શોધખોળ કરો

Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર

Bangladesh Protests: બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિન્દુ યુવક દીપુ દાસની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

Bangladesh Protests: બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિન્દુ યુવક દીપુ દાસની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ભારતીયો બાંગ્લાદેશને લઈને ગુસ્સામાં છે.  દિલ્હી સહિત અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. ભારત સરકારે પણ બાંગ્લાદેશ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આ ગુસ્સો તેની અસર બતાવવા લાગ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારને નમ્ર બનવાની ફરજ પડી છે. શિક્ષણ પ્રધાન સી.આર. અબરારે મંગળવારે દીપુના પરિવાર સાથે મુલાકાત કરી હતી.  બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના કાર્યાલયે ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી પોસ્ટ કરી હતી.

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી પર થયેલા અત્યાચાર બાદ મોહમ્મદ યુનુસ સરકાર વૈશ્વિક ટીકાનો સામનો કરી રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યા અંગે સંયુક્ત રાષ્ટ્ર અને યુએસ કાયદા નિર્માતાઓ તરફથી શરમજનક સ્થિતિ બાદ યુનુસ સરકારના એક મંત્રીએ દિપુ ચંદ્ર દાસના ઘરે સાંત્વના આપવા માટે મુલાકાત લીધી.

યુનુસ સરકારમાં શિક્ષણ સલાહકાર પ્રોફેસર સી.આર. અબરાર મંગળવારે (23 ડિસેમ્બર, 2025) ના રોજ દીપુ ચંદ્ર દાસના પિતા રબીલાલ દાસ અને પરિવારના અન્ય સભ્યોને મળ્યા હતા. તેમણે દીપુ દાસના પરિવારને નાણાકીય સહાયની જાહેરાત કરી અને કહ્યું કે કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી.

યુનુસના મંત્રી દીપુ ચંદ્રના પિતાને મળ્યા

મોહમ્મદ યુનુસે તેમના મંત્રી અને દીપુ ચંદ્રના પિતાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા. તેમણે લખ્યું હતું કે, "શિક્ષણ સલાહકાર દીપુ ચંદ્ર દાસના પરિવાર સાથે મળ્યા હતા. યુનુસના કાર્યાલયે મયમનસિંહમાં એક ફેક્ટરી કામદાર દીપુ ચંદ્ર દાસની હત્યા પર ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સરકાર તરફથી તેમણે પીડિત પરિવારને સમર્થન આપવાની ખાતરી આપી હતી."

દીપુ ચંદ્રની હત્યા એક જઘન્ય ગુનો: મોહમ્મદ યુનુસ

મોહમ્મદ યુનુસે લખ્યું હતું કે, "આ મુલાકાત દરમિયાન તેમણે દીપુ ચંદ્ર દાસના પિતા રબીલાલ દાસ અને અન્ય લોકો સાથે વાત કરી હતી. શિક્ષણ સલાહકારે પુનરોચ્ચાર કર્યો કે આ હત્યા એક જઘન્ય ગુનાહિત કૃત્ય છે, જે અસ્વીકાર્ય છે અને બાંગ્લાદેશી સમાજમાં તેનું કોઈ સ્થાન નથી." તેમણે કહ્યું કે આરોપો, અફવાઓ અથવા મતભેદો ક્યારેય હિંસાને યોગ્ય ઠેરવી શકે નહીં અને કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી.

તેમણે પરિવારને ખાતરી આપી કે અધિકારીઓ તમામ ગુનાઓની તપાસ કરશે અને યોગ્ય પ્રક્રિયા દ્વારા ન્યાય સુનિશ્ચિત કરશે. યુનુસે જણાવ્યું હતું કે, "કાયદા અમલીકરણ એજન્સીઓએ આ હત્યા માટે 12 લોકોની ધરપકડ કરી છે. વધુ તપાસ ચાલી રહી છે અને વચગાળાની સરકારે નિર્દેશ આપ્યો છે કે આ કેસની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. સરકાર ધર્મ કે જાતિને ધ્યાનમાં લીધા વિના તમામ નાગરિકોની સલામતી, ગૌરવ અને સમાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે."

યુનુસ સરકાર પરિવારને નાણાકીય સહાય પૂરી પાડશે

મુખ્ય સલાહકાર કાર્યાલય તરફથી પ્રોફેસર અબરારએ પુષ્ટી કરી હતી કે દીપુ ચંદ્ર દાસના પરિવારને નાણાકીય અને કલ્યાણકારી સહાય પૂરી પાડવામાં આવશે અને સંબંધિત અધિકારીઓ ભવિષ્યમાં તેમની સાથે સતત સંપર્કમાં રહેશે. મોહમ્મદ યુનુસે તમામ નાગરિકોની સલામતી અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે વચગાળાની સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Tata Tigor થી લઈને Maruti Dzire સુધી,આ છે ભારતની સૌથી સસ્તી સેડાન કાર, જાણો વિગતો
Tata Tigor થી લઈને Maruti Dzire સુધી,આ છે ભારતની સૌથી સસ્તી સેડાન કાર, જાણો વિગતો
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
Embed widget