![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM Kisan Yojana: શું બીજાના ખેતરમાં ખેતી કરીને ઉઠાવી શકાય છે પીએમ કિસાન યોજનાનો લાભ ? જાણો જવાબ
PM Kisan Schme: પીએમ કિસાન યોજના હેઠળ ફક્ત એવા ખેડૂતો જ અરજી કરી શકે છે જેઓ રજીસ્ટર્ડ જમીન પર ખેતી કરી રહ્યા છે. આ સાથે જે ખેડૂતો આવકવેરો ભરે છે તેઓ આમાં અરજી કરી શકશે નહીં.
![PM Kisan Yojana: શું બીજાના ખેતરમાં ખેતી કરીને ઉઠાવી શકાય છે પીએમ કિસાન યોજનાનો લાભ ? જાણો જવાબ Can the benefits of PM Kisan Yojana be reaped by farming in other's fields? PM Kisan Yojana: શું બીજાના ખેતરમાં ખેતી કરીને ઉઠાવી શકાય છે પીએમ કિસાન યોજનાનો લાભ ? જાણો જવાબ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/21/72970749d1bcb217bcdfdce4203d5ebc1684656325678666_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Kisan Yojana: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે. આ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને મળેલી રકમ સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. આ અંતર્ગત ખેડૂતોને બે હજારના ત્રણ હપ્તામાં 6000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. પીએમ કિસાન યોજના હેઠળ ફક્ત એવા ખેડૂતો જ અરજી કરી શકે છે જેઓ રજીસ્ટર્ડ જમીન પર ખેતી કરી રહ્યા છે. આ સાથે જે ખેડૂતો આવકવેરો ભરે છે તેઓ આમાં અરજી કરી શકશે નહીં. આ યોજનાનો લાભ લેવાને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે.
શું બીજાની જમીન પર ખેતી કરનારાઓને લાભ મળશે?
જો કોઈ ખેડૂત ખેતી કરે છે અને તે ફાર્મ તેના માતા-પિતાના નામે નોંધાયેલ છે, તો આવી સ્થિતિમાં તેને આ યોજનાનો લાભ નહીં મળે. આ યોજનાનો લાભ તે ખેડૂતો જ મેળવી શકે છે, જેમના નામે ખેતીની જમીન નોંધાયેલી છે. આ સિવાય જો તમને તમારા પૂર્વજો પાસેથી મળેલી જમીન તમારા નામે નોંધાયેલી હોય તો આ યોજનાનો લાભ લઈ શકાય છે. દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેમની પાસે પોતાની જમીન નથી અને તેઓ બીજાની જમીન પર ખેતી કરે છે. આવી સ્થિતિમાં તેમને આ યોજનાનો લાભ નહીં મળે.
પૈતૃક જમીન પર પણ લાભ નહીં મળે
અત્રે નોંધનીય છે કે જો કોઈ ખેડૂતની જમીન તેના પૂર્વજોના નામે અથવા તેના માતા-પિતાના નામે હોય તો આવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકતા નથી. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓના ખાતામાં અત્યાર સુધીમાં 13 હપ્તા મોકલવામાં આવ્યા છે અને હવે આ ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ હપ્તો 26 થી 31 મે સુધી ગમે ત્યારે રિલીઝ થઈ શકે છે.
જો તમને હજુ પણ પીએમ કિસાન યોજનાના હપ્તા મેળવવામાં સમસ્યા આવી રહી છે, તો તમે કારણ અને ઉકેલ જાણવા માટે કૃષિ વિભાગની ઓફિસનો સંપર્ક કરી શકો છો. જો તમે કોઈપણ કારણસર સરકારી કચેરીઓમાં જઈ શકતા નથી, તો તમે તમારી સમસ્યાઓ પીએમ કિસાન યોજનાના સત્તાવાર મેઈલ pmkisan-ict@gov.in પર મોકલી શકો છો.
આ સિવાય સરકારે ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર- 1800-115-5266 અથવા 155261 પણ જારી કર્યા છે. ખેડૂતો ટોલ ફ્રી નંબર 011-24300606, 23382401, 23381092 પર પણ કોલ કરી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)