શોધખોળ કરો

Shrawan 2022: સુરતના આ શિવાલયમાં રોજ 4200 પાર્થિવ શિવલિંગ બનાવી સાંજે કરાય છે વિસર્જન, જાણો શું છે કારણ

Shrawan 2022: ગાયના છાણા, પંચામૃત, અત્તર, ગૌમૂત્ર વિવિધ વસ્તુઓ ભેળવીને આ 4200 પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે અને સાંજે આ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે.

Shrawan 2022:  પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શહેરના શિવાલયોમાં મહાદેવને રિઝવવા માટે અનેકવિધ પૂજા અર્ચના કરવામાં આવે છે. સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ રામ મઢી આશ્રમમાં રોજની 4200 પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે અને સાંજે સંધ્યા કાળે તેનું વિસર્જન કરવામાં આવે છે.

સંતરામ બાપુએ શું કહ્યું

રામ મઢી આશ્રમના સંતરામ બાપુએ જણાવ્યું હતું કે અમારા પરમ પૂજ્ય મુળદાસ બાપુ દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે. અમારા મંદિરની બહેનો ઉનાળાના સમયમાં માટીઓ લઈ આવે છે. શ્રાવણ માસ ચાલુ થતા જ 15 થી 20 મહિલાઓ મળીને રોજ સવારે છ વાગ્યે ભેગા થઈ માટીની પાર્થિવ શિવલિંગ બનાવે છે. ગાયના છાણા, પંચામૃત, અત્તર, ગૌમૂત્ર વિવિધ વસ્તુઓ ભેળવીને આ 4200 પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે અને સાંજે આ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે.

શું છે કારણ

સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન રોજની 4200 પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે. સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે. આ પાર્થિવ શિવલિંગની પૂજા અર્ચના કર્યા બાદ પવિત્ર તાપી માતા નદીમાં વિસર્જન કરવામાં આવે છે. આ શિવલિંગની પૂજા અર્ચના કરવાનો હેતુ સર્વે મનુષ્ય જાતને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તેવા શુભ હેતુથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.


Shrawan 2022: સુરતના આ શિવાલયમાં રોજ 4200 પાર્થિવ શિવલિંગ બનાવી સાંજે કરાય છે વિસર્જન, જાણો શું છે કારણ

શિવલિંગની વેદીનું કઈ દિશામાં હોવું જોઈએ મુખ

શિવલિંગ ઘરમાં હોય કે મંદિરમાં, તેમની વેદીનું મુખ હંમેશા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. શિવલિંગમાં શિવ અને શક્તિ બંને વિરાજમાન છે, તેથી જ્યાં શિવલિંગ હોય ત્યાં ઊર્જાનો પ્રભાવ ખૂબ જ વધારે રહે છે.

કઈ દિશામાં બેસીને કરશો શિવલિંગની પૂજા

 
  • શાસ્ત્રો અનુસાર જો તમે સવારે શિવલિંગનો અભિષેક કરો છો તો પૂર્વ દિશા તરફ મુખ કરીને મહાદેવની પૂજા કરો.
  • કેટલાક લોકો સાંજના સમયે પણ શિવલિંગની પૂજા કરે છે. તેથી તમારું મુખ પશ્ચિમ તરફ રાખો.
  • વિશેષ કામના માટે રાત્રે પણ શિવની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન વ્યક્તિએ પોતાનું મુખ ઉત્તર તરફ રાખવું જોઈએ. મંત્રોના જાપ અને પાઠ માટે પૂર્વ કે ઉત્તર દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે.
  • ભગવાન શિવના ડાબા અંગમાં દેવી ગૌરીનું સ્થાન છે, તેથી ધ્યાનમાં રાખો કે ઉત્તર દિશામાં બેસીને ક્યારેય શિવની પૂજા ન કરો.
  • દક્ષિણ દિશામાં બેસીને શિવલિંગની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે.


Shrawan 2022: સુરતના આ શિવાલયમાં રોજ 4200 પાર્થિવ શિવલિંગ બનાવી સાંજે કરાય છે વિસર્જન, જાણો શું છે કારણ

આ સાવધાનીઓ પણ રાખો

  • શાસ્ત્રો અનુસાર ક્યારેય પણ ઉભા થઈને શિવલિંગ પર જળ ચઢાવવું નહીં. બેસતી વખતે પાણી ચઢાવો. ઊભા રહીને પાણી ચઢાવવાથી ફળ મળતો નથી.
  • શિવલિંગની પરિક્રમા કરવાનો નિયમ છે કારણ કે પાણીનો પ્રવાહ તેને ક્યારેય ઓળંગતો નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget