ્ટનશીપમાં અમે તે શ્રેણી જીતી છે જે અમે ગુમાવતા હતા. અમે તેની કેપ્ટનશિપમાં નોક મેચો જીતી છે. હું જાણું છું કે તેની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સતત 6 મેચ જીતી શકે છે.

પ્લેઓફમાં પહોંચવા માટે દરેક મેચ જીતવી જરૂરી છે.

ચેન્નાઈની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં જો તે આ આશાને જીવંત રાખવા માંગે છે તો તેણે દરેક મેચ જીતવી પડશે. આ પછી, તે પ્લેઓફની રેસમાં સામેલ થઈ શકશે. જો કે આ પછી પણ તેણે ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

જાડેજાના સ્થાને કેપ્ટન બનાવવામાં આવ્યોઃ
આ સિઝનમાં ચેન્નાઈનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. જે બાદ ટીમના કેપ્ટન જાડેજાએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન જાડેજાએ કહ્યું હતું કે તે પોતાની રમત પર વધુ ધ્યાન આપવા માંગે છે, જેના કારણે તેણે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. જે બાદ ફરી એકવાર ટીમની કમાન મહેન્દ્ર સિંહ ધોનીને સોંપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, IPLની આ પ્રથમ સિઝનની શરૂઆતમાં ધોનીએ કેપ્ટન પદ છોડી દીધું હતું. આ દરમિયાન તેણે કહ્યું હતું કે તેણે ભવિષ્યની ટીમ તૈયાર કરવા માટે કેપ્ટન્સી છોડવાનો નિર્ણય કર્યો છે. જે બાદ જાડેજાને કેપ્ટનશીપ મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget