શોધખોળ કરો

શું Laptop થી Phone ચાર્જ કરવો જોઈએ? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન

Tech Tips: જો તમારું લેપટોપ અને ચાર્જિંગ કેબલ સારી કન્ડીશનમાં છે તો લેપટોપથી ફોન ચાર્જ કરવો સામાન્ય રીતે સેફ જ માનવામાં આવે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • લેપટોપથી ફોન ચાર્જિંગ સલામત, પરંતુ ગતિ ધીમી હોય.
  • અજાણ્યા લેપટોપથી ડેટા ચોરીનો ખતરો, 'ચાર્જ ઓન્લી' મોડ.
  • લેપટોપ બેટરી ઝડપથી ઘટશે, ઇમરજન્સીમાં જ ઉપયોગ કરવો.

Tech Tips: લેપટોપનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. ઓફિસથી લઈને એન્ટરટેઈનમેન્ટ સુધી લેપટોપનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યાં સુધી કે બાળકોનો અભ્યાસ પણ આજે લેપટોપ દ્વારા થઈ રહ્યો છે. એવામાં ઘણી વાર જોવામાં આવ્યું છે કે લોકો લેપટોપના USB પોર્ટમાં સ્માર્ટફોન ચાર્જ કરવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું યોગ્ય છે કે નહીં? ચાલો જાણીએ તેની પાછળનું સત્ય.

 

શું Laptop થી Phone ચાર્જ કરવો સેફ છે?

જો તમારું લેપટોપ અને ચાર્જિંગ કેબલ સારી કન્ડીશનમાં છે તો લેપટોપથી ફોન ચાર્જ કરવો નોર્મલી સેફ જ માનવામાં આવે છે. હકીકતમાં, USB પોર્ટ એક નોર્મલ પાવર સપ્લાય આપે છે જેથી ફોન ચાર્જ થઈ શકે. જોકે, આનાથી તમારો ફોન ચાર્જ થવામાં ઘણો સમય લાગી શકે છે.

આ પણ વાંચો...iPhone 18 ના ફીચર્સ લીક: A20 ચિપ, 12GB RAM અને લોન્ચ તારીખ વિશે મોટો ખુલાસો

આજના એડવાન્સ સ્માર્ટફોનમાં એવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે જે ઓવરચાર્જિંગ કે વધારે કરંટથી ડિવાઇસને બચાવે છે. જોકે, લેપટોપથી ચાર્જિંગની સ્પીડ ઘણીવાર વોલ ચાર્જરની સરખામણીમાં ખૂબ ઓછી હોય છે. એનું કારણ એ છે કે મોટાભાગના USB પોર્ટ ઓછો પાવર આઉટપુટ આપે છે.

એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન

  • પરંતુ લેપટોપથી સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે તમારી એક ભૂલ પણ તમારા માટે મોટી મુસીબત બની શકે છે. સૌથી મોટી ભૂલ કોઈ અજાણ્યા કે બીજાના લેપટોપથી ફોન ચાર્જ કરવાની હોય છે.
  • આવા સિસ્ટમથી ડેટા ચોરી કે મેલવેરનો ખતરો થઈ શકે છે. જ્યારે તમે ફોનને USB દ્વારા કોઈ કોમ્પ્યુટરથી કનેક્ટ કરો છો ત્યારે માત્ર ચાર્જિંગ જ નહીં પરંતુ ડેટા ટ્રાન્સફરનો રસ્તો પણ ખુલી શકે છે.
  • જો ભૂલથી ફોનમાં File Transfer કે Data Transfer મોડ ઓન થઈ જાય તો તમારી પર્સનલ માહિતી પણ જોખમમાં મુકાઈ શકે છે. તેથી હંમેશા ભરોસાપાત્ર લેપટોપનો જ ઉપયોગ કરવો જોઈએ અને જરૂર પડે ત્યારે ફોનમાં Charge Only મોડ ઓન રાખવો જોઈએ.

કેમ થાય છે સ્લો ચાર્જિંગ?

જો તમે અનુભવ્યું હોય કે લેપટોપથી ફોન ચાર્જ થવામાં વધારે સમય લાગે છે તો એના કેટલાક કારણો હોઈ શકે છે:

  • USB 2.0 પોર્ટ ઓછો પાવર આપે છે.
  • જૂનું લેપટોપ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતું નથી.
  • ખરાબ કે લો ક્વોલિટી વાળી USB કેબલ.
  • ચાર્જિંગ દરમિયાન ફોનનો સતત ઉપયોગ.

જો તમારા લેપટોપમાં USB-C Power Delivery (PD) સપોર્ટ છે તો ઘણીવાર ફોન ફાસ્ટ ચાર્જ પણ થઈ શકે છે.

શું લેપટોપની બેટરી પર અસર પડે છે?

  • જો તમે તમારા લેપટોપથી સ્માર્ટફોન ચાર્જ કરી રહ્યા છો તો સ્વાભાવિક છે કે લેપટોપની બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થવા લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ફોન ચાર્જ કરવા માટે એક્સ્ટ્રા પાવર સપ્લાયની જરૂર પડે છે.
  • જો લેપટોપ ચાર્જર સાથે જોડાયેલું હોય તો સામાન્ય રીતે આવી કોઈ મોટી સમસ્યા થતી નથી. પરંતુ જો લાંબા સમય સુધી એકસાથે ઘણા ડિવાઇસ ચાર્જ કરવામાં આવે તો સિસ્ટમ ખરાબ થઈ શકે છે.

આ વાતોનું ખાસ ધ્યાન રાખો

જો તમે પણ તમારા લેપટોપથી ફોન ચાર્જ કરો છો તો કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખવું જોઈએ:

  • હંમેશા ઓરિજિનલ કે સારી ક્વોલિટીની USB કેબલનો જ ઉપયોગ કરવો.
  • કોઈ પણ બીજા કે અજાણ્યા કોમ્પ્યુટરથી ફોન ચાર્જ કરવાનું ટાળવું.
  • ફોનમાં Charge Only મોડ ઓન રાખવો.
  • ચાર્જિંગ દરમિયાન ઓનલાઇન ગેમ કે વિડીયો એડિટિંગ જેવા કામ ન કરવા.
  • જો USB પોર્ટ ઢીલો કે ખરાબ હોય તો તેનો ઉપયોગ ન કરવો.
  • લેપટોપ જરૂર કરતા વધારે ગરમ થઈ રહ્યું હોય તો ચાર્જિંગ બંધ કરી દેવું.

ક્યારે કરવો જોઈએ Charger નો ઉપયોગ?

જો તમારે ઝડપી ચાર્જિંગ જોઈએ છે અથવા તમારો ફોન ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે તો ઓરિજિનલ ચાર્જર સૌથી શ્રેષ્ઠ ઓપ્શન છે. લેપટોપથી ફોન હંમેશા ઈમરજન્સીની સ્થિતિમાં જ ચાર્જ કરવો જોઈએ. તેનાથી લેપટોપની લાઈફ સચવાઈ રહે છે.

Frequently Asked Questions

શું લેપટોપથી ફોન ચાર્જ કરવો સુરક્ષિત છે?

હા, જો લેપટોપ અને કેબલ સારા હોય તો સામાન્ય રીતે સુરક્ષિત છે. જોકે, USB પોર્ટ ઓછો પાવર આપતો હોવાથી ફોન ચાર્જ થવામાં ઘણો સમય લાગી શકે છે.

અજાણ્યા લેપટોપથી ફોન ચાર્જ કરવાના જોખમો શું છે?

અજાણ્યા લેપટોપથી ફોન ચાર્જ કરવાથી ડેટા ચોરી કે મેલવેરનો ખતરો રહે છે. જો ભૂલથી ડેટા ટ્રાન્સફર મોડ ઓન થાય તો તમારી પર્સનલ માહિતી જોખમમાં મુકાઈ શકે છે.

લેપટોપથી ફોન ધીમો કેમ ચાર્જ થાય છે?

લેપટોપના USB પોર્ટ સામાન્ય રીતે ઓછો પાવર આઉટપુટ આપે છે, ખાસ કરીને USB 2.0 પોર્ટ. જૂના લેપટોપ અને ખરાબ USB કેબલ પણ ધીમા ચાર્જિંગનું કારણ બની શકે છે.

લેપટોપથી ફોન ચાર્જ કરવાથી તેની બેટરી પર શું અસર થાય છે?

ફોન ચાર્જ કરવાથી લેપટોપની બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થાય છે કારણ કે ફોનને વધારાના પાવર સપ્લાયની જરૂર પડે છે. લાંબા સમય સુધી ઘણા ડિવાઇસ ચાર્જ કરવાથી સિસ્ટમ ખરાબ થઈ શકે છે.

ફોન ચાર્જ કરવા માટે ક્યારે વોલ ચાર્જરનો ઉપયોગ કરવો જોઈએ?

જો તમને ઝડપી ચાર્જિંગ જોઈતું હોય અથવા તમારો ફોન ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતો હોય, તો ઓરિજિનલ વોલ ચાર્જર શ્રેષ્ઠ વિકલ્પ છે. લેપટોપથી ફોન ફક્ત ઇમરજન્સીમાં જ ચાર્જ કરવો જોઈએ.

Advertisement

ટોપ સ્ટોરી

Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Embed widget