શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shravan Vastu Tips: શ્રાવણમાં કરો આ સરળ વાસ્તુ ઉપાયો, સૌભાગ્યમાં થશે વધારો
વાસ્તુશાસ્ત્રમાં શ્રાવણ મહિના માટે કેટલાક વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને અનુસરવાથી સૌભાગ્યમાં પણ વધારો થાય છે.
![Shravan Vastu Tips: શ્રાવણમાં કરો આ સરળ વાસ્તુ ઉપાયો, સૌભાગ્યમાં થશે વધારો Shravan month remedy Do these simple Vastu remedies in holy month of Shravan Shravan Vastu Tips: શ્રાવણમાં કરો આ સરળ વાસ્તુ ઉપાયો, સૌભાગ્યમાં થશે વધારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/03/71b69ac4254c2e3dddf9c71cdb056eb8168049560625876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
શ્રાવણ મહિનામાં શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજતો રહે થે
Vastu Tips: શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિ-વિધાનથી પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થાય છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં શ્રાવણ મહિના માટે કેટલાક વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને અનુસરવાથી સૌભાગ્યમાં પણ વધારો થાય છે. જાણો શ્રાવણમાં કરવા માટે વાસ્તુના આ ઉપાયો વિશે.
શ્રાવણમાં કરો વાસ્તુના આ ઉપાય
- જો તમારા ઘરમાં શિવલિંગ નથી તો તેને શ્રાવણ મહિનામાં ઘરે લાવો.આ શિવલિંગને ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં સ્થાપિત કરો. વાસ્તુમાં આ દિશાને સૌથી વધુ શુભ માનવામાં આવે છે કારણ કે તે દેવી-દેવતાઓની દિશા છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં ભગવાન શિવની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને સકારાત્મક ઉર્જા આવે છે.
- શ્રાવણ મહિનામાં દરરોજ ઘરની સારી રીતે સફાઈ કરવી જોઈએ. આ મહિનામાં ઘરને ગંદુ રાખવાથી પરિવારના સભ્યોની પ્રગતિ પર નકારાત્મક અસર પડે છે. એટલા માટે આ મહિનામાં દરરોજ ઘરની સફાઈ કરવી જોઈએ.
- શ્રાવણ મહિનામાં દરરોજ તમારા ઘરના મુખ્ય દરવાજાને ગંગાજળથી શુદ્ધ કરો. અહીં ગંગાજળનો છંટકાવ કરો અને દરવાજાની ચોકડી પર સ્વસ્તિક ચિન્હ બનાવો. આ પછી ઘરની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવો. આ પછી શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા કરો. આ ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
- વાસ્તુ અનુસાર શિવલિંગ પાસે રૂદ્રાક્ષ રાખો અને તેની વિધિવત પૂજા કરો. પૂજા કર્યા પછી શિવલિંગની નજીકથી રુદ્રાક્ષ ઉપાડીને લાલ કપડામાં બાંધીને અલમારીમાં રાખો. આમ કરવાથી ઘરમાં પૈસા અને અનાજની કમી નથી રહેતી.
- શ્રાવણ મહિનામાં ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવીને દરરોજ તેની પૂજા કરવાથી સૌભાગ્ય વધે છે.સવાર-સાંજ તુલસીની પૂજા કરવી જોઈએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચોઃ
Vastu Tips: આમદની અઠ્ઠાની ખર્ચા રૂપૈયા જેવી છે હાલત, તો ન કરો પૈસા સાથે જોડાયેલી આ ભૂલો
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)