![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vastu Shastra: ઘરની આ દિશામાં રાખો પાણીનું માટલું, દૂર થશે પૈસાની તંગી અને પરિવારનો કલહ
Vastu Shastra: વાસ્તુશાસ્ત્રમાં માટીનો વાસણ અને જગ ઘરમાં રાખવાની સાચી દિશા અને ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે.વસ્તુઓ વ્યવસ્થિત અને યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ. આ માટે પણ વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે.
![Vastu Shastra: ઘરની આ દિશામાં રાખો પાણીનું માટલું, દૂર થશે પૈસાની તંગી અને પરિવારનો કલહ Vastu Shastra keep the surahi in this direction of the house remove poorness and family dispute Vastu Shastra: ઘરની આ દિશામાં રાખો પાણીનું માટલું, દૂર થશે પૈસાની તંગી અને પરિવારનો કલહ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/02/84d124984a95876c19f83f084a626eba_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vastu Shastra: દરેક વ્યક્તિ માટે ઘર બનાવવું એ સૌથી મોટું અને સૌથી આનંદદાયક કાર્ય છે. દરેક વ્યક્તિ પોતાના ઘરને વાસ્તુ અનુસાર બનાવવા અને સજાવવા માંગે છે. હિન્દુ માન્યતાઓમાં વાસ્તુશાસ્ત્રનું ઘણું મહત્વ છે. લોકો પોતાના ઘરમાં વાસ્તુ અનુસાર દરેક પ્રકારના ફેરફાર કરતા રહે છે. વસ્તુઓ વ્યવસ્થિત અને યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ. આ માટે પણ વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે.
ઉનાળા દરમિયાન ઘરોમાં માટીના વાસણોનો વધુ ઉપયોગ થાય છે. જો કે માટીના ઘડાને કઇ દિશામાં રાખવું તેના માટે પણ વાસ્તુના નિયમો છે. વાસ્તુ મુજબ જો યોગ્ય દિશામાં માટીનો ઘડો રાખવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ચાલો જાણીએ આ વિષય પર વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતનો શું અભિપ્રાય છે?
આ દિશામાં રાખો માટલું
વાસ્તુશાસ્ત્ર અનુસાર, માટીના ઘડા અથવા જગ ભરીને ઘરની ઉત્તર દિશામાં પાણી રાખવું જોઈએ. ધ્યાન રાખવું જોઈએ કે વાસણ હંમેશા પાણીથી ભરેલું હોવું જોઈએ, તે ક્યારેય ખાલી ન રહેવું જોઈએ. જગ અથવા ઘડાનું પાણી ઓછું થાય કે તરત જ તેમાં પૂરતા પ્રમાણમાં પાણી ભરવું જોઈએ.
ઘર ધનધાન્યથી પરિપૂર્ણ થશે
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે ઉત્તર દિશામાં પાણીથી ભરેલો ઘડો અથવા કુંડા રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘર હંમેશા ધન અને અન્નથી ભરેલું રહે છે.
માતા લક્ષ્મીનો વાસ
માતા લક્ષ્મીનો વાસ હોવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી. આના કારણે ઘરની પરેશાનીઓ થવાની સંભાવના પણ ઘટી જાય છે કારણ કે તમામ કામ સરળતાથી થઈ જાય છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ વધે છે. લોકોમાં સંવાદિતા પણ વધે છે.
દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યવસ્થિત રાખવી જોઈએ. આના કારણે ઘરેલું પરેશાની નથી થતી અને સુખ-સમૃદ્ધિ રહે છે.
વાસ્તુ અનુસાર દરરોજ સાંજે તુલસીના છોડ પાસે માટીના દીવા પ્રગટાવવાથી ઘરમાં અનાજની કમી નથી રહેતી. પરિવારમાં એકતા ધન, વૈભવ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ નાની-નાની વાતોને ધ્યાનમાં રાખીને આપણે આપણા જીવનમાં આવતી પરેશાનીઓને ઓછી કરી શકીએ છીએ અને સારું જીવન જીવી શકીએ છીએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)