શોધખોળ કરો

Janmashtami 2023: કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે? જાણો તારીખ, શુભ મૂહૂર્ત અને વ્રતનું મહત્વ

શ્રાવણ માસ 17 ઓગસ્ટથી શરૂ થશે અને 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. રક્ષાબંધન 30 ઓગસ્ટ તો જન્માષ્ટમી 7 સપ્ટેમ્બરે છે.

Janmashtami 2023:  આ વર્ષે અધિક માસના કારણે જન્માષ્ટમી અને રક્ષાબંધનમાં માટે થોડી રાહ જોવી પડશે. અધિક શ્રાવણ માસ 16 ઓગસ્ટે પૂર્ણ થશે અને 17 ઓગસ્ટથી શરૂ થશે. આ માસમાં આવતા બે મહત્વ પૂર્ણ પર્વ રક્ષાબંધન અને જન્માષ્ટમી છે. હિન્દુ ગુજરાતી પંચાગ મુજબ 30 ઓગસ્ટે રક્ષા બંધન  તો જન્માષ્ટમી 7 સપ્ટેમ્બરે છે.

કૃષ્ણ જન્માષ્ટમીને હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીની તિથિને લઈને લોકોમાં મૂંઝવણ છે. ચાલો જાણીએ કૃષ્ણ જન્માષ્ટમીની ચોક્કસ તારીખ અને શુભ સમય.

શ્રાવણ માસના કૃષ્ણપક્ષની અષ્ટમીએ કૃષ્ણ જન્માષ્ટ મનાવવામાં આવે છે. આ  તિથિ 06 સપ્ટેમ્બર 2023ના રોજ બપોરે 03.37 કલાકે શરૂ થઈ રહી છે. અષ્ટમી તિથિ 07 સપ્ટેમ્બર 2023 ના રોજ સાંજે 04.14 કલાકે સમાપ્ત થશે. તો દરમિયાન દેશભરમાં કૃષ્ણ જન્મષ્ટમી મનાવવામા આવશે.

પુરાણો અનુસાર શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગે થયો હતો. આ માન્યતા અનુસાર 6 સપ્ટેમ્બરે ગૃહસ્થ તેમની જન્મજયંતિ ઉજવશે. આ દિવસે રોહિણી નક્ષત્રનો સંયોગ પણ બની રહ્યો છે. બીજી તરફ વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણની પૂજા માટે અલગ નિયમો પાળે છે, આવી સ્થિતિમાં વૈષ્ણવ સંપ્રદાયમાં 07 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.

રોહિણી નક્ષત્ર શરૂ થાય છે - 06 સપ્ટેમ્બર 2023, સવારે 09:20 કલાકે

રોહિણી નક્ષત્ર સમાપ્ત થાય છે - 07 સપ્ટેમ્બર 2023, સવારે 10:25 કલાકે

જન્માષ્ટમી 2023 મુહૂર્ત (Janmashtami 2023 Muhurat)

શ્રી કૃષ્ણ પૂજા સમય - મધ્યરાત્રિ 12:02 થી મધ્યરાત્રિ 12:48 (7 સપ્ટેમ્બર 2022)

પૂજાનો સમયગાળો - 46 મિનિટ

ઉપવાસનો સમય - 7 સપ્ટેમ્બર 2023, સવારે 06.09 કલાકે

કૃષ્ણ જન્માષ્ટમી વ્રતનું મહત્વ(Krishna Janmashtami Vrat Significance)

પૃથ્વી પર કંસના વધતા જતા અત્યાચારોનો અંત લાવવા અને ધર્મની સ્થાપના કરવા જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. કૃષ્ણને શ્રી હરિ વિષ્ણુનો સૌથી સુંદર અવતાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જન્માષ્ટમી પર કાન્હાની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય નથી રહેતો અને વ્યક્તિને સ્વર્ગમાં સ્થાન મળે છે. શ્રીકૃષ્ણની ઉપાસનાથી જગતના તમામ સુખો પ્રાપ્ત થાય છે. સંતાન પ્રાપ્તિ માટે આ દિવસે કાન્હાની પૂજા કરવી વધુ ફળદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે લોકો જન્માષ્ટમી પર કાન્હાને માખણ, મિશ્રી, પંજરી અર્પણ કરે છે તેમની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | દિલ્લીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણીGujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદDelhi Airport Roof Collapse | દિલ્લી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટતા 6 લોકો ઘાયલT20 World Cup semi-final: T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
Embed widget