શોધખોળ કરો

Dhanteras 2022: ઘનતેરસ પર ખાલી વાસણ ખરીદી ઘરમાં ના લાવતા, આ ત્રણ વસ્તુઓ મુકીને કરો પ્રવેશ

આ વખતે ધનતેરસની પૂજા 22 ઓક્ટોબરે કરવી જોઈએ જ્યારે બંને દિવસે ખરીદી કરી શકાય છે. જો કે લોખંડની વસ્તુઓ, વાહન વગેરેની ખરીદી રવિવારે જ કરવી જોઈએ.

Dhanteras 2022: હિન્દુ ધર્મમાં દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે દિવાળી 24 ઓક્ટોબર, સોમવારના રોજ છે. આ 4 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. તેની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. આ વખતે ધનતેરસની પૂજા 22 ઓક્ટોબરે કરવી જોઈએ જ્યારે બંને દિવસે ખરીદી કરી શકાય છે. જો કે લોખંડની વસ્તુઓ, વાહન વગેરેની ખરીદી રવિવારે જ કરવી જોઈએ.

લોકો ધનતેરસ પર વાસણો પણ ખરીદે છે

ધનતેરસના દિવસે સોના-ચાંદી, ધાણા, સાવરણી અને નવી વસ્તુઓ ખરીદવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે આ દિવસે શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી દેવી લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને ધન કુબેર પ્રસન્ન થાય છે. ઘણા લોકો ધનતેરસ પર વાસણો પણ ખરીદે છે. ધનતેરસ પર ખરીદેલા વાસણોને અમૃત કલશ માનવામાં આવે છે. તેથી આ વાસણોને ઘરમાં ખાલી ન લાવવા જોઈએ. ચાલો જાણીએ કે ધનતેરસ પર ખરીદેલા વાસણોમાં તમે કઈ શુભ વસ્તુઓ લાવી શકો છો.

સાત પ્રકારના અનાજઃ
જો તમે ધનતેરસના દિવસે વાસણ ખરીદો છો તો તેમાં સાત પ્રકારના અનાજ લાવશો તો તે વધુ શુભ રહેશે. તમે આ વાસણમાં જવ, સફેદ તલ, ચોખા, ઘઉં, કાળા ચણા, મગ કે મસૂર દાળ પણ લાવી શકો છો. આ અનાજ દેવી-દેવતાઓને પણ અર્પણ કરવામાં આવે છે.

ચોખાઃ
મંદિરોમાં પૂજા હોય કે કોઈ ધાર્મિક વિધિ, ચોખા વિના કોઈ પણ શુભ કાર્ય થઈ શકતું નથી. સનાતન ધર્મમાં તેને અક્ષત કહે છે. અક્ષત પણ દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. તેનો ઉપયોગ દેવતાઓને ચઢાવવામાં આવતી ખીર અને મીઠાઈઓમાં પણ થાય છે. ચોખા વાસણમાં મુકીને તમે એ વાસણ ઘરમાં લાવી શકો છો.

જળઃ
જો તમે ધનતેરસના દિવસે વાસણ ખરીદતા હોવ તો તેમાં પાણી ભરીને ઘરે લાવી શકો છો. સનાતન ધર્મમાં પાણીનું મહત્વ જણાવવામાં આવ્યું છે. પાણી બ્રહ્માંડના પાંચ તત્વોમાંનું એક છે અને તેને દેવતા તરીકે સ્વીકારવામાં આવે છે. વાસણમાં પાણી ભર્યા પછી તમે તેમાં થોડું ગંગાજળ પણ ઉમેરી શકો છો. આ સિવાય તમે ધનતેરસ પર ખરીદેલા વાસણોમાં મધ અથવા દૂધ ભરીને પણ લાવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget