શોધખોળ કરો
પાટીદાર અનામત મુદ્દે સરકાર-પાસની મંત્રણા સામે એસપીજીને પડ્યું શું વાંકું? કઈ રીતે કર્યો વિરોધ?
1/6

બીજી તરફ પાસના કન્વીનર વરુણ પટેલે આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સરકારે અગાઉ એસપીજીની રજૂઆતો સાંભળી છે. આથી બની શકે કે, તેમને આમંત્રણ ન આપવામાં આવ્યું હોય. તેમણે કહ્યું હતું કે, હાર્દિક પટેલની આગેવાનીમાં મંત્રણા માટેની ટીમ નક્કી કરવામાં આવી છે. જેઓ સરકાર સાથે અનામતના મુદ્દે કરવા જવાના છે. તેમણે અત્યારે આ મુદ્દે કોઈ વિરોધ ન કરવો જોઇએ, તેમ પણ કહ્યું હતું.
2/6

આ મીટિંગ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકાર વતી હું અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાસની ટીમ સાથે ચર્ચા કરવાના છે. અગાઉ તેમણે મુખ્યમંત્રીને પત્રથી રજૂઆત કરવામાં આવી છે. જાહેરસભામાં પણ તેમની માંગણી મૂકવામાં આવી છે. તેમના તરફથી કયા કયા મુદ્દાઓ મુકવામાં આવે છે, તે જોવાનું છે. આ અંગે કાયદાકીય રીતે અને વ્યહવારીક રીતે જે શક્ય હશે, તે કરીશું.
Published at : 01 Dec 2016 10:01 AM (IST)
View More





















