જ્યારે ટીમ ઇન્ડિયા ફીલ્ડિંગ માટે ઉતરી ત્યારે યુવરાજે પોતાની ભૂલ સુધારી લીધી અને યોગ્ય જર્સી પહેરી. જણાવીએ કે યુવરાજ આ સીરીઝમાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે. પહેલા બે વનડે મેચમાં તેણે ક્રમશઃ માત્ર 4 અને 14 રન જ બનાવ્યા છે.
2/3
મેચમાં જ્યારે હાર્દિક પંડ્યાની વિેકેટ પડી તો યુવરાજ મેદાન પર આવ્યા. પરંતુ તે જૂની જર્સી પહેરીને આવ્યા હતા. આ વાત એટલા માટે હેરાન કરી મુકે એવી હતી કારણ કે ટીમ મેનેજમેન્ટ દરેક પ્રવાસ માટે ખેલાડીઓને નવી જર્સી આપે ચે. પ્લેયર્સ પણ ભાગ્યે જ નવી ટૂર પર જૂની જર્સી પહેરતા હોય છે. જોકે એ જાણવા મળ્યું નથી કે આ ભૂલ તેણે જાણીજોઈને કરી હતી કે ભૂલથી થઈ ગઈ હતી.
3/3
નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડીઝમાં ચાલતી વનડે સીરીઝના બીજા વનડે મેચમાં ભારતે સરળતાથી વેસ્ટઇન્ડીઝને હરાવ્યં. ભારતે આ મેચ 105 રને જીતી. જોકે મેચ દરમિયાન એક અજીવ ઘટના જોવા મળી. જ્યારે બેટિંગ કરવા યુવરાજ સિંહ આવ્યા ત્યારે તેણે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીશર્ટ પહેરી હતી. જોકે વેસ્ટઇન્ડીઝ માટે અલગથી ડ્રેસ હતો.