શોધખોળ કરો
પાલડી અને એલિસબ્રિજની સોસાયટીઓમાં લાલ ચોકડીનાં નિશાન લાગતાં ફફડાટ, જાણો કેમ લગાવાઈ આવી ચોકડી?
1/6

વિસ્તારમાં રહેતા હિંદુ પરિવારોએ પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું હતું કે અહીં બંને કોમના લોકો વર્ષોથી શાંતિ અને ભાઈચારા સાથે રહે છે. અમને ક્યારેય મોડી રાતે પણ ઘરના બહાર નીકળવામાં ડર લાગતો નથી. વિસ્તારમાં રહેતા અન્ય એક રહેવાસી ઝફર સુરેશવાલાએ કહ્યું હતું કે ‘મોદી સાહેબ સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે પરંતુ 2002 બાદની કોઈપણ ચૂંટણીમાં આટલું નફરતનું કેમ્પેઇન કરવામાં આવ્યું નથી. તો શું એવું માનીએ કે આ ભાજપ મોદી સાહેબની સાથે નથી?’
2/6

જોકે આ મુદ્દે અમદાવાદ કોર્પોરેશનના બે વિરોધાભાસી વિધાન બાદ મામલો વધુ ગુંચવાયો હોય તેવું લાગી રહ્યું છે. આરોગ્ય અધિકારી નીતિન પ્રજાપતીએ જણાવ્યું હતું કે, માર્ક સેનિટેશન અધિકારીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. જ્યારે મ્યુનિયિપલ કમિશ્નર મુકેશ કુમારે જણાવ્યું હતું કે જે માર્ક વિસ્તારમાં જોવા મળ્યાં છે તે કોર્પોરેશનના કર્મચારીઓએ લગાવેલા માર્ક કરતા જૂદા છે. જ્યારે પોલીસ કમિશ્નર એ.કે. સિંહે જણાવ્યું હતું કે લાલ ચોકડી સેનિટેશન વિભાગ દ્વારા જ લગાવવામાં આવી છે. તેમ છતાં આ મામલે ખાસ પોલીસ કમિશ્નર કે.એલ.એન. રાવની આગેવાનીમાં તપાસ કરવામાં આવશે.
Published at : 14 Nov 2017 02:49 PM (IST)
View More























