શોધખોળ કરો

Religious: ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવાના પણ ચૂકવવા પડશે પૈસા, તંત્રના નિર્ણયથી લોકોમાં રોષ

જસદણ પાસે આવેલ ઘેલા સોમનાથ મહાદેવ ટ્રસ્ટ અને નાયબ કલેકટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ જળાભિષેક માટે 351 રૂપિયા આપવા પડશે.

Rajkot: દેવાધિદેવ મહાદેવને સોમવાર વિશેષ પ્રિય છે. આ દિવસે શિવભક્તો ભોળાનાથની કૃપા મેળવવા તેમને જળાભિષેક કરતાં હોય છે પરંતુ રાજકોટના જસદણ નજીક આવેલા પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવને હવેથી જળાભિષેક કરવા પૈસા ચૂકવવા પડશે. તંત્રના આ નિર્ણયથી સ્થાનિક લોકો અને સાધુ સમાજમાં પણ વિરોધ છે.

કેટલો ચૂકવવો પડશે ચાર્જ

જસદણ પાસે આવેલ ઘેલા સોમનાથ મહાદેવ ટ્રસ્ટ અને નાયબ કલેકટર દ્વારા આ  નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ જળાભિષેક માટે 351 રૂપિયા આપવા પડશે. મંદિરમાં બોર્ડ,ટ્રસ્ટ અને નાયબ કલેકટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાના બોર્ડ પણ લગાવાયા છે.

ઘેલા સોમનાથનો શું છે ઈતિહાસ

આ મંદિરનો ઇતિહાસ 15મી સદી 1457ની આસપાસનો છે. વેરાવળ પ્રભાસપાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લુંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહમદ ગઝનીએ બે-ત્રણ વાર હુમલો કર્યો હતો.પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી. એ સમયે જુનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મીનળદેવી કે જેઓ ભોળાનાથના ભક્ત હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપનાં ભુગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતાં. આમ મીનળદેવીને મહાદેવમાં અપાર શ્ર્ધ્ધા હતી.


Religious: ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવાના પણ ચૂકવવા પડશે પૈસા, તંત્રના નિર્ણયથી લોકોમાં રોષ

ઇ.સ.1457ની વાત છે જ્યારે સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે મહાદેવજીએ સપનામાં આવીને મીનળદેવીને કહ્યું કે મને પાલખીમાં લઇ જાવ. પરંતુ 1457ની આસપાસ ગુજરાત ઉપર મહંમદ જાફરની આણ વર્તાતી હતી. તેણે ભુગભર્ગમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતાં જ આક્રમણ કર્યુ, પરંતુ તેની કુંવરી હુરલ મીનળદેવી સાથે મળી ગઇ અને તેણે મીનળદેવીને તેનાં પિતાશ્રીનાં મનસુબાની જાણ કરી દીધી હતી. એજ સમયે મીનળદેવી સ્વપ્નમાં આવ્યું અને તે શિવની પાલખી અને ઘેલો વાણિયો પાલખી લઇને ત્યાંથી ભાગી નીકળ્યા. આમ સોમનાથ દાદાની પાલખી દુર નીકળી ગયા પછી જ્યારે સુલતાનને માલુમ પડ્યું કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું જ નથી. તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું જયાં જયાં ગામ આવે ત્યાં તે ગામનાં ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા સૈન્ય સાથે યુધ્ધે ચડયા. આમ શિવજીની પાલખી સોમનાથથી આશરે અઢીસો કિલોમીટર દૂર જસદણ તાલુકાનાં કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું અહીં શિવલિંગની સ્થાપનાં થઇ. સાથો સાથ આ મંદિરની સામે જ ડુંગર ઉપર મીનળદેવીએ સમાધિ લીધી.

આ યુધ્ધ દરમ્યાન ઘેલા વાણીયાનું મસ્તક કપાઇ જવા છતાં તે મુગલ સૈનિકો સામે સાત દિવસ સુધી લડ્યો. સોમનાથ દાદાના શિવલિંગનાં રક્ષણ કાજે આવેલ અનેક લોકો માર્યા ગયા હતા. છેલ્લે જ્યારે યુધ્ધમાં મહમદ જાફરના સૈનિકો બધાં જ શિવભક્તોને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે મહમદ જાફરે શિવલિંગ પર તલવારનાં ઘા મારીને શિવલિંગને ખંડીત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ જેવો તેણે શિવલિંગ પર તલવારનો ઘા માર્યો કે શિવલિંગમાંથી ભમરા નીકળ્યા. તેણે મહમંદ જાફર અને તેના સૈન્યને ખતમ કરી નાંખ્યું. સોમનાથ દાદાનાં શિવલિંગને બચાવવા ઘેલા વાણિયાનું મસતક ધડથી અલગ હોવા છતા જાફરનાં સૈન્ય સામે લડયા હતા. તેથી મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું. તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું. આ યુધ્ધમાં હજારો બ્રાહ્મણો મરાયા હતા. આમ આ જગ્યા અતિ પૌરાણિક છે.

લોકશાહી ન હતી એ સમયે ઘેલાસોમનાથ મંદિરનો વહીવટ જસદણ દરબાર સાહેબ તરફથી કરવામાં આવતો હતો. પરંતુ રાજાશાહી બાદ લોકશાહીમાં આ મંદિરો વહીવટકર્તા તરીકે રાજકોટ કલેટકરની જવાબદારી છે. મંદિરમાં શ્રાવણ માસ દરમ્યાન બ્રહ્મચોરાસી ભક્તો દ્વારા 200 કરતા વધારે બ્રાહ્મણો અને સાધુ સંતોને જમાડવામાં આવે છે અને દાન પુણ્ય પણ આપવામાં આવે છે. તો સરકાર અને ભક્તો તરફથી બારે મહિના અન્નક્ષેત્ર પણ ચાલે છે. ઘેલાસોમનાથ મહાદેવમાં શ્રાવણ માસ દરમ્યાન અલગ અલગ શણગાર કરવામાં આવે છે. અહીં શ્રાવણ મહિનામાં લોકમેળો હોય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Embed widget