Mahakumbh 2025: કેટલા છે અખાડા, સૌથી મોટો અખાડો કયો છે ? કુંભ મેળામાં કેમ બને છે મુખ્ય આકર્ષણ
Mahakumbh 2025: દરેક અખાડાની પોતાની ભૂમિકા હોય છે. સંતો અને ઋષિઓના અખાડાઓ મહાકુંભ 2025 પ્રયાગરાજમાં પ્રવેશ કરી રહ્યા છે. ચાલો જાણીએ કે મહાકુંભનો સૌથી મોટો અખાડો કયો છે

Mahakumbh 2025: મહાકુંભ એ સનાતન ધર્મનો સૌથી મોટો મેળો છે. આ મેળામાં દેશ અને દુનિયાભરમાંથી લાખો લોકો આવે છે. મહાકુંભમાં અખાડા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. આ સમયગાળા દરમિયાન અખાડાઓની શોભાયાત્રા અને શહેરમાં તેમનો પ્રવેશ થાય છે. દરેક અખાડાની પોતાની ભૂમિકા હોય છે. સંતો અને ઋષિઓના અખાડાઓ મહાકુંભ 2025 પ્રયાગરાજમાં પ્રવેશ કરી રહ્યા છે. ચાલો જાણીએ કે મહાકુંભનો સૌથી મોટો અખાડો કયો છે.
મહાકુંભ શરૂ - 13 જાન્યુઆરી, 2025
મહાકુંભ સમાપ્ત - 26 જાન્યુઆરી, 2025
અખાડા શું છે ? (What is Akhara)
અખાડા નામ સાંભળતા જ કુસ્તીની છબી મનમાં આવે છે પરંતુ ઋષિઓ અને સંતોના સંદર્ભમાં અખાડાઓને હિન્દુ ધર્મના મઠ કહી શકાય. અખાડા એ સાધુઓનો એક સમૂહ છે જે યુદ્ધ કળામાં નિપુણ હોય છે.
કોણે કરી અખાડાની શરૂઆત -
અખાડાઓની શરૂઆત આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે હિન્દુ ધર્મના રક્ષણ માટે તેમણે યુદ્ધ કળામાં કુશળ ઋષિઓના સંગઠનો બનાવ્યા હતા. હાલમાં કુલ ૧૩ અખાડા છે, જે શૈવ, વૈષ્ણવ અને ઉદાસીન એમ ૩ શ્રેણીઓમાં વહેંચાયેલા છે.
કેટલા અખાડા છે -
શૈવ અખાડા - શૈવ સંપ્રદાયના કુલ સાત અખાડા છે. તેના અનુયાયીઓ ભગવાન શિવની પૂજા કરે છે.
વૈષ્ણવ અખાડા - વૈષ્ણવ સંપ્રદાયના ત્રણ અખાડા છે, જે ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજા કરે છે.
ઉદાસીન અખાડો - ઉદાસીન સંપ્રદાયમાં પણ ત્રણ અખાડા છે, આ અખાડાના અનુયાયીઓ 'ॐ' ની પૂજા કરે છે.
મહાકુંભમાં સૌથી મોટો અખાડો કયો છે ?
શ્રી પંચદશનામ જુના અખાડાને શૈવ સંપ્રદાયનો સૌથી મોટો અખાડો માનવામાં આવે છે. મહા તેની સ્થાપના ૧૧૪૫ માં ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં થઈ હતી.
આ અખાડાના પ્રમુખ દેવતાઓ શિવ અને રુદ્ર અવતાર દત્તાત્રેય છે. તેનું મુખ્ય મથક વારાણસીમાં છે.
આ અખાડો ખાસ કરીને નાગા સાધુઓ માટે જાણીતો છે. આ અખાડામાં સૌથી વધુ સંખ્યામાં નાગા સાધુઓ જોવા મળે છે. તેમાં લગભગ 5 લાખ નાગા સાધુઓ અને મહામંડલેશ્વર સન્યાસી છે.
આ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ મહારાજ છે અને આંતરરાષ્ટ્રીય આશ્રયદાતા શ્રીમહંત હરિગિરિ છે.
જુના અખાડાની શોભાયાત્રા મહારાજાઓના શાન અને ભવ્યતા જેવી છે. તેમાં અનેક પ્રકારના વૈભવ દેખાય છે, જેમાં સુવર્ણ રથનો પણ સમાવેશ થાય છે. આ અખાડાના શોભાયાત્રામાં એક હાથી પણ ભાગ લે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. એબીપી અસ્મિતા ન્યૂઝ એકપણ વસ્તુની સત્યતાનો પુરાવો આપતું નથી.)
આ પણ વાંચો
Mahakumbh 2025: વેદોમાં મહાકુંભનું મહત્વ શું છે ? આમા સ્નાન કરનારાઓનોને કયુ પુણ્ય મળે છે




















