શોધખોળ કરો

Diwali & Laxmi Pujan 2023: દિવાળીના દિવસે લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કેમ કરવામાં આવે છે?

Diwali & Laxmi Pujan 2023:દિવાળીના દિવસે દેવી લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા શા માટે કરવામાં આવે છે.

Diwali & Laxmi Pujan 2023: દિવાળી સનાતન ધર્મનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. કારતક માસની અમાસ તિથિના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. આ વર્ષે અમાસ તિથિ 12 નવેમ્બર 2023ના રોજ બપોરે 02:44 વાગ્યે શરૂ થશે અને 13મી નવેમ્બર 2023ના રોજ બપોરે 02:56 વાગ્યે સમાપ્ત થશે. ભગવાન ગણેશજી અને દેવી લક્ષ્મીજીની પૂજા દિવાળીના દિવસે કરવામાં આવે છે. નોંધનીય છે કે પાંચ દિવસની દિવાળી ધનતેરસથી શરૂ થાય છે અને કારતક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ભાઈ બીજ અને ચિત્રગુપ્ત પૂજા સાથે સમાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે આ પાંચ દિવસોમાં દેવી લક્ષ્મી તેમના ભક્તોની વચ્ચે રહે છે. સાંભળે છે અને તેમની ઈચ્છાઓ પૂરી કરે છે. આ વર્ષે લક્ષ્મીજીની પૂજા 12 નવેમ્બર 2023ના રોજ કરવામાં આવશે. ચાલો જાણીએ કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા શા માટે કરવામાં આવે છે. લક્ષ્મીજીની સાથે વિષ્ણુજીની પણ પૂજા કેમ કરવામાં આવતી નથી.

દિવાળી પર લક્ષ્મીજીની પૂજા કેમ કરવામાં આવે છે?

વિષ્ણુ પુરાણ અનુસાર, સમુદ્ર મંથન દેવતાઓ અને દાનવો વચ્ચે થયું હતું. આ મંથનમાં વિષની સાથે અનેક દુર્લભ વસ્તુઓ અને દેવી-દેવતાઓ સમુદ્ર મંથનમાંથી નીકળ્યા હતા. માન્યતાઓ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના રોજ સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી પ્રગટ થયા હતા, તેથી ધનતેરસનો તહેવાર ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે અને અમાવસ્યા એટલે કે દિવાળી પર લક્ષ્મીજી પ્રગટ થયા હોવાના કારણે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.

લક્ષ્મીજીની સાથે ગણેશજીની પૂજા શા માટે કરવામાં આવે છે?

પૌરાણિક કથાઓ અનુસાર, એકવાર લક્ષ્મીજીએ શ્રી હરિ (ભગવાન વિષ્ણુ) ને કહ્યું, - હું માણસને સંપત્તિ, સમૃદ્ધિ અને તમામ સુખ પ્રદાન કરું છું, આવી સ્થિતિમાં મારી પૂજા સૌથી મહત્વપૂર્ણ હોવી જોઈએ. શ્રી હરિ સમજી ગયા કે લક્ષ્મીજી અહંકારી બની ગયા છે. શ્રી હરિએ લક્ષ્મીજીને કહ્યું કે તમે બધું સુખ-સમૃદ્ધિ આપો છો, પણ તમે માતૃત્વના સુખથી વંચિત છો અને તેના વિના સ્ત્રીત્વ અધૂરું છે. તમારી પૂજા કેવી રીતે શ્રેષ્ઠ હોઈ શકે? શ્રી હરિની વાત સાંભળીને નિરાશ થયેલા લક્ષ્મીજી દેવી પાર્વતીને મળ્યા અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. લક્ષ્મીજીના દર્દને અનુભવીને દેવી પાર્વતીના પુત્ર ગણેશજીને દત્તક પુત્ર બનાવ્યો અને તેમને લક્ષ્મીજીને સોંપી દીધા. ભગવાન ગણેશજીને તેમના દત્તક પુત્ર તરીકે પ્રાપ્ત કર્યા પછી, દેવી લક્ષ્મીએ જાહેરાત કરી કે મારી પૂજાનું ફળ ત્યારે જ મળશે જો તેમની સાથે મારા દત્તક પુત્રની પણ પૂજા કરવામાં આવે. એવું કહેવાય છે કે ત્યારથી દિવાળી પર લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા એક સાથે કરવામાં આવે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget