શોધખોળ કરો

સંજૂ સેમસન બનશે ધોનીનો ઉત્તરાધિકારી, IPL 2026 પહેલા CSK ના હેડ કોચે કર્યું કન્ફર્મ

ક્રિકેટર તરીકે એમએસ ધોનીના આઈપીએલ ભવિષ્ય પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

ક્રિકેટર તરીકે એમએસ ધોનીના આઈપીએલ ભવિષ્ય પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કોચે ધોનીનો ઉત્તરાધિકારી કોણ હશે તે અંગે ખુલાસો કર્યો. નોંધનીય છે કે આઈપીએલ હરાજી પહેલા ફ્રેન્ચાઇઝીએ સંજુ સેમસનને ટ્રેડ કરી તેમની ટીમમાં સામેલ કર્યો હતો.તેના બદલામાં, તેમણે અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને રીલીઝ કર્યો હતો. ફ્લેમિંગે ધોની વગર ટીમ બનાવવાની સંભવના પર ચર્ચા કરી હતી.

શું સેમસન ધોનીનું રિપ્લેસમેન્ટ બનીને આવ્યો ?

એમએસ ધોનીના આઈપીએલ નિવૃત્તિની અફવાઓ 2021 થી ચાલી રહી છે, જોકે તેણે દરેક સીઝન પછી કહ્યું છે કે તે રમવાનું ચાલુ રાખશે. ધોનીએ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને હજુ પણ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. જોકે તેણે સીએસકેની કેપ્ટનશીપ છોડી દીધી છે, તેમ છતાં તેની બેટિંગમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. 2023 માં ઘૂંટણની સર્જરી કરાવ્યા પછી ધોનીની સ્ફૂર્તિમાં પણ ઘટાડો થયો છે.

ઇનસાઇડસ્પોર્ટે ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ ફ્લેમિંગને ટાંકીને કહ્યું, "અમારી પાસે તક હતી,  અમને લાગ્યું કે અમારી ઓપનિંગ બેટિંગ થોડી નબળી છે. અને અમે એ વાત પર પણ વિચારી રહ્યા હતા કે કોઈ સમયે તો અમારે એમએસ ધોનીથી આગળ વધવું પડશે."

એમએસ ધોની પણ જાણે છે કે ક્રિકેટર તરીકે તેની આઈપીએલ કારકિર્દી લાંબી નથી. હાલમાં 44 વર્ષનો ધોની આગામી વર્ષની ટુર્નામેન્ટ માટે શારીરિક અને માનસિક રીતે પોતાને તૈયાર કરી રહ્યો છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા, જે તેની સાથે સીએસકેમાં રમ્યો હતો તે પણ માને છે કે એમએસ ધોની આઈપીએલ 2026 પછી નિવૃત્તિ લેશે. તેમનું માનવું છે કે આ એટલા માટે છે કારણ કે ટીમ હવે અનુભવી ખેલાડીઓ કરતાં યુવા ખેલાડીઓને પ્રાથમિકતા આપી રહી છે. સીએસકેએ આઈપીએલ 2026 માટે બે અનકેપ્ડ ખેલાડીઓને ₹28.4 કરોડમાં ખરીદ્યા: કાર્તિક શર્મા (14.2 કરોડ રૂપિયા) અને પ્રશાંત વીર (14.2 કરોડ રૂપિયા). 

ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ

ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, એમએસ ધોની, સંજૂ સેમસન, ડેવાલ્ડ બ્રેવિસ, ઉર્વીલ પટેલ, શિવમ દુબે, જેમી ઓવરટન, રામકૃષ્ણ ઘોષ, નૂર અહમદ, ખલીલ અહમદ, અંશુલ કંબોજ, ગુરજપનીત સિંહ, શ્રેયસ ગોપાલ, મુકેશ ચૌધરી, નાથન એલિસ, અકીલ હોસેન, પ્રશાંત વીર, કાર્તિક શર્મા, મૈથ્યૂ શોર્ટ, અમન ખાન, સરફરાજ ખાન, મેટ હેનરી, રાહુલ ચહર, જૈક ફોલ્કેસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget