Hunuman Jayanti 2025: હનુમાન જયંતિ પર આ વિધિથી કરો બજરંગબલીની પૂજા, જાણી લો શુભ મુહૂર્ત
Hunuman Jayanti 2025:ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

Hunuman Jayanti 2025: ચૈત્ર મહિનામાં આવતી પૂર્ણિમા હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે ઉત્સાહનો તહેવાર છે કારણ કે આ દિવસે કેસરીનંદન અને માતા અંજનીના પુત્ર સંકટમોચન હનુમાનનો જન્મ થયો હતો. ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે 2025માં ક્યારે ઉજવાશે ચૈત્ર પૂર્ણિમા, જાણો અહીં પૂજા મુહૂર્ત.
ચૈત્ર પૂર્ણિમા 2025 ક્યારે ?
ચૈત્ર પૂર્ણિમા 12 એપ્રિલ 2025 ને શનિવારે ઉજવવામાં આવશે. આ વખતે શનિવારનો સંયોગ હનુમાન જયંતિ પર બની રહ્યો છે જે ખૂબ જ દુર્લભ અને લાભકારી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે લોકો ચૈત્ર પૂર્ણિમાના દિવસે રામચરિતમાનસ અને સુંદરકાંડનો પાઠ કરે છે તેમના ઘરમાં હનુમાનજીનો વાસ હોય છે. બધી તકલીફો દૂર થાય
ચૈત્ર પૂર્ણિમા 2025 મુહૂર્ત
ચૈત્ર પૂર્ણિમા 12 એપ્રિલ, 2025 ના રોજ સવારે 3:21 વાગ્યે શરૂ થશે અને 13 એપ્રિલ, 2025 ના રોજ સવારે 5:51 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે સ્નાન અને દાન ઉપરાંત સત્યનારાયણ પૂજા, હનુમાનજીની પૂજા, ચંદ્રને જળ અર્પણ અને લક્ષ્મીજીની પૂજાનું વિશેષ મહત્વ છે.
હનુમાન જયંતિની પૂજા વિધિ
હનુમાન જયંતિનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગો. સ્નાન કરો. સ્વચ્છ કપડાં પહેરીને પૂજા કરો. આ પછી તમે હનુમાનજીને તેમનો પ્રિય ભોગ અર્પણ કરો. તેમને બુંદીના લાડુ, મીઠા પાન, ગોળ અને કેળાનો ભોગ અર્પણ કરવાનું ભૂલશો નહીં. આ દિવસે ઘણા ભક્તો ઉપવાસ પણ કરે છે. આ દિવસે જે કોઈ સાચા મનથી હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરે છે, તેની બધી ઈચ્છાઓ હનુમાનજી પૂર્ણ કરે છે.
આ કામ હનુમાન જયંતિના દિવસે કરો
હનુમાનજીના ભક્તોએ હનુમાન જયંતિના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન અને ધ્યાન કર્યા પછી લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. આ પછી વિધિ-વિધાન પ્રમાણે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ દિવસે હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવો. લાલ ફૂલ, ફળ, મીઠાઈ વગેરે પણ ચઢાવો.




















