શોધખોળ કરો

IPL 2022: રવિન્દ્ર જાડેજા સહિત 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત, જાણો કઈ ટીમોને લાગ્યો ઝટકો

જાડેજાને ચેન્નાઈએ આ સિઝન માટે રૂ. 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ગત સિઝનમાં તેને 7 કરોડ રૂપિયા મળ્યા હતા.

IPL 2022 Injured Cricketers Deepak Chahar Ravindra Jadeja Suryakumar Yadav: IPL 2022 ની લીગ મેચો સમાપ્ત થવા જઈ રહી છે. ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. જ્યારે બાકીની ટીમો સંઘર્ષ બાદ પ્લેઓફમાં પહોંચશે. આ સિઝનમાં ઘણા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. સાથે જ કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે બહાર પણ થઈ ગયા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલમાં જ ઈજાના કારણે આ સિઝનમાંથી બહાર થઈ ગયો છે. આ સિઝનમાં જાડેજા સહિત 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવનો પણ સમાવેશ થાય છે.

રવિન્દ્ર જાડેજા (ચેન્નઈ સુપર કિંગ્સ)

જાડેજાને ચેન્નાઈએ આ સિઝન માટે રૂ. 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ગત સિઝનમાં તેને 7 કરોડ રૂપિયા મળ્યા હતા. પરંતુ જાડેજા આ સિઝનમાં ફ્લોપ સાબિત થયો હતો. તેઓ કંઈ ખાસ કરી શક્યા નહીં. 4 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. જાડેજાને પાંસળીમાં ઈજા છે. તેથી તે આ સિઝનમાંથી બહાર છે.

દીપક ચહર (ચેન્નઈ સુપર કિંગ્સ)

દીપકને IPL 2022ની હરાજી દરમિયાન ચેન્નાઈએ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ ઈજાના કારણે તે એક પણ મેચ રમી શક્યો નહોતો. ચહરને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી શ્રેણી દરમિયાન ઈજા થઈ હતી.

સૂર્યકુમાર યાદવ (મુંબઈ ઈન્ડિયન્સ)

સૂર્યકુમાર મુંબઈના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક છે. તેણે આ સિઝનમાં કેટલીક સારી ઇનિંગ્સ રમી છે. મુંબઈએ તેને 8 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. પરંતુ તે ઈજાના કારણે હાલમાં ટીમની બહાર છે. 6 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં સૂર્યકુમાર ઇજાગ્રસ્ત થયો હતો.

વોશિંગ્ટન સુંદર અને ટી. નટરાજન (સનરાઈઝર્સ હૈદરાબાદ)

સુંદરને હૈદરાબાદે 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે નટરાજનને ફ્રેન્ચાઈઝીએ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ ઈજાના કારણે બંને ખેલાડીઓ હાલમાં ટીમની બહાર ચાલી રહ્યા છે. નટરાજનના ઘૂંટણની ઈજા બહાર આવી છે. જેના કારણે તેઓ રમી શકતા નથી. જ્યારે વોશિંગ્ટન સુંદરના હાથમાં ઈજા થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈ અંબાલાલ પટેલની ચોંકાવનારી  આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈ અંબાલાલ પટેલની ચોંકાવનારી  આગાહી, જાણો શું કહ્યું ?
Gujarat Politics News :AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને રાહત, હાઈકોર્ટે જામીન કર્યા મંજૂર, જાણો શું હતો મામલો
Gujarat Politics News :AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને રાહત, હાઈકોર્ટે જામીન કર્યા મંજૂર, જાણો શું હતો મામલો
Ambalal patel: પ્રથમ નોરતે જ અંબાલાલ પટેલની મોટી આગાહી,આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ 
Ambalal patel: પ્રથમ નોરતે જ અંબાલાલ પટેલની મોટી આગાહી,આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ 
Gujarat Rain: નવરાત્રિના પ્રથમ દિવસે આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: નવરાત્રિના પ્રથમ દિવસે આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
Advertisement

વિડિઓઝ

Banas Dairy Election : બનાસ ડેરીની ચૂંટણીને લઈને મોટા સમાચાર, શંકર ચૌધરીએ સુરતમાં અમિત શાહ સાથે કરી મિટિંગ
Chaitar Vasava Bail News : ચૈતર વસાવાને મોટી રાહત, ગુજરાત હાઇકોર્ટે  મંજૂર કર્યા જામીન
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રીનો પ્રારંભ, ઘરે બેઠા કરો આદ્યશક્તિનાં સીધા દર્શન
Mehsana news: મહેસાણા જિલ્લામાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો, એક આરોપીની પોલીસે કરી અટકાયત
Ambalal Patel Prediction: પ્રથમ નોરતે ખેલૈયાઓનો મૂડ બગાડશે મેઘરાજા, અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈ અંબાલાલ પટેલની ચોંકાવનારી  આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈ અંબાલાલ પટેલની ચોંકાવનારી  આગાહી, જાણો શું કહ્યું ?
Gujarat Politics News :AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને રાહત, હાઈકોર્ટે જામીન કર્યા મંજૂર, જાણો શું હતો મામલો
Gujarat Politics News :AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને રાહત, હાઈકોર્ટે જામીન કર્યા મંજૂર, જાણો શું હતો મામલો
Ambalal patel: પ્રથમ નોરતે જ અંબાલાલ પટેલની મોટી આગાહી,આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ 
Ambalal patel: પ્રથમ નોરતે જ અંબાલાલ પટેલની મોટી આગાહી,આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ 
Gujarat Rain: નવરાત્રિના પ્રથમ દિવસે આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: નવરાત્રિના પ્રથમ દિવસે આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
બનાસ ડેરીની ચૂંટણીને લઈને મોટા સમાચાર, શંકર ચૌધરીએ સુરતમાં અમિત શાહ સાથે કરી બેઠક
બનાસ ડેરીની ચૂંટણીને લઈને મોટા સમાચાર, શંકર ચૌધરીએ સુરતમાં અમિત શાહ સાથે કરી બેઠક
Gujarat Rain: આજે પહેલા નોતરે રાજ્યમાં કેવો રહેશે મોસમનો મિજાજ, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી
Gujarat Rain: આજે પહેલા નોતરે રાજ્યમાં કેવો રહેશે મોસમનો મિજાજ, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી
PM Kisan 21st Installment 2025: પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે આવશે? આ દિવસે ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયા
PM Kisan 21st Installment 2025: પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે આવશે? આ દિવસે ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયા
Gujarat Rain Forecast: નવરાત્રિના પ્રથમ દિવસે 6 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: નવરાત્રિના પ્રથમ દિવસે 6 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર
Embed widget