શોધખોળ કરો

Ganesh Chaturthi 2024 Live: ગણેશ ચતુર્થીના અવસરે સ્થાપનનું આ છે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત, આ વિધિથી કરો પૂજન

Ganesh Chaturthi 2024 Puja Muhurt Live: આજે 7 સપ્ટેમ્બર 2024ના રોજ ગણેશ ચતુર્થી છે. આજે ઘરો, મંદિરો અને પંડાલોમાં ગણપતિ સ્થાપન કરવામાં આવશે. જાણો ગણપતિની સ્થાપનાનો શુભ સમય અને પૂજા વિધિ

LIVE

Key Events
Ganesh Chaturthi 2024 Live: ગણેશ ચતુર્થીના અવસરે સ્થાપનનું આ છે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત, આ વિધિથી કરો પૂજન

Background

Ganesh Chaturthi 2024 Puja Muhurt Live: Ganpati Chaturthi 2024: ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે એટલે કે 7 સપ્ટેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે. દેશભરમાં આ દિવસે શુભ મુહૂર્તમાં બાપ્પાની સ્થાપના કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે મૂર્તિની સ્થાપના કોઈ શુભ સમયે અને સૂર્યાસ્ત પહેલા કરવી જોઈએ, તેના કારણે ગૌરીના પુત્ર ગજાનનની કૃપા પરિવાર પર રહે છે.

ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી 10 દિવસ સુધી બાપ્પાની પૂજા અને આરતી સાધના કરવામાં આવે છે. જાણો ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના મુહૂર્તનો શુભ સમયસ્થાપન વિધિ

 ગણેશ ચતુર્થી શુભ મૂહૂર્ત

  • ગણેશ ચતુર્થી પર બાપ્પાની સ્થાપના માટે ત્રણ શુભ મુહૂર્ત છે. ભાદોન મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 03.01 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે 05.37 વાગ્યા સુધી ચાલુ રહેશે.
  • ગણેશજી સ્થાપનનું  મુહૂર્ત - સવારે 07.36 - સવારે 09.10
  • મધ્યાહન  મુહૂર્ત - 11.03 pm - 01.34 pm
  • ત્રીજું શુભ મુહૂર્ત  - બપોરે 01.53 - બપોરે 03.27

મૂર્તિની સ્થાપના માટે આ સૌથી શુભ સમય છે.

ગણેશ પુરાણ મુજબ, ગણપતિનો જન્મ ચતુર્થી તિથિ અને ચિત્રા નક્ષત્રના મધ્યાહ્ન સમયગાળામાં એટલે કે દિવસના ઉત્તરાર્ધમાં થયો હતો. આ શુભ સમય 7 સપ્ટેમ્બરના રોજ સવારે 11.20 વાગ્યાથી શરૂ થઈ રહ્યું  છે.

ગણેશ પૂજા સામગ્રી

ભગવાન ગણેશની માટીની મૂર્તિ, કુમકુમ, હળદર, અક્ષત, સોપારી, સિંદૂર, ગુલાલ, લવિંગ, નાડ઼ાછડી,સૂતરનો દોરો, લાલ કપડું, બાજોડ,પીળું કપડું, દુર્વા, કપૂર, પંચમેવા, દીવો, ધૂપ, પંચામૃત, મોલી, ફળો, ગંગાજળ, કલશ, ફળો, નારિયેળ, ચંદન, કેળા, ફૂલની માળા, કેરીના પાન, અષ્ટગંધ વગેરે તૈયાર કરો.

 ગણેશ ચતુર્થી પર સ્થાપના વિધિ પદ્ધતિ (Ganesh Chaturthi Sthapana Vidhi)

ગણેશ જીના મનપસંદ ફૂલો, ચંપા, ગુલાબ, કરેણ, ગલગોટા વગેરે ફુલોથી શૃંગાર કરો,

 ભગવાન ગણેશના પ્રિય પાન - દુર્વા, ધતુરા, આંક, બેલપત્ર, શમી પત્ર, કેળા, કનેર.

 ભગવાન ગણેશનો પ્રિય ખોરાક - મોદક, લાડુ, મખાનાની ખીર, કેળા, માલપુઆ, નારિયેળ

ગણેશ ચતુર્થીના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરીને ધોયેલા કપડા પહેરો. જ્યાં મૂર્તિની સ્થાપના કરવાની હોય તે જગ્યાને સાફ કરો. દીપક પ્રગટાવવો

શુભ મુહૂર્તમાં પીળા કપડાને પાથરીને પૂજાના બાજોટ પર જમણી બાજુ કળશ રાખો.  બ્રહ્માંડના દેવી-દેવતાઓ કલશમાં નિવાસ કરે છે.

હવે ભગવાન ગણેશની મૂર્તિને સ્થાપિત કરો.

મૂર્તિ પર આંબાના પાનમાંથી થોડું પાણી અને પંચામૃત છાંટવું. હવે તેમને પવિત્ર દોરો પહેરાવો. પૂજાની તમામ સામગ્રી અર્પણ કરો.

મોદક અર્પણ કરો  ગણેશ ચાલીસા, ગણેશ સ્તોત્રનો પાઠ કરો અને અગરબત્તી પ્રગટાવીને આરતી કરો. તેવી જ રીતે સાંજે થાળ ધરાવો, આરતી કરો .

ગણેશજીના આ મંત્રનું કરો જાપ

ઓમ શ્રી ગણેશાય નમઃ

  • ગણેશજીના આ મંત્રનું કરો જાપ
  • ઓમ શ્રી ગણેશાય નમઃ
  • ઓમ ગં હેરમ્બાય નમઃ
  • ઓમ ગં ધરણીધરાય નમઃ
  • ઓમ ગં મહાગણપતયૈ નમઃ
  • ઓમ ગં લક્ષપ્રદાય નમઃ
14:09 PM (IST)  •  07 Sep 2024

મંબઇના લાલ બાગ ચા રાજાને અનંત અંબાણીએ ચઢાવ્યો સોનાનો મુગટ

મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લુક ગુરુવારે ગણેશ ચતુર્થી પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો. દર વર્ષે મુંબઈના લાલબાગના રાજાની આતુરતાથી રાહ જોવામાં આવે છે. મુંબઈના લાલબાગચા રાજાના મસ્તક પર 16 કરોડ રૂપિયાનો મુગટ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહે છે. મરૂન કલરના વસ્ત્રોમાં સજ્જ બાપ્પાની ઝલક જોઈને ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ 15 કરોડનો સોનાના મુગટ અનંગ અંબાણીએ લાલાગ ચા રાજાને ચઢાવ્યો છે.

13:20 PM (IST)  •  07 Sep 2024

ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી, અમદાવાદમાં ગણેશ ચતુર્થી પર્વે 3,000 થી પણ વધુ પંડાલ

દેશભરમાં શ્રદ્ધાભેર ગણેશ ચતુર્થીની ઉજવણી થઇ રહી છે. અમદાવાદમાં ગણેશ ચતુર્થી પર્વે નાના મોટા 3,000 થી પણ વધુ પંડાલ બનાવવામાં આવ્યા છે. અમદાવાદના સોસાયટીમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી થઇ રહી છે.
અમદાવાદના શેલા વિસ્તારમાં આકાશ રેસીડેન્સીના નવયુવક મંડળ દર વર્ષેની જેમ  આ વર્ષે પણ વાજતે ગાજતે  ગણેશનું સ્વાગત કર્યું હતું. અહીં દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે.

12:55 PM (IST)  •  07 Sep 2024

વિઘ્નહર્તાનુ યાત્રાધામ ડાકોરમાં વાજતેગાજતે આગમન

આજે ગણેશ ચતુર્થીના અવસરે યાત્રાધામ ડાકોરમાં વિઘ્નહર્તાનું વાજતે ગાજતે આગમન થયું છે.
જુનો કુંભારવાડો ગોપાલપુરા યુવક મંડળના ગણેશજીનું લેસર શો યોજી સ્વાગત કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રથી બોલાવવામાં આવેલા નાસિક ઢોલ સાથે વિઘ્નહર્તાનું આગમન નિહાળવા ડાકોર તથા ડાકોર ની આસપાસના ગામના લોકો પહોંચ્યા  હતા. ગઈકાલે મોડી રાત્રે જોરદાર આતશબાજી સાથે ગણેશજીની સવારી બસ સ્ટેન્ડ થી જુના કુંભારવાડા તરફ નીકળી હતી.

12:51 PM (IST)  •  07 Sep 2024

સુરતના લાલ દરવાજા વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બની આકર્ષણનું કેન્દ્ર

સુરતના લાલ દરવાજા વિસ્તારમાં 100 ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે વૃક્ષની છાલ માંથી બનાવાયેલા ગણેશજી મૂર્તિ મંત્ર મુગ્ધ કરનાર છે. સુરતના લાલ દરવાજા વિસ્તારના એકદંત યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે.. વેસ્ટિજ વૃક્ષની છાલ માંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને 45 દિવસ જેટલો સમય લાગ્યો હતો ..આ મૂર્તિ ની ઊંચાઈ 11 ફૂટની છે જેની અંદર 200 કિલો ઘાસ અને 300 કિલો માટી સાથે 70 થી 80 જેટલી લાકડાની છાલો થી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.

11:17 AM (IST)  •  07 Sep 2024

ગણેશ ચતુર્થીનું મહત્વ

દંતકથા અનુસાર, માતા પાર્વતીએ માટીમાંથી એક બાળક બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યાં, જેનું નામ ગણેશ રાખવામાં આવ્યું. તે દિવસે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ હતી. આ જ કારણસર ગણેશ ચતુર્થી દર વર્ષે તે તારીખે ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશ વિઘ્નો દૂર કરનાર અને પ્રથમ પૂજનિય દેવતા  છે. શુભતાનું પ્રતીક. જે વ્યક્તિ ગણેશ ચતુર્થીના દિવસે વ્રત રાખે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે, તેની મનોકામના ગણપતિ બાપ્પા પૂરી કરે છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Embed widget