શોધખોળ કરો

Richhdiya Mahadev: અંબાજીમાં આવેલું છે રીંછડીયા મહાદેવ, જાણો કેવી રીતે પડ્યું નામ

Ambaji News: રીંછડિયા મહાદેવ મંદિરની પૌરાણિકતા તથા ઐતિહાસિકતાને જોતાં રાજ્ય સરકારે આ મંદિરનો કાયાકલ્પ કરવાનો નિર્ણય કર્યો છે.

Richhdiya Mahadev: રાજ્ય સરકારે અંબાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે અંબાજી માસ્ટર પ્લાન બનાવ્યો છે. આ માસ્ટર પ્લાન હેઠળ અંબાજી યાત્રાધામની સાથે-સાથે આસપાસ આવેલા યાત્રાધામોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમાં રીંછડિયા મહાદેવ મંદિર પરિસરના વિકાસનો પણ સમાવેશ કરાયો છે.

અંબાજીથી ખેડબ્રહ્મા જતા ધોરીમાર્ગ પર કુંભારિયા દેરાસરથી લગભગ 2 કિલોમીટરના અંતરે આંતરિયાળ વિસ્તારમાં આવેલ પૌરાણિક રીંછડિયા મહાદેવ મંદિરનું નામ અહીં વન વિસ્તારમાં રીંછોની વસતીના કારણે પડ્યું છે. આદિવાસી વસતી ધરાવતા રીંછડી ગામના જંગલોમાં રીંછ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને એટલે જ આ મંદિરનું નામ રીંછડિયા મહાદેવ પડ્યું છે.


Richhdiya Mahadev: અંબાજીમાં આવેલું છે રીંછડીયા મહાદેવ, જાણો કેવી રીતે પડ્યું નામ

ભાદરવી પૂનમે ભરાય છે મેળો

વર્ષ દરમિયાન અને ખાસ કરીને શ્રાવણ માસમાં ઘણા શ્રદ્ધાળુઓ આવે છે, રીંછડિયા મહાદેવ ખાતે ભાદરવી પૂનમે પણ અહીં મેળો ભરાય છે.   રીંછડી ડેમ નજીક આવેલ આ મંદિરનું આસપાસનું વાતાવરણ નયમરમ્ય છે. અંબાજીથી 5 કિલોમીટર દૂર આવેલા રીંછડિયા ગામના વન વિસ્તારમાં આવેલ આ મંદિર પાસે આવેલી અષ્ટકોણી વાવ તથા સરસ્વતી નદી પર ડેમ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.


Richhdiya Mahadev: અંબાજીમાં આવેલું છે રીંછડીયા મહાદેવ, જાણો કેવી રીતે પડ્યું નામ

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ મંદિરનો કરશે કાયાકલ્પ

રીંછડિયા મહાદેવ મંદિરની પૌરાણિકતા તથા ઐતિહાસિકતાને જોતાં રાજ્ય સરકારે આ મંદિરનો કાયાકલ્પ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી) દ્વારા સંચાલિત રીંછડિયા મહાદેવ મંદિરના કાયાકલ્પ માટે રાજ્ય સરકારે રૂ. 53.94 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટને વહીવટી મંજૂરી મળી ચૂકી છે. આ પ્રોજેક્ટ હેઠળ યાત્રાળુઓ માટે રીંછડિયા મંદિર પરિસર, રીંછડિયા લેક બ્યુટીફિકેશન, ચેકડૅમ ફાઉંટેન, ફૂડ ઝોન જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત મંદિર પરિસર તથા તેની આસપાસના વિસ્તારમાં 29 જેટલા વિવિધ સ્થળો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.


Richhdiya Mahadev: અંબાજીમાં આવેલું છે રીંછડીયા મહાદેવ, જાણો કેવી રીતે પડ્યું નામ

યાત્રાળુઓ માટે સુવિધા ઉભી કરવામાં આવશે

આ વિકાસ પ્રોજેક્ટ હેઠળ મુખ્યત્વે રીંછડિયા મહાદેવ મંદિર તથા મંદિર પરિસરનું પુન:નિર્માણ કરવામાં આવશે. આ પુન:નિર્માણ પ્રક્રિયામાં મંદિરે આવતા યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ પણ ઉભી કરાશે. જેમાં પાર્કિંગ, ઇનફૉર્મેશન કિઓસ્ક/સેંટર તથા 2 બ્રિજની વ્યવસ્થા કરાશે. યાત્રાળુઓ માટે અરાઇવલ પ્લાઝા, ચેકડૅમ ફાઉન્ટેન પણ બનાવવામાં આવશે. મંદિર વિસ્તારમાં સ્કલ્પચર, કૉફી શોપ, ક્રાફ્ટ બઝાર, ફૂડ કિઓસ્ક્સ, વૉકિંગ ટ્રૅક, એમ્ફીથિયેટર, ટૉઇલેટ તથા ડ્રિંકિંગ વૉટર, પાથવે, પ્રોજેક્ટ વ્યુઇંગ ડેક્સ, વિઝિટર્સ સેંટર, ફ્લોટિંગ ડેક, આર્ટ વૉલ્સ, વૉચ ટાવર, એક્સપીરિયન્સ પાથ, રસ્ટિક મડ પાથ, વેટલૅંડ, વૉટર ઇંટેલ કલ્વર્ટ, લેક એજ એરિયા, ડીસિલ્ટિંગ તેમજ માત્ર પાથવે પર ઇલેક્ટ્રિકલ વર્ક જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.


Richhdiya Mahadev: અંબાજીમાં આવેલું છે રીંછડીયા મહાદેવ, જાણો કેવી રીતે પડ્યું નામ

  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ
Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ
Plane Crash:  મોટી પ્લેન દુર્ઘટના, ટોરંટો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે પલટી ગયું પ્લેન, અનેક લોકો ઇજાગ્રસ્ત
Plane Crash: મોટી પ્લેન દુર્ઘટના, ટોરંટો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે પલટી ગયું પ્લેન, અનેક લોકો ઇજાગ્રસ્ત
ST નિગમના કર્મચારીઓના હિતમાં સરકારે શું લીધો મોટો નિર્ણય?
ST નિગમના કર્મચારીઓના હિતમાં સરકારે શું લીધો મોટો નિર્ણય?
BSNLએ લોન્ચ કર્યો સસ્તો રિચાર્જ પ્લાન, 350 રૂપિયાથી પણ ઓછા રૂપિયામાં મળશે અનલિમિટેડ બેનિફિટ્સ
BSNLએ લોન્ચ કર્યો સસ્તો રિચાર્જ પ્લાન, 350 રૂપિયાથી પણ ઓછા રૂપિયામાં મળશે અનલિમિટેડ બેનિફિટ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident Case: કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, દંપત્તિ અને બાળક ઈજાગ્રસ્તHun To Bolish : હું તો બોલીશ : હૉસ્પિટલમાં દુઃશાસન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : વરદી સેવા માટે કે રૂપિયા કમાવવા માટે?Nitin Patel: સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ
Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ
Plane Crash:  મોટી પ્લેન દુર્ઘટના, ટોરંટો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે પલટી ગયું પ્લેન, અનેક લોકો ઇજાગ્રસ્ત
Plane Crash: મોટી પ્લેન દુર્ઘટના, ટોરંટો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે પલટી ગયું પ્લેન, અનેક લોકો ઇજાગ્રસ્ત
ST નિગમના કર્મચારીઓના હિતમાં સરકારે શું લીધો મોટો નિર્ણય?
ST નિગમના કર્મચારીઓના હિતમાં સરકારે શું લીધો મોટો નિર્ણય?
BSNLએ લોન્ચ કર્યો સસ્તો રિચાર્જ પ્લાન, 350 રૂપિયાથી પણ ઓછા રૂપિયામાં મળશે અનલિમિટેડ બેનિફિટ્સ
BSNLએ લોન્ચ કર્યો સસ્તો રિચાર્જ પ્લાન, 350 રૂપિયાથી પણ ઓછા રૂપિયામાં મળશે અનલિમિટેડ બેનિફિટ્સ
Womens Premier League 2025: સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ, RCBએ દિલ્હીને હરાવ્યું
Womens Premier League 2025: સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ, RCBએ દિલ્હીને હરાવ્યું
Team India New Jersey: ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ, ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ શેર કર્યા ફોટો
Team India New Jersey: ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ, ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ શેર કર્યા ફોટો
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.