શોધખોળ કરો

Navratri 2023: નવરાત્રિમાં કેમ કરવામાં આવે છે કન્યા પૂજન?, જાણો વ્રત કરવાથી શું થાય છે લાભ?

Navratri 2023: નવરાત્રિ આ વર્ષે 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને 24 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે

Navratri 2023: દેવી દુર્ગાની ઉપાસનાનો મહાન તહેવાર નવરાત્રિ આ વર્ષે 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને 24 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. આ તહેવારનો પાઠ એ છે કે દરેક પરિસ્થિતિમાં મહિલાઓનું સન્માન કરવું જોઈએ. માતા દુર્ગાને સર્વશક્તિમાન માનવામાં આવે છે. પ્રાચીન કાળમાં જ્યારે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ પણ મહિષાસુરને મારવામાં અસમર્થ હતા ત્યારે બધા દેવતાઓએ મળીને દેવી દુર્ગાનું આહવાન કર્યું હતું. દેવી દુર્ગાએ પ્રગટ થઈને મહિષાસુરનો વધ કર્યો હતો.

નવરાત્રિનો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે પણ છે. નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કેલેન્ડર મુજબ નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે. નવરાત્રિ બે ઋતુઓના સંગમ પર ઉજવવામાં આવે છે. સંધિકાલ એટલે એક ઋતુની વિદાય અને બીજી ઋતુના આગમનનો સમય.

જેમાંથી બે નવરાત્રી સામાન્ય રહે છે અને બે ગુપ્ત રહે છે. ગુપ્ત નવરાત્રિ મહા અને અષાઢ મહિનામાં આવે છે. બે સામાન્ય નવરાત્રિ આસો અને ચૈત્ર મહિનામાં આવે છે. આ બે નવરાત્રિમાં સામાન્ય લોકો પણ દેવી માતા માટે વ્રત-ઉપવાસ, પૂજા-પાઠ કરે છે. શારદીય નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. આ વર્ષાઋતુની વિદાય અને શિયાળાની ઋતુના આગમનનો સમય છે. આ દિવસોમાં પૂજા કરતી વખતે ખાવા-પીવાની સાવચેતી રાખવાથી આપણે અનેક મોસમી રોગોથી બચી શકીએ છીએ.

નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવાથી મળે છે આ ફાયદા

સંક્રમણના સમયગાળા દરમિયાન ઘણા લોકોને શરદી, તાવ, પેટમાં દુખાવો, અપચો વગેરે જેવા રોગોનો સામનો કરવો પડે છે. ઉપવાસ એ પાચનતંત્રને આરામ આપવાનો એક માર્ગ છે. ઉપવાસ દરમિયાન ભોજન, મસાલેદાર ખોરાક વગેરેનું સેવન કરવામાં આવતું નથી અને ઉપવાસ કરનારા ભક્તો ફળ ખાય છે. પાચન તંત્રને ફળો પચવામાં બહુ તકલીફ પડતી નથી અને શરીરને ફળોમાંથી જરૂરી ઉર્જા પણ મળે છે. આ રીતે ઉપવાસ કરવાથી અનેક રોગોથી બચી શકાય છે.

દેવીની પૂજા કરનારા ભક્તોની દિનચર્યા સંતુલિત હોવી જોઈએ. ખોરાક ખાવાથી આળસ વધે છે અને ફળ ખાવાથી શરીર ઉર્જાવાન રહે છે અને આળસ દૂર રહે છે. સવારે વહેલા ઉઠીને પૂજા અને ધ્યાન કરવાથી મન શાંત રહે છે. ક્રોધ અને અન્ય ખરાબ વિકારો પણ દૂર રહે છે.

નવરાત્રિ દરમિયાન કન્યા પૂજા શા માટે કરવી જોઈએ?

શાસ્ત્રોમાં કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન 2 થી 10 વર્ષની વયની કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે અને સાથે દાન પણ આપવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે. તેમની ઉંમર પ્રમાણે નાની છોકરીઓને અલગ-અલગ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. જેમ કે 2 વર્ષની કન્યા કુમારિકા, 3 વર્ષની કન્યા ત્રિમૂર્તિ, 4 વર્ષની કન્યા કલ્યાણી, 5 વર્ષની કન્યા રોહિણી, 6 વર્ષની કન્યા કાલિકા, 7 વર્ષની કન્યા ચંડિકા, 8 વર્ષની કન્યા સાંભવી, 9 વર્ષની કન્યા દુર્ગા અને 10 વર્ષની કન્યા સુભદ્રા માનવામાં આવે છે.

કન્યાઓ તમામ લોકો માટે પવિત્ર વિચારો ધરાવે છે, તેઓ કોઈને નુકસાન પહોંચાડવાનું વિચારતી નથી. કન્યાઓ બધી ખરાબ ટેવોથી દૂર રહે છે. તેમના હૃદયમાં દરેક માટે પ્રેમ છે. નવરાત્રિ દરમિયાન તેમને ભોજન કરાવ્યા પછી તેમના પગ ધોવા જોઈએ અને તેમના પગની પૂજા કર્યા પછી તેમને તેમની ભક્તિ અનુસાર દક્ષિણા આપવી જોઈએ અને ફળ અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget