શોધખોળ કરો

Chaitra Navratri 2025: ચૈત્રી નવરાત્રિનો 30 માર્ચે થશે પ્રારંભ, જાણો ક્યારે છે મહાઅષ્ટમી,જાણો શુભ મુહૂર્ત

Chaitra Navratri 2025: વૈદિકહિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે ચૈત્ર શુક્લ એકમથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. નવરાત્રિના નવ દિવસ શક્તિ ઉપાસના માટે ખૂબ જ વિશેષ છે.

Chaitra Navratri 2025: વૈદિક હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર શુક્લ એકમ  તિથિ આ વર્ષે 29 માર્ચે સાંજે 4:32 વાગ્યે શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે એટલે કે 30 માર્ચે બપોરે 12:45 વાગ્યા સુધી ચાલુ રહેશે.તેથી નવરાત્રિનો પ્રથમ દિવસ 30 માર્ચથી ગણાશે, આ વખતે આઠ જ દિવસની નવરાત્રિ હશે એટલે કે નૌમ અને આઠમ એક જ દિવસે આવશે એટલે કે અષ્ટમી 6 એપ્રિલે છે.

હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે ચૈત્ર શુક્લ એકમથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. નવરાત્રિના નવ દિવસ શક્તિ ઉપાસના માટે ખૂબ જ વિશેષ છે. આ નવ દિવસો દરમિયાન દેવીના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે નવરાત્રિના નવ દિવસો દરમિયાન શક્તિની ઉપાસના કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. તારીખોમાં હેરાફેરીને કારણે ક્યારેક નવ દિવસનો આ તહેવાર 8 દિવસનો બની જાય છે. આ વર્ષે નવરાત્રિ કેટલા દિવસની છે અને ક્યારે શરૂ થઈ રહી છે? આવો જાણીએ

ક્યારે છે શુભ મૂહૂર્ત

વૈદિક હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ આ વર્ષે 29 માર્ચે સાંજે 4:32 વાગ્યે શરૂ થઈ રહી છે. જે બીજા દિવસે એટલે કે 30મી માર્ચે બપોરે 12.45 વાગ્યા સુધી ચાલશે. આવી સ્થિતિમાં, ઉદયા તિથિ અનુસાર, ચૈત્ર શુક્લ એકમ  તિથિ આ દિવસથી જ નવરાત્રિ શરૂ થશે. આ વખતે નવરાત્રિ 30 માર્ચથી 6 એપ્રિલ સુધી હશે, અષ્ટમી અને નવમી તિથિ એક જ દિવસે એટલે કે 9 એપ્રિલે હશે.

નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. આ પાવન દિવસો દરમિયાન કેટલાક કામ કરવા વર્જિત છે, જેને અશુભ મનાય છે.

નવરાત્રીમાં માતાજીની સાધના આરાધના અને ઉપસાસનાનો અનેરો મહિમા છે. નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. પૂજા અને વ્રત રાખવાના ખાસ નિયમ છે.તો નવરાત્રિના શું છે નિયમ જાણીએ

જો આપ માતાજીનું સ્થાપન કરતાં હો અને અખંડ દીપક રાખતા હો તો ઘરને બંધ કરવું વર્જિત છે. ઘરને ખાલી ન છોડવું તેમજ ખાસ કરીને માતાજીની સ્થાપનાના સ્થાનને સ્વસ્છ રાખવું.જો આ નિયમનું ધ્યાન ન આપવામાં આવે તો સાધનાનું ફળ મળતું નથી.

નવરાત્રિમાં નખ કાપવા પણ વર્જિત છે. તેમજ મુંડન ન કરવાવું જોઇએ. શેવિંગ કરવું પણ નવરાત્રમાં વર્જિત મનાય છે. જો કે પહેલી વખત બાળકનું મૂંડન કરાવવું શુભ મનાય છે.

વિષ્ણુ પુરાણ અનુસાર, નવરાત્રિના વ્રત દરમિયાન દિવસમાં ન ઉંઘવું જોઇએ.  નવરાત્રિ દરમિયાન લસણ, ડુંગળી ખાવું પણ વર્જિત છે.

નવ દિવસનું વ્રત રાખનાર વ્યક્તિએ કાળા કપડાં ન પહેરવા જોઇએ. ઉપરાંત સિલાઇનું કામ કરવું પણ વર્જિત છે. નવરાત્રિ દરમિયાન ગંદાં ધોયાવિનાના કપડા પહેરવા પણ વર્જિત છે.

વ્રત દરમિયાન લસણ, ડુંગળીની સાથે નમક પણ  ન લેવું જોઇએ, મસાલાવાળો અને ઓઇલી આહારને ન લેવો જોઇએ, મગફળી, ફળો, દૂધ લઇ શકાય છે.

જો આપ અનુષ્ઠાન કરી રહ્યાં હો, તે ભલે દુર્ગા ચાલસાનું હોય કે અન્ય માતાજીના ચાલીસા કે મંત્રોનું હોય તેના નિયમોમું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. નવરાત્રિમાં સાધના માટે ત્રણ નિયમોનું ચુસ્તતાથી પાલન થવું જોઇએ. સમય, આસન અને સમયની અવધિ, નવેય દિવસ એક જ સમયે અનુષ્ઠાન  માટેના મંત્રોજાપ કે ચાલીસા શરૂ કરો અને સમય મર્યાદામાં જ નવેય દિવસ પૂર્ણ થવા જોઇએ. જે સ્થાન અને આસનનો ઉપયોગ કરતા હો તેમાં પણ નવેય દિવસ સમાનતા જળવાવી જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 માર્ચનું મહાગોચર: કુંભ રાશિમાં 4 ગ્રહોનો 'મહાવિસ્ફોટ', આ 4 રાશિઓની પ્રતિષ્ઠા પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો!
5 માર્ચનું મહાગોચર: કુંભ રાશિમાં 4 ગ્રહોનો 'મહાવિસ્ફોટ', આ 4 રાશિઓની પ્રતિષ્ઠા પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો!
Chaitra Maah 2026 Vrat Tyohar: ચૈત્ર નવરાત્રિ, રામનવમી, હનુમાન જયંતી ક્યારે, જાણો બધા પર્વની તારીખ
Chaitra Maah 2026 Vrat Tyohar: ચૈત્ર નવરાત્રિ, રામનવમી, હનુમાન જયંતી ક્યારે, જાણો બધા પર્વની તારીખ
Holi Colors: ધૂળેટીના અવસરે રાશિનુંસાર આ રંગોથી રમો રંગોની હોળી, રહેશે શુભ
Holi Colors: ધૂળેટીના અવસરે રાશિનુંસાર આ રંગોથી રમો રંગોની હોળી, રહેશે શુભ
Today's Horoscope: મેષ સહિત આ રાશિ માટે રંગોત્સવી રહેશે ઉત્સાહભરી, જાણો રાશિફળ
Today's Horoscope: મેષ સહિત આ રાશિ માટે રંગોત્સવી રહેશે ઉત્સાહભરી, જાણો રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget