શોધખોળ કરો

Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર

Navratri 2024 Day 2 Maa Brahmacharini Puja: નારદજીના કહેવા પર તેમણે અનેક હજાર વર્ષો સુધી ભગવાન શિવ માટે તપસ્યા કરી હતી.

લેખકઃ અંશુલ પાંડેય

Navratri 2024 Day 2 Maa Brahmacharini Puja: આસો નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવીનું સ્વરૂપ ખૂબ જ આહલાદક અને ભવ્ય છે. ‘બ્રહ્મ’નો અર્થ થાય છે તપ. એટલે કે આ તપ કરનારી દેવી છે. નારદજીના કહેવા પર તેમણે અનેક હજાર વર્ષો સુધી ભગવાન શિવ માટે તપસ્યા કરી હતી. તેમના તપોમચ આચરણના ફળસ્વરૂપ તેમનું નામ 'બ્રહ્મચારિણી' પડ્યું હતું.

માતાના એક હાથમાં કમંડલ છે અને બીજા હાથમાં જપ માટે માળા છે. માતાનું આ તપસ્વી સ્વરૂપ દરેકને અનેક ફળ આપનાર છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં પુણ્યની વૃદ્ધિ થાય છે. માતાના આશીર્વાદથી તે ક્યારેય કર્તવ્યના માર્ગથી ભટકતો નથી. તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. આ દિવસે તપસ્વીનું મન સ્વાધિષ્ઠાનમાં રહે છે.

મા બ્રહ્મચારિણીનો મંત્ર

दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलु | देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ||

મા બ્રહ્મચારિણીની કથા

નોંધનીય છે કે જ્યારે સતીનો ફરીથી જન્મ થયો ત્યારે તેઓ હિમાલયના રાજાની પુત્રી તરીકે જન્મ્યા હતા. નારદજીની સલાહ પર તેમણે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેથી જ તેઓને 'તપશ્ચારિણી' અથવા 'બ્રહ્મચારિણી' કહેવામાં આવે છે. હજારો વર્ષ સુધી કંદમૂળ ખાઇને વિતાવ્યા. તેઓ ગરમી, વરસાદ અને ઠંડી સહન કરતા આકાશ નીચે સૂતા. કેટલાક દિવસો તો તેઓ સૂખા બિલિપત્ર ખાઈને રહ્યા. ત્યારબાદ તેમણે પાન પણ ખાવાનું છોડી દીધું અને તેઓ 'અપર્ણા'ના રૂપમાં ઓળખાયા. ભગવાન શિવે અનેક વખત તેમની પરીક્ષા લીધી તેમાં તેઓ સંપૂર્ણ સફળ રહ્યા હતા. આ તપસ્યાનું પરિણામ એ આવ્યું કે તેમને ભગવાન બ્રહ્માના આશીર્વાદ મળ્યા.

ભગવાન બ્રહ્માજીએ તેમને આશ્વાસન આપ્યું કે તેમના ભગવાન શિવ સાથે લગ્ન જરૂર થશે અને સાથે જ સલાહ આપી હતી કે તેમના પિતા થોડીવારમાં અહીં પહોંચશે જેથી તેઓએ તેમના પિતા સાથે હિમાલયમાં પાછા ફરવું જોઈએ અને ભગવાન શિવજીની રાહ જોવી જોઈએ.

આજે સફેદ રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. દેવી પુરાણ અનુસાર આ દિવસે બે કુંવારી કન્યાઓને ભોજન અર્પણ કરવામાં આવે છે.

નોંધ- ઉપર આપેલા મંતવ્યો લેખકના અંગત મંતવ્યો છે. જરૂરી નથી કે એબીપી ન્યૂઝ ગ્રુપ આ સાથે સહમત હોય. આ લેખ સંબંધિત તમામ દાવાઓ અથવા વાંધાઓ માટે ફક્ત લેખક જ જવાબદાર છે.

નવરાત્રીમાં કુળદેવી અંબાજીને વર્ષમાં એક વાર 16 શ્રુંગાર અર્પણ કરવામાં આવે છે, જાણો શું છે માતાના શૃંગારનું મહત્વ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Rashid Khan Marriage:  અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કર્યા લગ્ન, આ ક્રિકેટરોએ આપી હાજરી, જુઓ તસવીરો
Rashid Khan Marriage: અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કર્યા લગ્ન, આ ક્રિકેટરોએ આપી હાજરી, જુઓ તસવીરો
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Fire In Garba | પહેલા જ નોરતે ગરબા ગ્રાઉન્ડમાં લાગી આગ, જુઓ વીડિયોમાં | Abp AsmitaGandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Rashid Khan Marriage:  અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કર્યા લગ્ન, આ ક્રિકેટરોએ આપી હાજરી, જુઓ તસવીરો
Rashid Khan Marriage: અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કર્યા લગ્ન, આ ક્રિકેટરોએ આપી હાજરી, જુઓ તસવીરો
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
General Knowledge: ઇઝરાયેલની સરખામણીમાં ભારતની સેના કેટલી શક્તિશાળી છે? જો યુદ્ધ થશે તો કોણ જીતશે
General Knowledge: ઇઝરાયેલની સરખામણીમાં ભારતની સેના કેટલી શક્તિશાળી છે? જો યુદ્ધ થશે તો કોણ જીતશે
Bollywood: રાત્રે 12 વાગે અભિનેત્રીના બેડરૂમમાં ઘૂસવાની કોશિશ કરતો હતો આ બોલિવૂડ સુપરસ્ટાર, એક્ટ્રેસના ખુલાસાથી મચ્યો હડકંપ
Bollywood: રાત્રે 12 વાગે અભિનેત્રીના બેડરૂમમાં ઘૂસવાની કોશિશ કરતો હતો આ બોલિવૂડ સુપરસ્ટાર, એક્ટ્રેસના ખુલાસાથી મચ્યો હડકંપ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
Embed widget