શોધખોળ કરો

IPL 2024: કોલકાતા-રાજસ્થાનની મેચની તારીખમાં થઈ શકે છે બદલાવ, જાણો શું છે કારણ

IPL 2024: રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે BCCI આ મેચને બીજે ક્યાંક શિફ્ટ કરી શકે છે અથવા આ મેચ અન્ય કોઈ દિવસે રમાઈ શકે છે.

IPL 2024, KKR vs RR:  ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન શરૂ થઈ ગઈ છે. તમામ ટીમો એકબીજાને હરાવવાની સ્પર્ધામાં વ્યસ્ત છે. જોકે, આઈપીએલ 2024 હમણાં જ શરૂ થયું છે. અત્યાર સુધી માત્ર 13 મેચ રમાઈ છે. આ દરમિયાન KKR અને રાજસ્થાનની મેચને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કોલકાતા અને રાજસ્થાન વચ્ચેની મેચ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.

ઈડન ગાર્ડન્સ ખાતે 17 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સની હોમ મેચ પર મુશ્કેલીના વાદળો છવાઈ રહ્યા છે. KKR 17મી એપ્રિલે રાજસ્થાન રોયલ્સનો સામનો તેના હોમ ગ્રાઉન્ડ પર કરવાનો છે. જો કે, આ દરમિયાન એવા સમાચાર છે કે આ મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે BCCI આ મેચને બીજે ક્યાંક શિફ્ટ કરી શકે છે અથવા આ મેચ અન્ય કોઈ દિવસે રમાઈ શકે છે. એટલે કે આ મેચની તારીખ બદલી શકાય છે. રિપોર્ટ અનુસાર, ફ્રેન્ચાઇઝી, રાજ્ય એસોસિએશન અને બ્રોડકાસ્ટર્સ સહિત તમામ પક્ષોને આ અંગે જાણ કરવામાં આવી છે.

રામ નવમી 17 એપ્રિલે છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં સંબંધિત અધિકારીઓને ચિંતા છે કે તેઓ આ મેચમાં સુરક્ષા આપી શકશે કે નહીં. દેશમાં સામાન્ય ચૂંટણીઓ પણ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને, BCCI આ મેચને ફરીથી શેડ્યૂલ કરી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે BCCI અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) કોલકાતા પોલીસના સંપર્કમાં છે. જો કે આખરી નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી, પરંતુ BCCIએ બંને ફ્રેન્ચાઈઝી તેમજ બ્રોડકાસ્ટર્સને શેડ્યૂલમાં સંભવિત ફેરફારોની શક્યતા વિશે જાણ કરી છે.

ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. BCCIએ 16 એપ્રિલે અમદાવાદમાં IPL ટીમોના માલિકોની મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં આવતા વર્ષે યોજાનારી મેગા હરાજી અને ખેલાડીઓને જાળવી રાખવાના નિયમો અંગે ચર્ચા થઈ શકે છે. આઈપીએલની આગામી સિઝનને લઈને આ ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠકમાં ચેરમેન રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ અને આઈપીએલના ચેરમેન અરુણ સિંહ ધૂમલ હાજર રહેશે. જો કે, આ મીટિંગ માત્ર ટીમના માલિકો માટે છે, એવું માનવામાં આવે છે કે તેઓ તેમના CEO અને બાકીની ટીમ સાથે આવી શકે છે. રસપ્રદ વાત એ છે કે આ બેઠક એ જ દિવસે થઈ રહી છે જ્યારે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPLની મેચ યોજાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ વ્યક્તિ પર હથિયારથી હુમલો, એટેક બાદ કટ્ટરપંથીઓએ લગાવી આગ
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ વ્યક્તિ પર હથિયારથી હુમલો, એટેક બાદ કટ્ટરપંથીઓએ લગાવી આગ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Embed widget