શોધખોળ કરો
વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના કામ પર સ્ટે મૂકી દેવાયો, NGTએ કેમ લીધો આવો નિર્ણય, જાણો
1/5

આટલું નહીં પણ કામગીરીથી ખેડૂતોની ખેતીલાયક જમીનો છીનવાઇ જવા સાથે ખેતી અને કુદરતી સંપત્તિઓને પણ મોટી નુકસાની પહોંચવા બાબતે ખોટું કરાતું હોય રીતની ગંભીર વાતે ગ્રીન ટ્રીબ્યુનલમાં થયેલી ફરિયાદથી કોર્ટનું ધ્યાન દોરતા કોર્ટે ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઇવે ની કામગીરી પર આગામી તારીખ 29-11- 2016 સુધી સ્ટે આપ્યો છે આટલુંજ નહીં પણ નેશનલ હાઇવે ઓથોરિટી ને તમામ કામગીરી રોકી દેવા નો પણ આદેશ કર્યો છે. ત્યારે આગામી 29-11-2016ના રોજ હવે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અંતિમ નિર્ણય કરશે જેમાં એક્સપ્રેસ હાઈવેની કામગીરી યથાવત રાખવી કે મંજૂરી રદ કરવી તે નક્કી કરાશે.
2/5

268 કિલોમીટર લાંબો અને 120 મીટર પહોળો મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઇવે બનાવવામાં અંદાજિત 3500 હેકટરથી વધુ ખેતીલાયક જમીન કામે લેવાશે ત્યારે એક્સપ્રેસ હાઈવેની કામગીરીમાં સુરત, ભરૂચ, નવસારી, વડોદરા અને વલસાડ આમ પાંચ જીલ્લાના 800 થી પણ વધુ ખેડૂતોને આની સીધી અસર પહોંચશે. ચોંકાવનારી બાબત મુજબ મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવે બનાવવાની મંજૂરી મેળવવા માટે સરકારે ખોટું ચલાવવાની બાબતે કામગીરીથી સંપાદન કરેલી જમીન પરથી 30,000 જેટલા વૃક્ષો કપાશે એવું એક એફિડેવિટ રજૂ કરેલ જ્યારે હકીકત એ છે કે, નેશનલ હાઈવેની કામગીરીમાં 7 લાખથી વધુ ઝાડનું નિકંદન કરવામાં આવે તેમ છે.
Published at : 08 Nov 2016 10:34 AM (IST)
View More





















