શોધખોળ કરો

‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ક્રિકેટના પ્રથમ ટ્રાયલમાં જ મને....

સચિન તેંડુલકરે જણાવ્યું કે તેમની સફળતા માટે તેમના પરિવાર તથા તેમના ગુરુ આચરેકર સરનું ઘણું મોટું યોગદાન રહ્યું છે.

મુંબઈ: ભારતના મહાન બેટ્સમેન સચિન તેંદુલકરે શુક્રવારે ખુલાસો કર્યો કે, પહેલા સિલેક્શન ટ્રાયલ દરમિયાન તેની પસંદગી નહોંતી કરાઈ, જેણે તેમને પોતાની રમત પર વધુ કડક મહેનત કરવા માટે પ્રેરણા આપી. તેંદુલકરે મરાઠીમાં લક્ષ્મણરાવ દુરે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કહ્યું કે, ‘જ્યારે હું વિદ્યાર્થી હતો, તો મારા મગજમાં માત્ર એક જ બાબત હતી, ભારત માટે રમવું. મારી યાત્રા 11 વર્ષની ઉંમરમાં શરૂ થઈ હતી.’ સચિન તેંડુલકરે જણાવ્યું કે તેમની સફળતા માટે તેમના પરિવાર તથા તેમના ગુરુ આચરેકર સરનું ઘણું મોટું યોગદાન રહ્યું છે. સચિને જણાવ્યું હતું કે તેમને હજુ પણ યાદ છે કે જ્યારે તેઓ પ્રથમ સિલેક્શન ટ્રાયલ્સ માટે ગયા હતા ત્યારે પસંદગીકારોએ તેમને રિજેક્ટ કરીને પસંદ કર્યા નહોતા. તેમણે સચિનને વધારે મહેનત કરીને રમતમાં સુધારો કરવાની સલાહ આપી હતી. તે સમયે સચિન ખૂબજ નિરાશ થઈ ગયા હતા. ‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ક્રિકેટના પ્રથમ ટ્રાયલમાં જ મને.... સચિને કહ્યું કે, ‘એ સમયે હું નિરાશ હતો, કેમકે મને લાગ્યું કે, હું સારી બેટિંગ કરતો હતો, પરંતુ પરિણામ આશા મુજબ ન હતું અને મારું સિલેક્શન ન કરાયું.’ સચિને વધુમાં જણાવ્યું કે, ‘તે પછી મારું ધ્યાન, પ્રતિબદ્ધતા અને વધુ મહેનત કરવાની ક્ષમતા વધી ગઈ. જો તમે તમારા સપનાને સાકાર કરવા ઈચ્છો છો તો ‘શોર્ટ-કટ’થી મદદ નથી મળતી.’ તેમણે ટેસ્ટમાં 15,921 અને વન-ડેમાં 18,426 રન બનાવ્યા છે. સચિને એમ પણ જણાવ્યું હતું કે ક્રિકેટમાં તેમની સફળતા માટે તેઓ તેમના પરિવારના હંમેશાં ઋણી રહીશે. તેમની મોટી બહેને તેમને ઘણું સમર્થન આપ્યું હતું અને તેણે જ સચિનને જીવનનું સૌથી પહેલું ક્રિકેટનું બેટ ભેટ આપ્યું હતું. લગ્ન બાદ પત્ની અંજલિએ પણ ઘણું યોગદાન આપ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
MI મોટો ધડાકો કરશે! હાર્દિક પંડ્યા સહિત આ ૫ સ્ટાર ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર?
MI મોટો ધડાકો કરશે! હાર્દિક પંડ્યા સહિત આ ૫ સ્ટાર ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર?
ભારત-પાકિસ્તાન સહિત 2028 ટી20 વર્લ્ડ કપ માટે 9 ટીમોએ કર્યું ક્વોલિફાય, હવે માત્ર આટલા સ્પોટ બાકી
ભારત-પાકિસ્તાન સહિત 2028 ટી20 વર્લ્ડ કપ માટે 9 ટીમોએ કર્યું ક્વોલિફાય, હવે માત્ર આટલા સ્પોટ બાકી
IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11; વૈભવ સૂર્યવંશીને મળશે તક?
IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11; વૈભવ સૂર્યવંશીને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : RMCનો 22 લાખનો વીડિયો, નાસ્તાનો ફોટો
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કથળશે કોંગ્રેસ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીવનું જોખમ ?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
Embed widget