શોધખોળ કરો
Advertisement
લાંબો અંગૂઠો વ્યક્તિને બનાવે છે તર્કશીલ, આવા લોકોમાં હોય છે વિશેષ ગુણ
હસ્તરેખાશાસ્ત્રમાં અંગૂઠાનું વિશેષ મહત્વ છે. જે વ્યક્તિનો અંગૂઠો લાંબો હોય તે બુદ્ધિશાળી અને વ્યવહારુ હોય છે.
પાંચ આંગળીઓમાં અંગૂઠાનું મહત્વ સર્વોપરી છે. તે ચારેય આંગળીઓને ટેકો અને શક્તિ પ્રદાન કરે છે. અંગૂઠાનું મહત્વ મહાભારત કાળથી પ્રમાણિત છે. ગુરુ દ્રોણાચાર્યએ છુપાઈને ધનુર્વિધ્યા શીખનારા ભીલ યુવક એકલવ્ય પાસેથી દક્ષિણામાં અંગૂઠો માંગી લીધો હતો. તીરંદાજીમાં અંગૂઠાની ભાગીદારી ખૂબ મહત્વપૂર્ણ છે.
હસ્તરેખાશાસ્ત્રમાં અંગૂઠાનું વિશેષ મહત્વ છે. જે વ્યક્તિનો અંગૂઠો લાંબો હોય તે બુદ્ધિશાળી અને વ્યવહારુ હોય છે. આવા લોકો સારા વક્તા અને વકીલ હોય છે. રાજકારણીઓના હાથમાં પણ ઘણીવાર લાંબો અંગુઠો જોવા મળે છે. લાંબી અંગૂઠો વ્યક્તિત્વને નિખારે છે અને આવા લોકો ભીડમાં અલગ તરી આવે છે.
અંગૂઠાનો હથેળી સાથે જોડાયેલો ભાગ ભરાયેલો હોય તો આવી વ્યક્તિઓ તેમના હકોનું રક્ષણ કરવામાં સક્ષમ હોય છે. સારા રણનીતિકાર અને સક્રિયતાથી ભરપૂર કાર્યો કરતા હોય છે. આવા લોકો આકર્ષક અને પદ પ્રતિષ્ઠા મેળવતા હોય છે.
જે લોકોના અંગૂઠાના નખ લાંબા હોય તેવા વ્યક્તિની ઈચ્છાશક્તિથી મજબૂત હોય છે. તેઓ લક્ષ્યને પૂરા કરવા માટે જીવન દાવ પર લગાવી દે છે. વચનના પાકા હોય છે. પદ પ્રતિષ્ઠા પ્રત્યે સંવેદનશીલ હોય છે. સમાજમાં પ્રતિષ્ઠા મેળવે છે. જો અંગૂઠો વધારે હોય તો વ્યક્તિ ગુસ્સો પણ કરતો હોય છે.
શનિદેવ વરસાવી રહ્યા છે કૃપા, આળસ છોડીને લાગી જાવ લક્ષ્યને હાંસલ કરવા
કોંગ્રેસ નેતાઓ પર આરોપ મૂકનારા કયા ટોચના મહિલા નેતા ભાજપમાં થયા સામેલ, શું કહી વાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion