શોધખોળ કરો

અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા

અમદાવાદમાં કાલથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થશે. તે અગાઉ જ મોટો વિવાદ થયો હતો.

અમદાવાદમાં કાલથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થશે. તે અગાઉ જ મોટો વિવાદ થયો હતો. અમદાવાદ મહાનગરપાલિકાએ 25થી 31 ડિસેમ્બર સુધી એટલે કે એક સપ્તાહ યોજાનારા કાંકરિયા કાર્નિવલને લઈ ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી પાંચ હજાર કરોડનો વીમો લીધો છે.  આ વીમા કંપનીએ એવી શરત રાખી છે કે જો કોઈ દુર્ઘટના થાય તો કાર્નિવલની ટિકિટ ખરીદનારા જ વીમો ક્લેઈમ કરી શકશે. વાસ્તવમાં અમદાવાદ મહાપાલિકા તો શહેરીજનો માટે કાંકરિયા કાર્નિવલમાં વિનામૂલ્યે એન્ટ્રી આપે છે. હવે જો કોર્પોરેશન એન્ટ્રી જ ફ્રી આપતું હોય તો શહેરીજનો ટિકિટ ક્યાંથી લે. જોકે વિવાદ વકરે તે પહેલા જ કોર્પોરેશને તાત્કાલિક વીમા કંપનીને આ વિવાદીત જોગવાઈ દૂર કરવા આદેશ કરી દીધાનો મનપા સત્તાવાળાઓએ દાવો કર્યો હતો. વિવાદ બાદ સ્ટેન્ડિંગ ચેરમેને વિવાદીત જોગવાઈ વીમા કંપની પાસેથી દૂર કરાવવાનો દાવો કર્યો હતો. પરંતુ આયોજન કરનારા એક પણ અધિકારી આ અંગે કંઈ કહી શકે તેવી સ્થિતિમાં જ નથી. જેના પરથી એ તો સ્પષ્ટ થાય છે કે પ્રશાસનના અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી આયોજનો કરે છે અને મૌન રહી સંમતિ આપી દે છે.

કોર્પોરેશને મુલાકાતીઓની સુરક્ષા માટે ભૂકંપ, આગ અને આતંકવાદી હુમલા જેવા સંભવિત જોખમોને આવરી લેતો કુલ 5,000 કરોડ રૂપિયાથી વધુનો વીમો લીધો છે, જેના માટે 45 લાખ રૂપિયાનું જંગી પ્રીમિયમ પણ ચૂકવી દેવામાં આવ્યું છે. જોકે, વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વીમા કંપનીના નિયમો સામે આવ્યા, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દુર્ઘટના સમયે વળતર મેળવવા માટે મુલાકાતી પાસે માન્ય એન્ટ્રી ટિકિટ હોવી અનિવાર્ય છે. આ શરતને કારણે તંત્ર અને નાગરિકોમાં મૂંઝવણ પેદા થઈ છે. 

કાર્નિવલ દરમિયાન તમામ મુલાકાતીઓને પરિસરમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે, એટલે કે કોઈ પણ પ્રકારની ટિકિટ આપવામાં આવતી નથી. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે જો કાર્નિવલમાં ટિકિટ જ આપવામાં આવતી નથી, તો વીમા કંપનીની શરત મુજબ કોઈ અકસ્માત કે દુર્ઘટનાના કિસ્સામાં મુલાકાતીઓને વળતર કેવી રીતે મળશે?  હાલમાં આ ગૂંચવણને ઉકેલવા માટે અધિકારીઓમાં દોડધામ મચી છે.                                                     

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Advertisement

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget