શોધખોળ કરો

Sun Transit 2026: સૂર્યનું મૃગશિરા નક્ષત્રમાં ગોચર, 15 જૂન પછી આ રાશિઓની લોટરી લાગશે!

Sun transit June 2026: 8 જૂનથી સૂર્યદેવ મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે; 15 જૂન પછી મિથુન રાશિમાં જતાં જ કરિયર, સંબંધો અને આર્થિક બાબતોમાં થશે મોટા ફેરફારો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જૂન 2026 માં સૂર્ય મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
  • આ ગોચર તુલાથી મીન રાશિ માટે શુભ રહેશે.
  • સૂર્ય ગોચર બે તબક્કામાં, 8 અને 15 જૂનથી શરૂ થશે.
  • કરિયર, ધન અને સંબંધોમાં સકારાત્મક ફેરફારોની શક્યતા છે.

Sun transit June 2026: જ્યોતિષશાસ્ત્ર મુજબ જૂન 2026 નો મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. ગ્રહોના રાજા ગણાતા 'સૂર્યદેવ' ટૂંક સમયમાં જ પોતાનું નક્ષત્ર બદલીને મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જ્યોતિષીઓનું માનવું છે કે, સૂર્યનું આ ગોચર (પરિવર્તન) તુલાથી લઈને મીન રાશિના જાતકો માટે જીવનમાં સકારાત્મક ફેરફારો અને એક 'સુવર્ણ કાળ' લઈને આવી શકે છે. યોગ્ય સાવચેતી અને ઉપાયો કરવાથી લોકોની મુશ્કેલીઓ દૂર થશે અને કરિયર, પૈસા તેમજ પારિવારિક સંબંધોમાં પ્રગતિ જોવા મળશે.

સૂર્યના ગોચરના બે મુખ્ય તબક્કા

મૃગશિરા નક્ષત્રના પ્રભાવ હેઠળ જૂન મહિનો નવી શોધો અને રિસર્ચ માટે ઉત્તમ રહેશે. આ ગોચર બે ભાગમાં થશે:

પ્રથમ તબક્કો (8 થી 15 જૂન, 2026): આ સમયે સૂર્ય વૃષભ રાશિમાં રહીને મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે.

બીજો તબક્કો (15 જૂન, 2026 પછી): 15 જૂને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી આ ગોચરની અસરમાં વધારો થશે.

તુલાથી મીન રાશિ પર કેવી પડશે અસર અને શું છે ઉપાય?

1. તુલા રાશિ

અસર: સૂર્ય તમારા આઠમા ભાવથી શરૂ કરીને ભાગ્ય સ્થાન (નવમા ભાવ) માં જશે. 15 જૂન પછીનો સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે અને અટકેલા કામો પૂરા થશે.

ઉપાય: કોઈ પણ ઉતાવળિયો નિર્ણય ન લેવો. રવિવારે સાંજે મંદિરમાં દીવો કરવો.

2. વૃશ્ચિક રાશિ

અસર: સૂર્ય સાતમા ભાવથી આઠમા ભાવમાં જશે. શરૂઆતમાં બિઝનેસ પાર્ટનરશિપ અને લગ્નજીવન પર ધ્યાન રહેશે. 15 જૂન પછી પૈસાના આયોજન (Financial Planning) અને રોકાણ પર ખાસ ધ્યાન આપવું પડશે.

ઉપાય: સંબંધોમાં પારદર્શિતા રાખવી. રવિવારે ગાયને ગોળ ખવડાવવો શુભ રહેશે.

આ પણ વાંચોઃ 2026 ના જૂનમાં કર્ક રાશિમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે

3. ધનુ રાશિ

અસર: સૂર્ય છઠ્ઠા ભાવથી સાતમા ભાવમાં જશે. ઓફિસમાં કામનું ભારણ ઘટાડવા માટે શિસ્ત જાળવવી પડશે. 15 જૂન પછી નવા બિઝનેસ સંબંધો અને નવી તકો મળશે.

ઉપાય: દિનચર્યા વ્યવસ્થિત રાખો. રોજ 'આદિત્ય હૃદય સ્તોત્ર' નો પાઠ કરવો.

4. મકર રાશિ

અસર: સૂર્ય પાંચમાથી છઠ્ઠા ઘરમાં જશે. વિદ્યાર્થીઓ અને ક્રિએટિવ ફિલ્ડના લોકોને મોટી સફળતા મળી શકે છે. 15 જૂન પછી તમારી મહેનતથી તમે ઓફિસમાં તમારા વિરોધીઓને પછાડી શકશો.

ઉપાય: મહેનત ચાલુ રાખવી. રવિવારે પક્ષીઓને ચણ નાખવી.

5. કુંભ રાશિ

અસર: સૂર્ય ચોથાથી પાંચમા ભાવમાં જશે. ઘર-પરિવારમાં શાંતિ અને સુખ પર તમારું ધ્યાન રહેશે. 15 જૂન પછી વિદ્યાર્થીઓ માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે.

ઉપાય: ઘરનું વાતાવરણ શાંત રાખવું. રવિવારે જરૂરિયાતમંદને લાલ કપડાંનું દાન કરવું.

આ પણ વાંચોઃ ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે

6. મીન રાશિ

અસર: સૂર્ય ત્રીજાથી ચોથા ભાવમાં પ્રવેશ કરશે. શરૂઆતમાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. 15 જૂન પછી નવી જમીન, મકાન કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે.

ઉપાય: તમારા વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરો. રવિવારે ગરીબોને ફળનું દાન કરવું.

(અસ્વીકરણ: આ માહિતી સામાન્ય જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાત જ્યોતિષીની સલાહ લેવી હિતાવહ છે.)

Frequently Asked Questions

સૂર્યનું ગોચર જૂન 2026 માં ક્યારે થશે?

ગ્રહોના રાજા સૂર્યદેવ જૂન 2026 માં પોતાનું નક્ષત્ર બદલીને મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ ગોચર 8 જૂનથી શરૂ થઈને બે તબક્કામાં થશે.

સૂર્યનું આ ગોચર કઈ રાશિઓ માટે શુભ રહેશે?

જ્યોતિષીઓનું માનવું છે કે, આ ગોચર તુલાથી લઈને મીન રાશિના જાતકો માટે જીવનમાં સકારાત્મક ફેરફારો અને એક 'સુવર્ણ કાળ' લઈને આવી શકે છે.

સૂર્યના ગોચરના બે મુખ્ય તબક્કા કયા છે?

પ્રથમ તબક્કો 8 થી 15 જૂન, 2026 દરમિયાન સૂર્ય વૃષભ રાશિમાં રહીને મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે. બીજો તબક્કો 15 જૂન, 2026 પછી શરૂ થશે, જ્યારે સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

મીન રાશિ પર સૂર્યના ગોચરની શું અસર થશે અને શું ઉપાય છે?

મીન રાશિ પર સૂર્યના ગોચરથી શરૂઆતમાં આત્મવિશ્વાસમાં વધારો થશે. 15 જૂન પછી નવી જમીન, મકાન કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. ઉપાય તરીકે રવિવારે ગરીબોને ફળનું દાન કરવું.

ટોપ સ્ટોરી

Surya Gochar 2026: 17 સપ્ટેમ્બરથી સૂર્ય બદલશે ચાલ, 3 રાશિઓની ચમકશે કિસ્મત
Surya Gochar 2026: 17 સપ્ટેમ્બરથી સૂર્ય બદલશે ચાલ, 3 રાશિઓની ચમકશે કિસ્મત
26 સપ્ટેમ્બરથી 4 રાશિઓનો શરૂ થઈ શકે છે સુવર્ણકાળ, લક્ષ્મી નારાયણ યોગ બનવાથી બમ્પર ધનલાભના સંકેત
26 સપ્ટેમ્બરથી 4 રાશિઓનો શરૂ થઈ શકે છે સુવર્ણકાળ, લક્ષ્મી નારાયણ યોગ બનવાથી બમ્પર ધનલાભના સંકેત
Today's Horoscope: બુધવારનો દિવસ આ 5 રાશિ માટે નિવડશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 5 રાશિ માટે નિવડશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
9 સપ્ટેમ્બરે સિંહ રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, મેષ-તુલા સહિત 3 રાશિઓને થશે આર્થિક લાભ 
9 સપ્ટેમ્બરે સિંહ રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, મેષ-તુલા સહિત 3 રાશિઓને થશે આર્થિક લાભ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
Embed widget