![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Early Marriage Remedies: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ,આ મંત્રોનો કરો જાપ
Early Marriage Remedies: જ્યોતિષમાં શીઘ્ર લગ્ન માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોથી કુંડળીના આ દોષોને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. કેટલાક મંત્રોના જાપ દ્વારા વહેલા લગ્ન નિશ્ચિત કરી શકાય છે.
![Early Marriage Remedies: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ,આ મંત્રોનો કરો જાપ vivah mantra early marriage remedies chant these mantras to get married soon Early Marriage Remedies: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ,આ મંત્રોનો કરો જાપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/774ff19adef2f9588da30f9e67d9524f1678525931121571_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Early Marriage Remedies: જ્યોતિષમાં શીઘ્ર લગ્ન માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોથી કુંડળીના આ દોષોને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. કેટલાક મંત્રોના જાપ દ્વારા વહેલા લગ્ન નિશ્ચિત કરી શકાય છે.
ઘણી વખત લોકોની કુંડળીમાં એવા યોગ હોય છે જેના કારણે તેમના લગ્નજીવનમાં અનેક અવરોધો આવે છે. ઘણી કોશિશ કરવા છતાં લગ્ન ઝડપથી નક્કી થતા નથી અથવા તો ફિક્સ થયા પછી સંબંધ તૂટી જાય છે. જન્મકુંડળીમાં માંગલિક દોષ, ગુરુ અને શુક્રની અશુભ સ્થિતિ, સાતમા સ્વામીની નબળાઈ કે નવવંશ કુંડળીમાં દોષ લગ્નજીવનમાં અડચણ જેવી સમસ્યાઓ સર્જે છે.
જ્યોતિષમાં વહેલા લગ્ન માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોથી કુંડળીના આ દોષોને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. જો કે વહેલા લગ્ન માટે ઘણા જ્યોતિષીય ઉપાયો છે, પરંતુ આ મંત્રોમાં વિશેષ મહત્વ છે. જે લોકોની કુંડળીમાં આ પ્રકારની ખામીઓ હોય અથવા જેમના લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય તો આ મંત્રોનો જાપ કરવો જોઈએ. આવો જાણીએ આ મંત્રો વિશે.કુંડળીમાં કોઇ દોષ હોય કે અન્ય કારણો સર લગ્નમાં વિલંબ થતો હોયજ્યાતિષીની મદદથી જન્માક્ષર બતાવીને તેના માર્ગદર્શન પર ચાલવાથી શીઘ્ર વિવાહના યોગ બને છે.
પુરૂષો માટે શીઘ્ર વિવાહનો મંત્ર
પત્નીં મનોરમાં દેહી મનોવૃત્તાનુસારિણિમ્
તારિણી દુર્ગસંસારસાગરસ્ય કુલોદ્વવામ
જે પુરૂષોને લગ્નમાં વિલંબ થતો હોય તેણે 11 વખત આ મંત્રનો જાપ કરવા જોઇએ.
યુવતીએ શીઘ્ર વિવાહ માટે કરવો આ મંત્રનો જાપ
ઓમ વર પ્રદાય શ્રી નામ
દર સોમવારે આ મંત્રનો જાપ કરવો જોઈએ. સોમવારના દિવસે શિવ મંદિરમાં પાંચ નારિયેળ અર્પણ કર્યા બાદ આ મંત્રનો જાપની 5 માળા કરવી જોઇએ. જેનાથી શીઘ્ર વિવાહના યોગ સર્જાય છે.
ઓમ કૃષ્ણગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા:
આ મંત્રનો 108 વાર જાપ કરવાથી અવિવાહિતના લગ્ન જલ્દી થાય છે. આ મંત્રનો જાપ કરવાથી ભગવાન કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)