અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની 8 ઓગસ્ટે યોજાનારી ચૂંટણી માટે અહમદ પટેલ અને બળવંતસિંહ રાજપૂત વચ્ચે જોરદાર ટક્કર છે ત્યારે કોંગ્રેસના 15 ધારાસભ્યો એવા છે કે અહમદ પટેલનો ખેલ બગાડી શકે છે. આ ચૂંટણીમાં આ 15 ધારાસભ્યો અહમદ પટેલની વિરૂધ્ધ મતદાન કરીને અહમદ પટેલને હરાવી શકે છે.
13/18
બીજી રીતે પણ આ 15 ધારાસભ્યો અહમદ પટેલને હરાવી શકે. આ ચૂંટણીમાં 'નોટા'નો ઉપયોગ કરવાની ધારાસભ્યોને છૂટ છે. આ સંજોગોમાં આ ધારાસભ્યો કોઈને મત ના આપે એવું બને. કોંગ્રેસ પાસે અત્યારે 44 ધારાસભ્યો છે ને બીજા 4નો ટેકો છે તેવો દાવો કરાય છે. આ સંજોગોમાં કોંગ્રેસની પાસે હાલમાં 48 ધારાસભ્યોનો ટેકો છે.
14/18
આ 15 ધારાસભ્યો 'નોટા'નો ઉપયોગ કરે તો કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને 33 મત મળે ને અહમદ પટેલ હારી જાય. આ તમામ ધારાસભ્યો શંકરસિંહ વાઘેલાના ચુસ્ત સમર્થક છે તેથી અહમદ પટેલ માટે ખતરો છે. અહમદ પટેલ માટે ખતરારૂપ આ 15 ધારાસભ્યો કોણ છે તે જાણો.