મુંબઇઃ ઇંગ્લેંડ સામે રમાનાર પ્રથમ બે ટેસ્ટ મેચ માટેનું સિલેક્શન બુધવારે મુંબઇ ખાતે કરવામાં આવ્યું હતું. ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સીરિઝણાં ગૌતમ ગંભીરનો સમાવેશ કવરામાં આવ્યો છે. જ્યારે યુવરાજ સિંહને પડતો મુકવામાં આવ્યો છે. ગૌતમ ગંભીરે ડૉમેસ્ટિક ક્રિકેટમાં 147 રન ફટકાર્યા હતા તેના સારા ફોર્મને જોતા તેની પસંદગી કરવામાં આવી છે. તો બીજી તરફ યુવરાજ સિંહે પણ ઘરેલું ક્રિકેટમાં સારુ પ્રદર્શન કર્યું હતું જેના લીધે બંને ખેલાડી વચ્ચે હરિફાઇ જામી હતી.
ભારત અને ઇંગ્લેંડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સીરિઝ રમાશે જમાથી બે ટેસ્ટ મેચ માટે ટીમની પસંદગી કવરામાં આવી છે. આ ટેસ્ટ સીરિઝમાં હાર્દિક પંડ્યા અને કરૂણ નાયરનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચ રાજકોટમાં 9 નવેમ્બરના રોજ રમાશે. ગુજરાતમાંથી ચેતેશ્વર પૂજાર, રવિંદ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાનો સાવેશ કવરામાં આવ્યો છે.