શોધખોળ કરો

IPL Auction 2024 Live Streaming: ક્યારે, ક્યાં ને કઇ રીતે જોઇ શકશો આઇપીએલ ઓક્શન લાઇવ, જાણો ફૂલ ડિટેલ્સ....

ભારતીય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર IPL હરાજીનું જીવંત પ્રસારણ જોઈ શકે છે. જો કે, તમે Disney Plus Hotstar પર IPL ઓક્શનનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો નહીં

IPL Auction Live Streaming & Venue: IPL ઓક્શન 2024 આવતીકાલે 19 ડિસેમ્બરે યોજાવાની છે. પ્રથમ વખત આઈપીએલની હરાજી વિદેશી ધરતી પર યોજાઈ રહી છે. દુબઈ આઈપીએલની હરાજીનું આયોજન કરશે. આ હરાજીમાં કુલ 333 ખેલાડીઓ હશે. આઈપીએલની હરાજીમાં કેટલાય મોટા નામો પર નજર રહેશે, પરંતુ ઉભરતા સ્ટાર્સ રચીન રવિન્દ્ર અને અઝમતુલ્લા ઉમરાઝાઈ પર રૂપિયાનો વરસાદ થઈ શકે છે. આ ખેલાડીઓએ તાજેતરમાં વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આઇપીએલ ઓક્શન લાઇવ કઇ રીતે જોશો ?
ભારતીય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર IPL હરાજીનું જીવંત પ્રસારણ જોઈ શકે છે. જો કે, તમે Disney Plus Hotstar પર IPL ઓક્શનનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો નહીં. ખરેખર, ચાહકો Jio સિનેમા એપ પર હરાજીની લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. આ ઉપરાંત Jio સિનેમાની વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે. ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે હરાજી શરૂ થશે.

પ્રથમ વખત આઈપીએલની હરાજી ભારતની બહાર વિદેશની ધરતી પર યોજાઈ રહી છે. મંગળવારે દુબઈના કોકાકોલા એરેના ખાતે હરાજી યોજાવાની છે.

ખેલાડીઓને રિલીઝ કર્યા બાદ ટીમોની પાસે કેટલા રૂપિયા -

RCB - 40.75 કરોડ
SRH - 34 કરોડ
KKR - 32.7 કરોડ
CSK - 31.4 કરોડ
PBKS - 29.1 કરોડ
DC - 28.95 કરોડ
MI - 15.25 કરોડ
RR - 14.5 કરોડ
LSG - 13.9 કરોડ
GT - 13.85 કરોડ

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 40.75 કરોડનું પર્સ છે. ખરેખરમાં, આ ટીમે 11 ખેલાડીઓને મુક્ત કર્યા હતા. તેમાં જૉશ હેઝલવુડ, વાનિંદુ હસરંગા, હર્ષલ પટેલ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેઈન પાર્નેલ, સોનુ યાદવ, અવિનાશસિંહ, સિદ્ધાર્થ કૌલ અને કેદાર જાધવનો સમાવેશ થાય છે. તે જ સમયે, આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે 34 કરોડ રૂપિયા છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ 32.7 કરોડના પર્સ સાથે હરાજીમાં ઉતરશે. ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનું પર્સ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પાસે અનુક્રમે 31.4 કરોડ, 29.1 કરોડ, 28.95 કરોડ અને 15.25 કરોડ બાકી છે. આ ઉપરાંત રાજસ્થાન રોયલ્સ પાસે 14.5 કરોડ રૂપિયાનું પર્સ છે.

કેમ અચાનક જ હાર્દિક પંડ્યાને મુંબઇનો કેપ્ટન બનાવી દેવાયો ? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

IPL 2024 પહેલા જ એક મોટા સમાચાર સામે આવ્યા અને બધા ચોંકી ગયા, આઇપીએલ 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટો ફેરફાર કરીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. લોકોની નજરમાં આ નિર્ણય ભલે રાતોરાત થઈ ગયો હોય, પરંતુ અંદરનું સત્ય અલગ છે. હાર્દિકને કેપ્ટન બનાવવાની યોજના જૂની હતી. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હાર્દિક પંડ્યા કેપ્ટનશીપની શરતે જ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો હતો. મુંબઈ પરત ફરતા પહેલા હાર્દિક ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો. 'ઈન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરતી વખતે શરત મૂકી હતી કે જ્યારે તેને ટીમની કમાન સોંપવામાં આવશે ત્યારે જ તે MIમાં આવશે. વસ્તુઓ યોજના મુજબ થઈ. પહેલા હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સમાં પુનરાગમન કર્યું અને પછી ગયા શુક્રવારે (15 ડિસેમ્બર) તેને ઓફિશિયલી રીતે રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો, પરંતુ લોકોને બતાવવામાં આવ્યું કે આ નિર્ણય તરત જ લેવામાં આવ્યો છે.

હાર્દિકે મુંબઇથી કરી હતી શરૂઆત, બે વર્ષ રહ્યો ગુજરાતનો કેપ્ટન 
હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. તે 2021 સુધી મુંબઈનો ભાગ રહ્યો. પરંતુ 2022ની મેગા ઓક્શનમાં તેને ગુજરાત ટાઇટન્સે ખરીદીને કેપ્ટન બનાવ્યો હતો. હાર્દિકે તેની કપ્તાની હેઠળ ગુજરાતને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું હતું અને પછી બીજી સિઝનમાં હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ રનર અપ બની હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Advertisement

વિડિઓઝ

Shehbaz Sharif: 'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...',  અસીમ મુનીર બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફે આપી ધમકી
PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીમાં કેમ ખાવા પડે છે ધક્કા?
Navsari News: નવસારીમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માતના બનાવો વધ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી પર વાહન, ઘર ખરીદવા માટે બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો મુહૂર્ત
Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી પર વાહન, ઘર ખરીદવા માટે બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો મુહૂર્ત
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
Embed widget