વિશ્વ હિન્દુ પરિષદનાં સૂત્રો પાસેથી મળતી આધારભૂત વિગતો પ્રમાણે પ્રવિણ તોગડિયા સવારે 11 વાગે પત્રકાર પરિષદને સંબોધશે. આ પત્રકાર પરિષદમાં સમગ્ર ઘટનાક્રમ પરથી તોગડિયા પોતે પડદો ઉંચકશે અને એ વખતે કપૂરિયાની ભૂમિકા અંગે પણ તે બોલશે એવું મનાય છે.
2/5
ધીરૂભાઈ કપૂરિયા છેલ્લા બે દાયકાથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા છે અને પ્રવિણ તોગડિયાની અત્યંત નજીક મનાય છે. તોગડિયા અમદાવાદમાં હોય ત્યારે સતત તેમની સાથે જોવા મળતા કપૂરિયા હાલમાં ગાયબ થઈ જતાં તોગડિયા ગાયબ થયા એ મામલે રહસ્ય ઘેરૂં બન્યું છે.
3/5
આ દાઢીવાળો માણસ અન્ય કોઈ નહિં પણ ધીરૂ કપૂરિયા હોવાનું તોગડિયાએ જણાવ્યું હતું. આ ધીરૂ કપૂરિયા વિશ્વ હિંદૂ પરિષદની ઓફિસમાં કાર્યાલય ઈન્ચાર્જ છે અને વિહિપમાં મહામંત્રી છે. રસપ્રદ વાત એ છે કે આ કપૂરિયા પણ હાલમાં રહસ્યમય રીતે ગૂમ હોવાથી તેને શોધવા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દોડતા થયા છે.
4/5
તોગડિયા મંગળવારે સવારે ભાનમાં આવતાં, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. તેમણે પ્રવિણ તોગડિયાનું નિવેદન નોંધ્યું હતું. આ નિવેદનમાં તોગડિયાએ બીજી વધારે વિગતો આપી નથી પણ પોતે ઓફિસથી જેની સાથે રિક્ષામાં નિકળી ગયા હતા તે વ્યક્તિનું નામ આપ્યું છે.
5/5
અમદાવાદઃ વિશ્વ હિંદૂ પરિષદના નેતા ડો. પ્રવિણ તોગડિયા સોમવારે સવારે અગિયાર વાગે પાલડી સ્થિત વિશ્વ હિંદૂ પરિષદની ઓફિસથી ગુમ થયા બાદ દિવસભર ચાલેલી ઘટનાઓની રફતાર વચ્ચે મોડી સાંજે કોતરપુર વોટરવર્ક્સ પાસેથી બે ભાવ અવસ્થામાં મળી આવતા તેમને શાહીબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં ખસેડાયા હતા.