શોધખોળ કરો

Chaitra Navratri 2022: આ તારીખથી થઇ રહ્યો છે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ, મા દુર્ગાની વિશેષ કૃપા માટે નવ દિવસ કરો આ કામ

Chaitra Navratri 2022: નવરાત્રિના 9 દિવસ સુધી લોકો મા દુર્ગાની આરાધનાથી પૂજા કરે છે. શક્તિ આરાધનાના આ પર્વમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આપ પણ આ નવ દિવસો આ ભૂલો નહિ કરો તો મા દુર્ગાની વિશેષ કૃપા બની રહેશે.

Chaitra Navratri 2022: નવરાત્રિના 9 દિવસ સુધી લોકો મા દુર્ગાની આરાધનાથી પૂજા કરે છે. શક્તિ આરાધનાના આ પર્વમાં  કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આપ પણ આ નવ દિવસો આ ભૂલો નહિ કરો તો મા દુર્ગાની વિશેષ કૃપા બની રહેશે.

નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે 2જી એપ્રિલથી નવરાત્રિ શરૂ થઈ રહી છે અને આ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાથી માતાની અપાર કૃપા રહે  છે. આ 9 દિવસો દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. મંદિરો ઉપરાંત લોકો પોતાના ઘરમાં પણ દેવીની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરે છે. પરંતુ, શું  આપ  જાણો છો કે મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિમાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. પંડિત સુરેશ શ્રીમાળીએ જણાવ્યું કે, કયા નિયમોનું પાલન કરવાથી મા દુર્ગાની કૃપા તમારા પર પણ બની રહે છે.

 આ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી

પંડિત સુરેશ શ્રીમાળીએ જણાવ્યું કે, નવરાત્રિના 9 દિવસ સુધી લોકો મા દુર્ગાની સંપૂર્ણ શ્રદ્ધા ભક્તિથી પૂજા કરે છે, પરંતુ કેટલીકવાર લોકો જાણ્યે-અજાણ્યે કેટલાક એવા કામ કરે છે, જેના કારણે દેવી ક્રોધિત થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો અને આ ભૂલો ન કરો તો દેવી પ્રસન્ન થશે. નવરાત્રિના 9 દિવસ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

નવરાત્રિમાં આ કામ કરવાથી મા દુર્ગા થાય છે કોપાયમાન

  • કોઈપણ મહિલાનું  અપમાન કરવું દેવીના અપમાન વા બરાબર છે, તેથી તેનું હંમેશા સન્માન કરવું જોઈએ. નવરાત્રોમાં કન્યાઓની પૂજા કરવી અને કન્યાઓને ભોજન કરાવવાથી માતા પ્રસન્ન થાય છે. આ સમયે કન્યા પૂજન અને તેને ભોજન કરાવવાનું વિશેષ માહાત્મ્ય છે.
  • આમ તો સ્વસ્છતા એ આપણી જિંદગીનું હંમેશા પાલન કરાતું સૂત્ર હોવું જોઇએ. આ દિવસમાં જાતને પવિત્ર રાખીને ઘર અને તેની આસપાસ પણ સ્વસ્છતા જાળવી જરૂરી છે.
  • આ નવ દિવસોમાં વાળ, દાઢી અને નખ કાપવા જોઈએ નહીં.
  • જ્યાં પણ મા દુર્ગાની સ્થાપના કરવામાં આવે છે. ત્યાં અખંડ દીપક રાખવો જોઇએ અને આવા  ઘર ખાલી ન  રાખવું  જોઈએ. ઘરનો એક સભ્ય હંમેશા ઘરમાં રહેવો જોઈએ.
  • નવરાત્રિ દરમિયાન દિવસ દરમિયાન સૂવું ન જોઈએ. માતાજીની આરાધના અને મંત્રો જાપ કરવા આ સમયમાં વિશેષ ફળદાયી બને છે.
  • સાત્વિક ભોજન જ કરવું જોઇએ. આ સમય દરમિયાન સાધના સાથે આરાધના અને ઉપવાસનું પણ મહત્વ છે. જેવો અન્ન તેવો ઓડકાર, જો આ સમયે દૂધ અને ફળાહાર કરી ઉપવાસ કરવામાં આવે તો મન શાંત રહે છે અને ક્રોધથી બચતા કુકર્મ અને વાણી દોષથી બચી શકાય છે અને સાત્વિક ભોજનથી મન ભક્તિમાં લીન રહે છે.
  • કોઈનું દિલ દુભાવવું એ સૌથી મોટું પાપ છે. મનમાંથી નકારાત્મકતાને દૂર રાખો. સકારાત્મક વિચારસરણી રાખો.  કારણે આપના વ્યવહારથી દુઃખી ન થવું જોઈએ, કોઈના દુઃખમાં સહારો બનવાનો પ્રયત્ન કરો. ઘરનું વાતાવરણ એવું બનાવો કે  પરિવારમં ખુશીઓ હંમેશા બની રહે.
  • જ્યારે પણ આપ  પૂજામાં બેસો ત્યારે માતાના મનપસંદ રંગોના લાલ, પીળા, ગુલાબી અને લીલા કપડાંનો ઉપયોગ કરો, આ દિવસોમાં કાળા કપડાં પહેરવાનું ટાળો.
  • કોઈની ટીકા કે નિંદા કરવાથી અને જૂઠું બોલવાથી દૂર રહેવું જોઈએ.
  • જો આપ  9 દિવસ સિવાય આપના જીવનમાં આ વાતોનું પાલન કરશો તો તમે અને તમારો પરિવાર હંમેશા માતા રાનીની છત્રછાયામાં રહેશો અને મા દુર્ગાની કૃપા સદૈવ રહેશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા

વિડિઓઝ

Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Embed widget