શોધખોળ કરો

'હું તૂટી ગયો છું, મારી પાસે કહેવા માટે શબ્દો નથી....', બેંગલુરુ દુર્ઘટના પર કોહલીએ શું કહ્યુ?

RCB Victory Parade Stampede: બેંગલુરુમાં બુધવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા છે.

RCB Victory Parade Stampede:  બેંગલુરુમાં બુધવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના  અંગે આરસીબીના બેટ્સમેન વિરાટ કોહલીની પ્રતિક્રિયા સામે આવી છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે આ ઘટના બાદ હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો છું અને મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નથી.

આ ભાગદોડ પર આરસીબીએ શું કહ્યું

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

આરસીબીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું, 'આજે બપોરે બેંગલુરુમાં ટીમની રાહ જોઈ રહેલા લોકોની ભીડ વિશે મીડિયા રિપોર્ટ્સ દ્વારા પ્રકાશમાં આવેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓથી અમે ખૂબ જ દુઃખી છીએ. દરેકની સલામતી અને સુખાકારી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આરસીબી દુ:ખદ મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. પરિસ્થિતિની જાણ થતાં જ અમે તાત્કાલિક અમારું શિડ્યુલ બદલ્યું હતું. સ્થાનિક વહીવટીતંત્રના માર્ગદર્શન અને સલાહનું પાલન કર્યું. અમે અમારા તમામ સમર્થકોને આગ્રહ કરીએ છીએ કે સુરક્ષિત રહો.

સીએમ સિદ્ધારમૈયાએ શું કહ્યું

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ માટે ક્રિકેટ એસોસિએશનને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે ભાજપના પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું કે મહાકુંભ દરમિયાન પણ ભાગદોડ થઈ હતી. આવી ઘટનાઓ પર રાજકારણ ન કરવું જોઈએ. મુખ્યમંત્રીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના આઇપીએલ ચેમ્પિયન બનવાની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડને 'અપ્રત્યાક્ષિત દુર્ઘટના' ગણાવી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા અને ઘણા ઘાયલ થયા હતા. આ ઘટનાની માહિતી આપતા મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું, 'સરકાર અને ક્રિકેટ એસોસિએશન દ્વારા વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈએ આવી દુર્ઘટનાની કલ્પના પણ નહોતી કરી. પરંતુ 35 હજારની ક્ષમતાવાળા સ્ટેડિયમની બહાર 3-4 લાખ લોકોની ભીડ એકઠી થઈ હતી.'

આ દરમિયાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી. તેમણે એમ પણ કહ્યું કે તમામ ઘાયલોની મફત સારવાર કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે સ્ટેડિયમમાં નાના દરવાજા હતા. લોકો દરવાજામાંથી પ્રવેશ્યા અને દરવાજા તોડી નાખ્યા. પછી ભાગદોડ મચી ગઈ હતી. કોઈને પણ તેની અપેક્ષા નહોતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
RCB એ IPL 2026 નો ખિતાબ જીત્યો, ફાઇનલમાં ગુજરાતને હરાવીને સતત બીજી ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો
RCB એ IPL 2026 નો ખિતાબ જીત્યો, ફાઇનલમાં ગુજરાતને હરાવીને સતત બીજી ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો
IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ
IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
Embed widget