Holi 2023: હોળીના પર્વમાં ભૂલથી પણ ન કરો, આ રંગનો ઉપયોગ, જાણો કયો રંગ આપના માટે છે અશુભ
હોળી પર રંગોનું વિશેષ મહત્વ હોય છે. કહેવાય છે કે રાશિ પ્રમાણે રંગોથી હોળી રમવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ રાશિ પ્રમાણે કયો રંગ તમારા માટે અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ.

Holi 2023: હોળી પર રંગોનું વિશેષ મહત્વ હોય છે. કહેવાય છે કે રાશિ પ્રમાણે રંગોથી હોળી રમવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ રાશિ પ્રમાણે કયો રંગ તમારા માટે અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ.
8 માર્ચ 2023ના રોજ રંગોતસવ ઘૂળેટી મનાવવામાં આવશે. મેષ રાશિનો સ્વામી મંગળ છે. મંગળને લાલ રંગ પસંદ છે પરંતુ આ રાશિના લોકોએ કાળા અને વાદળી રંગથી દૂર રહેવું જોઈએ. કારણ કે આ રંગો શનિના છે. શનિ અને મંગળ એકબીજાના વિરોધી માનવામાં આવે છે.
વૃષભ રાશિના લોકો માટે લાલ અને ભૂરા રંગ અશુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો હોળી પર લાલ રંગનો ઉપયોગ કરવાનું ટાળો. આ રંગો વૃષભ માટે નકારાત્મક અસર કરી શકે છે.
હોળીનો તહેવાર રંગોનો તહેવાર છે, પરંતુ મિથુન રાશિના લોકોએ આ દિવસે રાખોડી, નારંગી, કાળો અને લાલ રંગથી દૂર રહેવું જોઈએ. આ રંગ આપના જીવન પર નકારાત્મક અસર કરે છે.
કર્ક રાશિના લોકોને કાળા, વાદળી, રાખોડી રંગોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. તમારી રાશિનો સ્વામી ચંદ્ર છે જેને સફેદ રંગ પસંદ છે.
સિંહ રાશિના લોકોનું વ્યક્તિત્વ ઉષ્માભર્યું હોય છે. હોળીના દિવસે, તમારે વાદળી, ગુલાબી, કાળા રંગોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ રંગ તમારા વ્યક્તિત્વને વધારવાને બદલે તેને દબાવી દે છે.
કન્યા રાશિવાળા લોકોએ લાલ રંગનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ. આ રંગ કન્યા રાશિ માટે અશુભ છે.
તુલા રાશિના જાતકોએ હોળી એટલે કે ધુળેટી પર નારંગી, લાલ, ભૂરા અને કાળા રંગનો ઉપયોગ ટાળવો જોઈએ. તુલા રાશિના લોકોનો સ્વભાવ શાંત હોય છે અને લાલ રંગ જુસ્સાનું પ્રતિક છે જે તમારા સ્વભાવની વિરુદ્ધ છે. જ્યારે કાળો રંગ નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે.
વૃશ્ચિક રાશિના લોકોએ સફેદ અને ગુલાબી રંગથી દૂર રહેવું જોઈએ. આ તમારા માટે ભાગ્યશાળી નથી માનવામાં આવતા. હોળી પર તેનો ઉપયોગ કરશો નહીં.
હોળી પર, જ્યાં ધન રાશિના લોકો માટે પીળો રંગ ભાગ્યશાળી માનવામાં આવે છે, ત્યાં રાખોડી અને કાળો રંગ તેમના માટે અશુભ માનવામાં આવે છે. આ રંગો તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો લાવી શકે છે.
શનિ મકર રાશિનો સ્વામી છે. શનિને વાદળી રંગ પસંદ છે. જ્યારે ગુલાબી, પીળો, લાલ રંગ તમારા માટે અશુભ માનવામાં આવે છે. હોળી પર તેનો ઉપયોગ કરશો નહીં. આ રંગો તમારા જીવનમાં નકારાત્મક પ્રભાવ પાડે છે.
કુંભ રાશિના લોકોએ પીળા, લાલ અને ભૂરા રંગોનો ઉપયોગ ટાળવો જોઈએ. આ રંગોનો ઉપયોગ કરવાથી તમારા જીવનમાં નીરસતા આવી શકે છે.
મીન રાશિના લોકોને ઘાટા લાલ અને કાળા જેવા ઘાટા રંગોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આ તમારા જીવનમાં માનસિક, શારીરિક અને આર્થિક ક્ષેત્રે મુશ્કેલી સર્જી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
