અમદાવાદઃ શહેરના જમાલપુરમાં રહેતા ત્રણ યુવકો ખેડાથી કારમાં પરત આવી રહ્યા હતા, ત્યારે તેમને બારેજા પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બે મિત્રોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. નોંધનીય છે કે, ત્રણેય મિત્રો ખેડાથી પરત ફરી રહ્યા હતા, ત્યારે કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. જેને કારણે કારમાં બેઠેલા બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એકની હાલત હજુ ગંભીર છે.