શ્રાવણ માસના ઉપવાસ દરમિયાન નારિયેળ પાણી, સંતરાનું જ્યુસ, ટામેટાં અને કાકડીનું શરબત, તેમજ લસ્સી જેવા પીણાંનું સેવન કરી શકાય છે. આ પીણાં શરીરને હાઇડ્રેટેડ રાખીને એનર્જી પૂરી પાડે છે.
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Health Alert: આવતી કાલથી એટલે કે 13 ઓગસ્ટથી શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. જો આપ આ 30 દિવસ ઉપવાસ કરવાના હો તો આ ફૂડને ડાયટમાં અચૂક ફોલો કરો. જેથી વીકનેસની સમસ્યાથી બચી શકાય

- શ્રાવણ માસના ઉપવાસમાં નબળાઈ ટાળવા હેલ્ધી ડાયટ અપનાવો.
- નારિયેળ પાણી શરીરને હાઇડ્રેટ રાખે, ત્વરિત ઊર્જા આપે છે.
- સંતરાનો રસ રોગપ્રતિકારક શક્તિ અને ત્વચાને સુધારે છે.
- ટામેટા-કાકડી શરબત, લસ્સી પોષણ અને તાજગી આપે છે.
Health:હવે ગણતરીના દિવસો બાદ શ્રાવણ માસની શરૂઆત થતાં વ્રત અને ઉપવાસ શરૂ થઇ જશે. કેટલાક લોકો આખો મહિનો ઉપવાસ કરે છે. જો કે 30 દિવસ ઉપવાસ કરવાથી ઘણી વખત વીકનેસ આવી જાય છે. તો આપનો પણ શ્રાવણ માસમાં ઉપવાસ કરવાનો પ્લાન હોય તો આ ડાયટ પ્લાનને અનુસરો. આ હેલ્ધી અને નેચરલ ફૂડને ડાયટમા સામેલ કરવાથી આપ નિરોગી રહીને શ્રાવણ માસના ઉપવાસ કરી શકશો. આ ડાયટ પ્લાનથી ઉપવાસ દરમિયાન પણ આપની ઇમ્યૂનિટી પણ બની રહે છે. તો જો આપ શ્રાવણ માસમાં ઉપવાસ કરી રહ્યાં છો તો આ 4 ડ્રિન્કના સેવનને રૂટીન ડાયટમાં સામેલ કરો.
નારિયેળ પાણી:વ્રત દરમિયાન જરૂરી છે કે, આપ શરીરને હાઇડ્રેટ રાખો. જેના માટે આપની મદદ નારિયેળ પાણી કરશે, નારિયેળ પાણી થકાવટથી દૂર રાખવાની સાથે ગરમીથી પણ બચાવે છે. નારિયેળ પાણી ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. તો વ્રત દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવા નારિયેળ પાણી અવશ્ય પીવો.
સંતરાનું જ્યુસ :સંતરાનું જ્યુસ ચહેરા પર નિખાર લાવે છે. સંતરા એન્ટીઓક્સિડન્ટ હોવાની સાથે વિટામિનથી ભરપૂર છે. આપ વ્રતમાં પણ આ જ્યુસ પી શકો છો. જે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે તેમજ ઇમ્યૂનિટી બૂસ્ટર છે.
ટામેટાં અને કાકડીનું શરબત પીવો:વ્રતમાં આપ કાકડી અને ટામેટાનું પણ શરબત પી શકો છો. તેને તૈયાર કરવા માટે આપ ટામેટા અને કાકડીના નાના-નાના પીસ કરી લો. તેમાં સિંઘા નમક નાખીને તેનું સેવન કરો. તેના આપને ફાયદો થશે. પેટ ભરેલું રહશે અને ભૂખ પણ નહીં સતાવે. ટામેટામાં મોજૂદ વિટામીન-સી અને ઇ એન્ટીઓક્સિડન્ટ, પોટેશિયમ શરીરને જરૂરી પોષણ આપે છે.
લસ્સી: લસ્સીનું સેવન આપ વ્રત દરમિયાન કરી શકો છો. જુદી જુદી ફ્લેવરની લસ્સી સ્વાદની સાથે આપનું સ્વાસ્થ્ય પણ જાળવશે. તેનાથી એનર્જી મળશે અને શરીરમાં તાજગી બની રહેશે. ગરમીમાં તો તે વધુ ફાયદાકારક છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Frequently Asked Questions
શ્રાવણ માસના ઉપવાસ દરમિયાન કયા પીણાંનું સેવન કરવું જોઈએ?
વ્રત દરમિયાન નારિયેળ પાણી પીવાના શું ફાયદા છે?
નારિયેળ પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે, થકાવટ દૂર કરે છે અને ગરમીથી બચાવે છે. તે ઇન્સ્ટન્ટ એનર્જી પણ પૂરી પાડે છે.
સંતરાનું જ્યુસ વ્રત દરમિયાન શા માટે પીવું જોઈએ?
સંતરાનું જ્યુસ ચહેરા પર નિખાર લાવે છે અને વિટામિનથી ભરપૂર છે. તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને ઇમ્યૂનિટી બૂસ્ટર તરીકે પણ કામ કરે છે.
ટામેટાં અને કાકડીનું શરબત પીવાથી શું લાભ થાય છે?
આ શરબત પીવાથી પેટ ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે. ટામેટાંમાં વિટામીન-સી, ઇ, એન્ટીઓક્સિડન્ટ અને પોટેશિયમ જેવા પોષકતત્વો હોય છે.
શ્રાવણ માસના ઉપવાસ દરમિયાન નબળાઈથી બચવા શું કરવું?
નબળાઈથી બચવા માટે હેલ્ધી અને નેચરલ ફૂડનો ડાયટ પ્લાન અનુસરવો જોઈએ. આ ડાયટ પ્લાન ઇમ્યૂનિટી પણ જાળવી રાખે છે.
ટોપ સ્ટોરી



















