શોધખોળ કરો

Navratri 2023:  નવરાત્રિમાં આ મંત્રોની ઉપાસના  શીઘ્ર ફળ આપે છે

જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે નવરાત્રીમાં વિશિષ્ટ મંત્રોથી ઉપાસના કરવાથી તુરંત શ્રેષ્ઠ ફળ મળે છે.   15 ઓક્ટોબરથી નવરાત્રી પર્વ શરૂ થશે.  

નવરાત્રિ એટલે દેવી શક્તિ અંબિકા જગદંબા દુર્ગા ચામુંડા જેવા અનેક નામોથી આપણે જેને પૂછીએ છે તે માં જગત જનનીની ઉપાસના કરવાનો શ્રેષ્ઠ અવસર આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે નવરાત્રીમાં વિશિષ્ટ મંત્રોથી ઉપાસના કરવાથી તુરંત શ્રેષ્ઠ ફળ મળે છે.   15 ઓક્ટોબરથી નવરાત્રી પર્વ શરૂ થશે.  24 ઓક્ટોબરે  વિજયા દશમી એટલે કે દશેરા  મનાવવામાં આવશે.  આમ  આ દિવસે નવરાત્રિ  પૂરી નવ રાત મનાવી શકાશે.   નવરાત્રિ પ્રારંભમાં આ વખતે માતા દૂર્ગાનું વાહન હાથી છે જે અનુસાર  વિશ્વમાં સુખ શાંતિ અને સ્થિરતા વધશે 

દેવી ભાગવતમાં જણાવ્યા અનુસાર નવરાત્રિ ઉપાસનામાં નિત્ય પૂજામાં  દેવી મંત્ર પ્રયોગો કરવાથી શીઘ્ર ફળ મળે છે  સંકલ્પ અનુસાર ની મનોકામનાઓ સિદ્ધ થાય છે 

ઉપાસના શરૂ કરવા તેમજ નવરાત્રિ ઘટ સ્થાપના કરવા માટે ના શુભ મુહર્ત ૧૫ ઓક્ટોબર રવિવારે

સવારે  ૮-૦૪ થી ૯-૩૧ (ચલ)
૯-૩૧ થી ૧૦-૫૮ (લાભ)
૧૦-૫૮ થી ૧૨-૨૩  (અમૃત)
સાંજે  ૬-૧૩ થી ૭-૪૬  (શુભ)
રાત્રે   ૭-૪૬ થી  ૯-૧૯  (અમૃત)
રાત્રે   ૯-૧૯ થી  10-૫૨ ( ચલ)
           
નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયનો ઉત્સવ નવદુર્ગા અંબિકા જગદંબા ભગવતી ચામુંડા ચંડિકા જેવા અનેક નામોથી જેને પૂજીએ છીએ તેવી દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો આ સુવર્ણ અવસર ગણાય નવરાત્રિ ઉપાસના તુરંત ફળ આપે છે. 

દેવી ભાગવતમાં જણાવેલ અહી આપેલ અનુભવ સિદ્ધ  કોઈપણ મંત્ર કે યંત્ર દ્વારા નવરાત્રિમાં માતાજીની ઉપાસના કરાય તો જે કરે  તેનું નિર્બળ ભાગ્ય બળવાન બને છે તેનુ આપત્તિઓ સામે રક્ષણ થાય છે તમામ રીતે કલ્યાણ થાય છે 
 
પ્રાચીન કાળથી દેવી ભાગવતમાં જણાવેલ આ મહાન મંત્રો ના ઉપયોથી માં શક્તિ ને પ્રસન્ન કરવામાં આવે છે.  આ અંગે જણાવતા ચેતનભાઇએ જણાવ્યું કે દેવી ભાગવતમાં તો કહ્યુ છે કે પૃથ્વી પર જેટલા વ્રતો છે  તેમાં નવરાત્રિ વ્રતને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.  નવરાત્રિ પૂજનથી  ધન-ધાન્ય, સંતતિ,  સુખ-સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્ય, રક્ષણ,  સ્વર્ગ, મોક્ષ તેમજ વિદ્યા સુખ સંપત્તિ સૌભાગ્ય વગેરે લાભ થાય છે. 

રામાયણ યુદ્ધ સમયે ભગવાન શ્રીરામે પણ નવરાત્રિ વ્રત કરેલ અને માતાજીના આશીર્વાદ લીધા હતા તેથી જ તેમના હાથે જ દશેરાએ રાવણનો વધ થયેલ આમ પોતાનું શુભ ઇચ્છનારા સર્વ લોકોએ નવરાત્રિમાં  શક્તિની આરાધના કરવી જોઈએ 

દેવી ભાગવતમાં  દુર્ગાને પ્રસન્ન કરવા ખુબજ દુર્લભ જણાવેલ છે જેના  મંત્ર અને યંત્ર  સાધના પ્રયોગો નવરાત્રિમાં  શીઘ્ર ફળ આપે છે 
  
( ૧) શક્તિ બીજ મંત્ર પ્રયોગ ઐં. હ્રીં  કલીં 

દેવી ભાગવત અનુસાર અનેક વખતે અનેક દેવોએ અનેક ઋષિઓ એ તથા તપસ્વી  ઓ એ સંકટ સમયે કેવળ આ મહાશક્તિશાળી  આ ત્રણ એકાક્ષર  બીજ મંત્રનું  નવરાત્રિ અનુષ્ઠાન કરી   સતત જાપ કરી માતાજી ને પ્રસન્ન કરેલ હતા. 

ઐં (વાગબીજ)  હ્રીં ( માયાબીજ) અને  કલીં (કામરાજ બીજ) છે જે અનેક મંત્રો ને શક્તિથી ભરી દે તેવા છે   માટે નવરાત્રી દરમ્યાન માતાજીનું ધ્યાન કરી નિત્ય પૂજન કરી કોઈ પણ કાર્ય માટે નો સંકલ્પ કરી   ઐં. હ્રીં  કે ,કલીં કોઈ પણ એકબીજ મંત્ર નો સંકલ્પ લઈ જો જ્ઞાન બુદ્ધિ ની કામના હોય તો માતા સરસ્વતી નો  ઐં. બીજ મંત્ર  ધન સમૃદ્ધિ એશ્વર્યા ની કામના હોય તો માતા લક્ષ્મી નો  હ્રીં બીજ મંત્ર અને શક્તિ સાહસ અને રક્ષણ ની કામનાં હોય તો માતા કાલી નો  કલીં બીજ મંત્ર જાણી સંકલ્પ લઈ  ૫ માળા નિયમિત કરવી  અને દિવસ રાત્રી સતત મનોમન જાપ કરતા રહેવું  તો અવશ્ય તે કાર્ય ઈચ્છા કે મનોકામના સિદ્ધ થાય છે. 

શક્તિ મહામંત્ર પ્રયોગ

(૨)  સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે  શરણ્યે ત્ર્યંબકે ગૌરીનારાયણી નમો નમઃ સ્તુતે આ મંત્ર અંગે કહેવાય છે કે નવરાત્રિમાં કોઈપણ કાર્ય હેતુ સંકલ્પ કરી  આ મહામંત્રની ત્રણ માળા કરી પોતાના જે કોઈપણ મંગલ કાર્યની કામના માતાજી સમક્ષ કરવામાં આવે તે અવશ્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે અને  મંગલ કામના પૂર્ણ થાય છે.

(૩) જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે

કોઈપણ આપત્તિ સામે રક્ષણ હેતુની કામના કરી નવરાત્રિ નિત્ય પૂજન કરી આ મંત્રની રોજ ત્રણ માળા કરાય  અને દીવસ રાત તેનું મનમાં જાપ રહે તો  ગમે તેવી ભયંકર આપત્તિ સામે માતાજી તેનું રક્ષણ કરે છે અને કોઈ તેનો વાળ પણ વાકો કરી શકતું નથી ગજબનું સાહસ પ્રાપ્ત થાય છે અને અનેક  મનોરથ પૂરા કરે છે.  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
Rashifal 8 July 2026: 3 રાશિના જાતકને થશે બિઝનેસમાં મોટો ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ
Rashifal 8 July 2026: 3 રાશિના જાતકને થશે બિઝનેસમાં મોટો ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget