શોધખોળ કરો
હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે પહેલીવાર બોલી સરકાર, જાણો હાર્દિક સામે શું કર્યા આક્ષેપો?

1/5

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર બંધારણના નિયમો અનુસાર જે કંઈ પણ થશે તે મદદ કરવા તૈયાર છે. કોઈ પણ વ્યક્તિ રાજ્ય સરકાર સમક્ષ સમસ્યાનો ઉકેલ લઈ આવી શકે છે. સરકારે મગફળી, તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરી હતી. જ્યારે આવનારા દિવસોમાં ખેડૂતોની આવક વધારવા સરકાર પ્રયત્નશિલ રહેશે. આ ઉપરાંત ખેડૂતોને પાણી પહોંચાડવા સરકારે અનેક પ્રયત્નો કર્યા છે.
2/5

સૌરભ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે જે લોકો હાર્દિકને મળવા જઈ રહ્યા છે અને જે લોકો તેને સમર્થન આપી રહ્યા છે તે તમામ લોકો ભાજપના વિરોધીઓ તથા મોટા ભાગના કોંગ્રેસીઓ જ છે. પાટીદાર આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. આજે પણ કોંગ્રેસના લોકો હાર્દિક પટેલને સલાહ આપી રહ્યા છે. પાટીદાર સમાજ સમજુ છે. આ ઉપરાંત સૌરભ પટેલ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતાં. કોંગ્રેસ ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રયત્નો કરશે.
3/5

અમદાવાદ: હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસનો આજે 11મો દિવસ છે. આ 11 દિવસમાં ભાજપ સરકાર તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. પરંતુ અચાનક જ ગુજરાત સરકાર તરફથી ઉર્જામંત્રી સૌરભ પટેલે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
4/5

સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક યોજના બનાવી ચૂકી છે. હાર્દિકનું આ આંદોલન સંપૂર્ણ રીતે રાજકીય છે અને રાજકીય રીતે તેનું નિવારણ લાવવામાં આવશે. ત્યારે હાર્દિક પટેલની ચિંતા સરકાર કરી રહી છે.
5/5

હાર્દિક પટેલના ઉપવાસને લઈને ગુજરાત સરકારનું પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. જેમાં ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ડોક્ટર્સની સલાહ લેવી જોઈએ અને તપાસ કરવા દેવી જોઈએ. જોકે હાર્દિક ડોક્ટર્સને સહકાર આપતો નથી. હાર્દિકની તબીયત અંગે રાજ્ય સરકાર ચિંતીત છે અને તેની વ્યવસ્થા માટે સરકાર ડોક્ટરની ટીમ તૈનાત કરવામાં આવી છે.
Published at : 04 Sep 2018 12:53 PM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
રાજકોટ
ગુજરાત
Advertisement