શોધખોળ કરો

IPL-2022 Qualifier 2: આજે ફાઇનલ માટે રાજસ્થાન રોયલ્સ અને બેગ્લોર વચ્ચે જંગ, જાણો બંન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન ?

IPLના ઈતિહાસમાં આ બંને ટીમો 27 વખત સામ સામે ટકરાઇ છે. જેમાં RCBએ 13 મેચ જીતી છે.

અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનની બીજી ક્વોલિફાયર મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ભૂતપૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. ગત મેચમાં મળેલી હારને ભૂલીને રાજસ્થાન રોયલ્સની ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગશે. જ્યારે છેલ્લી મેચમાં જીત બાદ બેંગ્લોરની ટીમનો ઉત્સાહ ટોચ પર છે.

આરસીબીએ પ્લે ઓફમાં સ્થાન મેળવવા માટે એલિમિનેટરમાં લખનઉને હરાવ્યું હતું. રાજસ્થાનની ટીમ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે હારી ગઈ હતી. લખનઉ સામેની જીત બાદ આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું હતું કે અમદાવાદમાં ફરી રમવા માટે ઉત્સુક છું. અમે અમારા પ્રદર્શનથી ખુશ છીએ અને ખૂબ જ ઉત્સાહિત પણ છીએ.

એલિમિનેટરમાં કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રજત પાટીદાર ફોર્મ જાળવી રાખવા માંગશે. કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પ્રદર્શનમાં સુધારો કરવા માંગશે. RCB માટે 'ફિનિશર'ની ભૂમિકા ભજવી રહેલા દિનેશ કાર્તિક પણ શાનદાર ફોર્મમાં છે.

હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજનું પ્રદર્શન ટીમ માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. જોશ હેઝલવુડે ડેથ ઓવરોમાં સારી બોલિંગ કરી બેગ્લોરને લખનઉ સામે વિજય અપાવ્યો હતો.

બીજી તરફ જોસ બટલર અને સંજુ સેમસન બેગ્લોર માટે પડકાર ઉભો કરી શકે છે. સેમસન સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલવા માંગે છે. અનુભવી ઓફ-સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન ગુજરાત સામે ખરાબ ફોર્મમાં દેખાતો હતો.

IPLના ઈતિહાસમાં આ બંને ટીમો 27 વખત સામ સામે ટકરાઇ છે. જેમાં RCBએ 13 મેચ જીતી છે. બેંગ્લોર સામે રાજસ્થાન રોયલ્સને માત્ર 11 જીત મળી છે. આ સાથે જ છેલ્લી બે સિઝનમાં બેંગ્લોરે રાજસ્થાનને ચાર વખત હરાવ્યું છે. IPL 2022માં પણ આ બંને ટીમો બે વખત આમને સામને આવી છે જેમાં બંને ટીમો 1-1થી જીતી છે.

આરસીબીની સંભવિત પ્લેઇંગ ઇલેવન

વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, શાહબાજ અહમદ, વનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને જોશ હેઝલવુડ

રાજસ્થાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજૂ સૈમસન, દેવદત્ત પડિક્કલ, શિમરોન હેટમેર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝર્વેન્દ્ર ચહલ, ઓબેદ મૈકોય

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
Advertisement

વિડિઓઝ

Sthanik Swaraj Election: પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે પ્રક્રિયાઓ કરી તેજ
Shehbaz Sharif: 'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...',  અસીમ મુનીર બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફે આપી ધમકી
PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીમાં કેમ ખાવા પડે છે ધક્કા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
EPFOના આ નવા નિયમથી વધશે તમારુ ટેન્શન, PFના રૂપિયા ક્રેડિટ થવામાં આવશે સમસ્યા
EPFOના આ નવા નિયમથી વધશે તમારુ ટેન્શન, PFના રૂપિયા ક્રેડિટ થવામાં આવશે સમસ્યા
Embed widget