શોધખોળ કરો

Makar Sankranti 2023: આ વર્ષે સંક્રાંતિનું આ છે વાહન,મોંઘી થશે આ વસ્તુઓ અને જાણો કેવો થશે વરસાદ

Makar Sankranti: ચાલુ વર્ષે સંક્રાંતિ ચિત્રા નક્ષત્ર સુકર્મા યોગ બાલવ કરણમાં ઉજવાશે, સંક્રાંતિનું સ્વરૂપ જોતા આગામી વર્ષમાં મધ્યમથી સારો વરસાદ થઇ શકે છે. આ વર્ષે સંક્રાંતિ કઇ વસ્તુઓ મોંઘી થવાના સંકેત આપે છે જાણીએ..

Makar Sankranti: ચાલુ વર્ષે સંક્રાંતિ ચિત્રા નક્ષત્ર સુકર્મા યોગ બાલવ કરણમાં ઉજવાશે, સંક્રાંતિનું સ્વરૂપ જોતા આગામી વર્ષમાં મધ્યમથી સારો વરસાદ થઇ શકે છે. આ વર્ષે સંક્રાંતિ કઇ વસ્તુઓ મોંઘી થવાના સંકેત આપે છે જાણીએ..

સૂર્ય મકર રાશિમાં ગોચર કરતાં જ મકરસંક્રાતિ ઉજવાઇ છે. તે દિવસે દાન સેવાનું પણ મહત્વ છે. 14 જાન્યુઆરી શનિવાર રાત્રે 8:46 કલાકે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે કર્મૂરતા પૂર્ણ થશે. બાદ માંગલિક કાર્ય થઇ શકશે. સંક્રાંતિનો પૂર્ણ કાળ સવારે 7:29 થી સાંજે 5:24 વાગ્યાનો રહેશે.

સંક્રાંતનુ વાહન આ વર્ષે વાઘ છે. તેના વસ્ત્રો

પીળા છે અને હાથમાં આયુધ છે. આ વર્ષે તે દક્ષિણમાંથી આવે છે અને ઉત્તરમાં જાય છે. તેની દષ્ટી ઇશાન તરફ રહે છે.

સૂર્ય દેવનું રાશિ પરિવર્તન દર માસે થતાં વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે. જો કે આ બારેય સંક્રાંતિમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે કાળા તલ, અનાજના દાનનું વિશેષ મહત્વ છે. સૂર્ય પૂજા કરીને સૂર્યને અર્ઘ્ય આપવાનું અને બાદ ગાયને લીલું ઘાસ અને અનાજ ખવડાવાનું પણ માહાત્મ્ય છે. શ્વાનને રોટલી અને પક્ષીને દાણા આપવામાં આવે છે. રાશિ અનુસાર દાન કરવાથી વિશેષ લાભ મળે છે.

Makar Sankranti 2023 Daan: મકર સંક્રાંતિના દિવસે રાશિનુસાર આ ચીજોનું કરો દાન, મળશે અપાર સફળતા

Makar Sankranti 2023 Daan:મકરસંક્રાંતિનું પર્વ 14 જાન્યુઆરીએ દર વર્ષે હર્ષોઉલ્લાસ સાથે મનાવાય છે. આ પર્વમાં દાનનું વિશેષ મહત્વ છે. રાશિનુસાર દાન કરવાથી જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.

મેષ-મકરસંક્રાંતિના શુભ મુહૂર્તમાં મેષ રાશિના જાતકોએ જરૂરિયાતમંદોને ગોળ, મગફળી અને તલનું દાન કરવું જોઈએ. તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

વૃષભઃ- વૃષભ રાશિના લોકોએ સૂર્યદેવની કૃપા મેળવવા માટે મકરસંક્રાંતિના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે સફેદ વસ્ત્ર, દહીં અને તલનું દાન કરો. આના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે અને જો તેઓ કોઈ કાયદાકીય સમસ્યામાં ફસાયેલા હોય તો તેમાંથી મુક્તિ મળે છે.

 મિથુનઃ- મિથુન રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે મગની દાળ, ચોખા અને ધાબળાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તેઓ તેમના જીવનમાં આવનાર સંકટમાંથી મુક્તિ મેળવે છે અને આ દાન નોકરી અને વ્યવસાય માટે શુભ અને ફળદાયી છે.

 કર્કઃ- કર્ક રાશિના જાતકોએ આ દિવસે ચોખા, ચાંદી અને સફેદ તલનું દાન કરવાથી શુભ ફળ મળે છે. નોકરીમાં આવતા અવરોધોથી મુક્તિ મળે છે. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે શુભ સમયે દાન કરવું શ્રેષ્ઠ છે.

 સિંહ – સિંહ રાશિના જાતકે તાંબુ અને ઘઉંનું દાન સંક્રાંતિમાં કરવું જોઇએ. આમ કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને ચાલી રહેલા વિવાદોથી મુક્તિ મળે છે.

 કન્યા -- કન્યા રાશિના જાતકો દ્વારા મકરસંક્રાંતિના દિવસે ખીચડી, ધાબળા અને લીલા કપડાનું દાન કરવાથી તેમના જીવનનો તણાવ ઓછો થાય છે. સુખ-સમૃદ્ધિ વધે છે. કોઈ પણ જરૂરિયાતમંદ અથવા વ્યંઢળને શુભ સમયે દાન કરવાથી વિશેષ ફળ મળે છે.

 તુલા -- મકરસંક્રાંતિના દિવસે તુલા રાશિવાળા લોકોએ સફેદ હીરા, ખાંડ અને ધાબળાનું દાન જરૂરતમંદોને કરવું જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા વધે છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.

વૃશ્ચિક - વૃશ્ચિક રાશિવાળા લોકોએ પોતાના જીવનમાં સમૃદ્ધિ મેળવવા માટે મકરસંક્રાંતિના દિવસે કોઈપણ જરૂરિયાતમંદ અથવા ગરીબ વ્યક્તિને પરવાળા, લાલ કપડા અને તલનું દાન કરવું જોઈએ. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે આ દાન વિશેષ લાભદાયી છે.

 ધન - મકરસંક્રાંતિના દિવસે ધનુ રાશિના લોકોએ પીળા કપડા, હળદર અને ગોળનું દાન કરવું જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ધન-ધાન્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

 મકર- - મકર સંક્રાંતિના દિવસે સૂર્યને પ્રસન્ન કરવા અને જીવનમાં આશીર્વાદ મેળવવા માટે મકર રાશિના લોકોએ કાળો ધાબળો, તેલ અને તલનું દાન કરવું જોઈએ. જેના કારણે જીવનમાં પૈસાની કમી નથી રહેતી.

 કુંભ - પરિવારમાં સુખ અને સારા સ્વાસ્થ્યના આગમન માટે કુંભ રાશિના લોકો માટે સૂર્યને પ્રસન્ન કરવા અને સૂર્યની કૃપા મેળવવી માટે ખૂબ જ જરૂરી છે, મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન વિશેષ ફળ આપે છે. કુંભ રાશિના લોકોએ આ દિવસે કાળું કપડું, અડદની દાળ, ખીચડી અને તલનું દાન કરવું જોઈએ.

 મીન - મકરસંક્રાંતિના દિવસે દાન-પુણ્ય કરવાથી સફળતા મળે છે, ખાસ કરીને આ દિવસે મીન રાશિના લોકોએ રેશમી વસ્ત્ર, ચણાની દાળ, ચોખા અને તલનું દાન કરવું જોઈએ. તેનાથી સૂર્યની કૃપા મળે છે અને સાથે જ દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે.

 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા તેની  પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક  લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
Vastu Tips: સૂકી તુલસીને ફેંકવાની ભૂલ ન કરો! જાણો તેનાથી જોડાયેલા 5 ખાસ ચમત્કારિક ઉપાય
Vastu Tips: સૂકી તુલસીને ફેંકવાની ભૂલ ન કરો! જાણો તેનાથી જોડાયેલા 5 ખાસ ચમત્કારિક ઉપાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Embed widget