શોધખોળ કરો

Astrology: સારો સમય શરૂ થતાં પહેલા મળે છે આ 7 સંકેત, આમાંથી એક પણ દેખાય તો મળશે મોટી સફળતા

Astrology News: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સારા સમયની શરૂઆત થતા પહેલા આપણને કેટલાક સંકેતો મળે છે

Astrology News: દરેક વ્યક્તિ જીવનમાં ક્યારેક ક્યારેક મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. આવા સમયે અમે ઈચ્છીએ છીએ કે આ તબક્કો જલ્દી સમાપ્ત થાય અને સારા દિવસો શરૂ થાય. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સારા સમયની શરૂઆત થતા પહેલા આપણને કેટલાક સંકેતો મળે છે, આજે અમે તમને આ સંકેતો વિશે જાણકારી આપીશું. જો તમને પણ આ સંકેતો મળે તો સમજી લો કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે.

જો પાણી ભરેલું પાત્ર દેખાય 
પાણીનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે જોવા મળે છે. આ ઉપરાંત જ્યોતિષમાં આ શુભ ગ્રહ ચંદ્રનું પણ પ્રતીક છે. આવી સ્થિતિમાં, જો તમે રસ્તા પર ચાલતી વખતે ક્યારેય પાણીથી ભરેલું વાસણ જુઓ, તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે. પાણીથી ભરેલા વાસણને જોયા પછી, તમને કોઈ સારા સમાચાર મળી શકે છે, અથવા કંઈક એવું થઈ શકે છે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે.

હાથમાં ખંળવાળ આવવી 
જો કોઈ પુરુષના જમણા હાથ અને સ્ત્રીના ડાબા હાથને વારંવાર ખંજવાળ આવતી હોય તો આ પણ શુભ સંકેત માનવામાં આવે છે. જ્યારે આવું થાય છે, ત્યારે પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે અને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના પણ બની શકે છે. હાથમાં ખંજવાળનો અર્થ એ પણ છે કે તમારા જીવનનો ખરાબ તબક્કો સમાપ્ત થવાનો છે અને તમે નાણાકીય મોરચે સફળ થઈ શકો છો.

વારંવાર સાવરણી દેખાવવી 
જો તમને ઘરની બહાર વારંવાર ઝાડુ - સાવરણી દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે. સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે, તેથી સાવરણીને ઘણી વખત જોવું એ સંકેત આપે છે કે તમને આર્થિક લાભ મળી શકે છે. જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા, તો તે હવે સમાપ્ત થઈ શકે છે.

કાળી કીડીઓનું ઘરમાં આવવું 
કાળી કીડીને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે તમારા ઘરમાં કાળી કીડીઓ આવતા જુઓ છો તો તે સારા દિવસો આવવાના સંકેત છે. જો તમે તમારા ઘરની દિવાલ પર કીડીઓનું જૂથ ચડતા જુઓ છો, તો તમે તમારી કેરિયર અને વ્યવસાયમાં પ્રગતિ કરી શકો છો. જો કે તમારે તમારા ઘરમાં આવેલી કીડીઓને મારવાનું ટાળવું જોઈએ, પરંતુ તેનાથી વિપરીત તમારે તેમના પર લોટ અથવા ખાંડ ત્યાં નાંખવી જોઈએ.

શંખની ધ્વનિ સંભળાવી 
જો તમે સવારે શંખનો અવાજ સાંભળો છો તો તે તમારા સારા દિવસોની શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. તમે જે પડકારોનો સામનો કરી રહ્યા હતા તે દૂર થઈ શકે છે અને તમે જીવનમાં સ્થિરતા જોઈ શકો છો.

અજાણી સુગંધ અનુભવવી 
જો તમે અજાણી સુગંધ અનુભવો છો, તો સમજી લો કે થોડી સકારાત્મક ઉર્જા તમારી સાથે છે, અને જ્યારે આવું થાય છે, તો તમારા જીવનમાં પણ સારા ફેરફારો આવવાની શરૂઆત થઈ શકે છે. તમે કોઈ મોટી સિદ્ધિ પણ મેળવી શકો છો.

સપનામાં મંત્ર સંભળાવવા 
જો તમે તમારા સપનામાં મંત્રો સાંભળો છો તો તે ખૂબ જ શુભ સ્વપ્ન માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે વાસ્તવિક જીવનમાં તમે સફળતાના માર્ગ પર હોઈ શકો છો અને કેટલાક સારા ફેરફારો જોઈ શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. એબીપી અસ્મિતા ન્યૂઝ એક પણ વસ્તુની સત્યતાનો પુરાવો આપતું નથી.)

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
Advertisement

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Embed widget