શોધખોળ કરો

RCB vs PBKS Final: પંજાબ કિંગ્સનું IPL ટાઇટલનું સ્વપ્ન ફરી ચકનાચૂર; જાણો ફાઇનલમાં હારના ૩ મોટા કારણો

RCB સામે ૬ રનથી હાર્યા, શશાંક સિંહનો સંઘર્ષ વ્યર્થ, ધીમી શરૂઆત અને કેપ્ટનનો ફ્લોપ શો ભારે પડ્યા.

IPL 2025 final RCB vs PBKS: IPL ૨૦૨૫ ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનું પહેલું IPL ટાઇટલ જીતવાનું સ્વપ્ન ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ પંજાબને ૬ રનથી હરાવીને તેમનો ૧૮ વર્ષનો ટ્રોફીનો દુષ્કાળ સમાપ્ત કર્યો. પંજાબ કિંગ્સને ૧૯૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તેઓ નિર્ધારિત ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને માત્ર ૧૮૪ રન જ બનાવી શક્યા. પંજાબની આ હાર પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર રહ્યા.

પંજાબ કિંગ્સની હારના ૩ મુખ્ય કારણો:

૧. ધીમી શરૂઆત અને ઓપનર્સનો ધીમો દેખાવ: ૧૯૧ રન જેવા મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે પંજાબ કિંગ્સને મજબૂત અને ઝડપી શરૂઆતની જરૂર હતી. જોકે, ઓપનર્સ પ્રિયાંશ આર્ય (૧૯ બોલમાં ૨૪ રન) અને પ્રભસિમરન સિંહ (૨૨ બોલમાં ૨૬ રન) ની શરૂઆત ધીમી રહી. પ્રથમ વિકેટ માટે ૪૩ રન ઉમેરાયા હોવા છતાં, બોલ અને રન વચ્ચેનો તફાવત વધતો રહ્યો, જે ટીમ પર દબાણ લાવ્યો. ફિલ સોલ્ટે પકડેલા અદ્ભુત કેચથી પ્રિયાંશ આર્ય આઉટ થયો તે પણ મેચનો મહત્વનો વળાંક હતો.

૨. કેપ્ટન શ્રેયસ ઐયરનો ફ્લોપ શો: આ સિઝનમાં પંજાબ કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન શ્રેયસ ઐયર પાસેથી ફાઇનલમાં મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી. પરંતુ, તે માત્ર ૨ બોલમાં ૧ રન બનાવીને રોમારિયો શેફર્ડેનો શિકાર બન્યો. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે પંજાબની સ્થિતિ સારી હતી, પરંતુ તેની વિકેટ પડતા જ રમતનું પાસું પલટાઈ ગયું અને ટીમની રનચેઝ ગતિ ગુમાવી બેઠી.

૩. મધ્યક્રમમાં નેહલ વાઢેરા દ્વારા બોલનો બગાડ અને વિકેટોનું પતન: જ્યારે શશાંક સિંહ ક્રીઝ પર હતા, ત્યારે પણ નેહલ વાઢેરા સાથે તેમની ભાગીદારી જીત માટે આશાસ્પદ લાગતી હતી. જોકે, નેહલ વાઢેરાએ ૧૮ બોલમાં માત્ર ૧૫ રન બનાવ્યા, જેના કારણે બોલ બગાડ્યા અને ટીમ પર દબાણ સતત વધતું રહ્યું. આ ઉપરાંત, મધ્યક્રમમાં એકવાર વિકેટો પડવાની શરૂઆત થઈ, પછી પંજાબ ૭૨ રનના સ્કોર પર એક વિકેટ ગુમાવ્યા બાદ આગામી ૨૬ રનમાં ૩ મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી. ૧૯૧ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ૯૮ રનમાં ૪ વિકેટ ગુમાવવી એ પંજાબ માટે ઘાતક સાબિત થયું. અંતે, પંજાબે માત્ર ૯ રનમાં વધુ ૩ વિકેટ ગુમાવી દેતા મેચ સંપૂર્ણપણે હાથમાંથી સરકી ગઈ.

RCB નો ઐતિહાસિક વિજય અને બોલરોનો કમાલ:

બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. કૃણાલ પંડ્યાએ ૪ ઓવરમાં માત્ર ૧૭ રન આપીને ૨ વિકેટ લીધી, જ્યારે ભુવનેશ્વર કુમારે પણ ૨ વિકેટ ઝડપી. યશ દયાલ, જોશ હેઝલવુડ અને રોમારિયો શેફર્ડેએ પણ ૧-૧ વિકેટ લઈને ટીમને જીત અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો. ૧૮ વર્ષના લાંબા ઇંતજાર બાદ RCB એ પોતાની પ્રથમ IPL ટ્રોફી જીતીને ચાહકોના દિલ જીતી લીધા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget